________________
ભાવતત્વના સ્વરૂપ ઉપર ચદ્રાદરની કથા.
૧૪૯
અને પડતા પુરૂષોના ઉદ્ધાર કરનાર છે. તેવા તે લેાકનાથની તું પણ મારાધના કર્યું કે જેથી તને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થશે. ” તે સાંભળી રાજાએ પ્રશ્ન કર્યાં, હું મુનિ તે લેાકનાથ કોણ છે ? તેમનું અપૂર્વ એવું બધુ પૂર્યાં સ્વરૂપ મને કહી સ ંભલાવે, કે જેથી હું પશ્ચાત્તાપના ભાર છેડીને પછી તે સ્વામીની સેવા કરૂ, સ્વરૂપ જાણ્યા વગર સેવા કરી શકાતી તથી. ” મુનિ બેલ્યા, “ હે ચતુર રાજા, મેં જે કથા કહી છે, તેને તું અંતરંગ બુદ્ધિથી વિચાર કરજે.
કથાના ઊપનય ઘટાવે છે.
હે રાજા, જે પાર નામનું નગર કહ્યું, તે આ અપાર સંસાર સમજવા. ઉત્કૃષ્ટ આજ્ઞાવાળા જે ઉગ્રશાસન રાજા કહ્યા તે કર્મબંધ સમજવા. જે શુદ્ધબુદ્ધિ મંત્રી તે આત્મા–જીવ જાણવા. તેના જે નિત્યમિત્ર તે શરીર સમજવું, જે પ`મિત્ર તે માતાપિતા અને પ્રિય સ્ત્રી વિગેરે સ્વજનવગ સમજવા. જે વિશ્વહિત નામના પુરૂષ તે ઉંચા પ્રકારના ગુરૂને ઉપદેશ સમજવા. જેની શિક્ષાથી પ્રણામ નામના મિત્ર આદરવાલેા થયા હતા. જે લેાકનાથ તે લેાકેાનું પાલન કરવાથી ધર્મ સમજવા. જેને માત્ર પ્રણામ કરવાથી તે ઊત્તમ મનવાલા પ્રાણીઓને ઇચ્છિત ફલ આપે છે, જે પેલા ચેાધાએ આવ્યા હતા, તેઓ દુષ્કર્મોંથી પ્રેરાએલા રાગના રાશિ જાણવા. તેમણે ગ્રહણ કરેલા જીવનુ’ રક્ષણ દેહ કદિ પણ કરી શકતા નથી. તે જીવ તેમાંજ સપડાઇને રહે છે, એક પગલું પણ ચાલી શકતા નથી. તે જીવ તેમાંજ સપડાઈને રહે છે, તે વખતે તેના સ્વજન પોકારથી રૂવે છે પણ તેની રક્ષા કરવાને સમ થઇ શકતા નથી. જે કુવા કહ્યા તે નરક સમજવું, જે બીજા પુરૂષો બચાવાને આવ્યા હતા. તેઓ સુકૃતના અધ્યવસાય સમજવા. જે ધર્મનું શુભસ્થાન તે વિવેક સમજવા. સુખને નાશ કરનારા કર્મો પુરૂષોને નરકની સમીપ લઇ જાય છે, છતાં પણ સ્મરણ કરેલા સુકૃતના અધ્યવસાયરૂપી ચેાધાએ તેમનું રક્ષણ કરે છે. તે શુદ્ધબુદ્ધિરૂપ જીવને દ્રષ્ટિના દાનથી જે કેટલાક કાળ સુખે રાખ્યા હતા, તે સમ્યકત્વના દાનથી સૌધ વગેરે દેવલાકામાં તેની સ્થિતિ સમજવી. પછી જે તેને માવડે નિવૃત્તિ પુરીમાં પહાંચાડયા, તે યતિ ધર્માંના માવડે પાંચમી ગતિમાં ગયા, એમ સમજવું. જે તે માગે દાવાનળ કહેવામાં આવ્યા, તે કાધ, પર્વત કહ્યા તે અહંકાર અને વાંસની જાળ કહી તે દુઃખ શ્રેણીને આપવામાં સમય એવી માયા સમજવી. જે ખાઇ કહેવામાં આવી તે પૂરણ (લાભ) થી ભરેલા છતાં દુઃખે પુરાય તેવા લેાભ :સમજવા અને જે દ્વિજ કહ્યો તે મનેરથ હતા, એમ વિદ્વાને સદા સમજવું. હે રાજા, જે સ્વાદિષ્ટ ફ્લે અને મધુર જલ કહ્યા હતા, તે અશુદ્ધ અન્નપાન સમજવાં, જે આવીશ ચારા કહેવામાં
૧ રાગાવડે ઘેરાયેલા જીવને શરીર ઉલટુ પીડાકારી અને છે. સહાયકારી થઇ શકતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org