SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતત્વ ઉપર ચાદરની કથા ૧૪૭ એકને હઠથી લટાવી દીધા, અને કેટલાએકને દીન બનાવી દીધા, પછી તત્કાળ કેટલાએક, નાશી ગયા, કેટલાએક શો છે દીધા, કેટલાએક અધમુખ કરીને રહ્યા અને કેટલાએક પ્રયાણ કરી ગયા પછી તેઓ મંત્રીની પાસે આવી આ પ્રમાણે બેલ્યા, “મંત્રિના તમને તમારે પ્રણામમિત્ર સત્વર બેલાવે છે ” કાનમાં અમૃત રેડવા જેવું આ વચન સાંભળી તે મંત્રી ઘણો હર્ષવાળે અને દિવ્ય–દેવતાઈ) સુખવાલે થઈ ગયા પછી તેઓ તે મંત્રીને તેના સ્થાનમાંથી લઈને એક સર્વાંગસુંદર નામના પ્રાસાદમાં હર્ષથી લઈ ગયા; તે પ્રાસાદ દિવ્ય ઉલેચથી યુકત હતું, તેની ભુમિ સુવર્ણમય હતી તેમાં ઉંચી જાતની દિવાલે રહેતી હતી. સર્વ પ્રકારની વસ્તુઓથી તે વિભુષિત હતો અને તેમાં ઉંચા સ્તંભની શોભા દેખાતી હતી. તે પ્રાસાદની અંદર તેણે પોતાના પ્રણામમિત્ર લોકનાથને જોયાં તેમના મસ્તક પર ચંદ્રમંડળના જેવું સુંદર છત્ર હતું, વગગંગાના જેવા ચામર વીંજતા હતા, નક્ષત્રમાળાના હારથી તે અંકિત હતા, સુવર્ણના ઉત્તમ આસન પર તે બેઠા હતા. સુર, અસુર અને મનુષ્યો તેમની સ્તુતિ કરતા હતા, છતાં પણ અહંકારથી રહિત હતા. તેઓ કેટલાએકને પૃથ્વી ઉપર અનેક કેટી ગમે રત્ન આપતા હતા, કેટલાએકને સુવણને સમૂહ, કેટલાએકને ગજેની લમી, (રૂડે-મનગમતો) કેટલા એકને સંબંધ, કેટલાએકને અના સમૂહ, કેટલાએકને વિશાળ આવાસે અને કેટલાએકને વસ્ત્રોને જ આપતા હતા. તે લેકનાથને જોતાં જ તે મંત્રોનું હૃદય જાણે સુધાસિંધુમાં મગ્ન થઈ ગયું હોય તેમ બની ગયું અને તેણે પોતાના પ્રથમના પાપના સંતાપ ને શાંત કરી દીધા, અને મોટા પ્રણામથી તે મહાશયને નમન કર્યું. તે પ્રણામ મિત્રે તેને બેઠે કરી સુંદર આસન પર બેસાર્યો, જ્યારે મંત્રી શુદ્ધબુદ્ધિ સ્વસ્થ થયે, એટલે તેણે તેને દુઃખી થવાનું કારણ પૂછવું મંત્રીએ ઉગ્ર શાસન રાજાને ભય પ્રકાશિત કર્યો, તે સાંભળી પ્રણામ મિત્ર લોકનાથે કહ્યું, “ભદ્ર, મને આશ્રિત થયેલ એવા તને હવે કઈ જાતને ભય નથી. સૂર્યને આશ્રિત થયેલા પ્રાણીને કદિપણ અંધકારને ભય હોતો નથી. * મેં પ્રણામ કર્યા સિવાયનું બીજું કાંઈ પણ કાર્ય આ મિત્રનું ક્યું નથી, તેથી તે મારૂં કાર્ય શું કરશે” એવો વિચાર તારે મનમાં લાવ નહિ; જે ઉત્તમ પુરૂષો છે, તે પ્રણામ કરવાથી પણ સદા હર્ષિત થાય છે. કારણકે, તેઓમાં સર્વ પ્રકારની સંપત્તિના હેતુરૂપ સંતેષ રહેલે છે. હું જીવતાં તેને સર્વાર્થની સિદ્ધિ આપીશ અને મૃત્યુ પામતાં વિશેષ પણે સદા અમૃત-મેક્ષ આપીશ. આ મારૂં વચન તારે સત્ય માનવું. તું મારી પાસે સુખે રહે અને મન વાંછિત અર્થ માગી લે. કારણકે, કલ્પવૃક્ષ વિગેરે તો મારે ઘેર કામ કરનારા સેવક રૂપે છે. જે તારા મનને રાજ્ય ગમતું હોય અથવા વાસુદેવ પ૪, ચક્રવત્તિપણું કે ઈંદ્રપણું ગમતું હોય તો તે કહે તને જે ઈટ હેય તે હું તને આપું. ” આ પ્રમાણે પ્રણામમિત્ર લેકનાથના વચનરૂપ અમૃતનું પાન કરી તાપ રહિત થયેલો તે મંત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy