SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતવના સ્વરૂપ ઉપર ચઢ઼દરની કથા ૧૪૫ તમારા કહેવાથી હું તેવા પુરૂષને મલીશ.” પછી તે કઈવાર પિતાના સ્થાનમાં, કેઈવાર રસ્તામાં અને કેઈવાર અપરિમિત એવા તેના સ્થાનમાં જઈ તે તેને નમસ્કાર કરવા લાગે. તેને તેમ કરતો જોઈ લકે તેને પ્રણામમિત્ર કહેવા લાગ્યા. તે પણ મનમાં સંતુષ્ટ થઈ તેને મનવાંછિત આપવા લાગ્યા. આ પ્રમાણે મંત્રી શુદ્ધબુદ્ધિ તે ત્રણે મિત્રોની સાથે રહી ઉગ્રશાસન રાજાના સર્વ વ્યાપારના ભારને કેટલાક કાલ ધારણ કરવા લાગ્યા. એકવખતે મંત્રિરાજ પોતાના નિત્યમિત્રની સાથે એક શયામાં નિદ્રા લઈ જવામાં જાગ્રત થઈને બેઠે છે, તેવામાં સર્વ તરફ સર્વને લુંટનાર, સ્વામીએ પ્રેરેલા અને કાળપુરૂષના જેવા દુષ્ટ દ્ધાઓ હથીયાર ઉગામી આવતા તેના જેવામાં આવ્યા. તેમને જોઈ મંત્રીએ કહ્યું “તમે અહિં શા માટે આવ્યા છે?” તેઓએ જવાબ આપ્યો કે, અમે અમારા સ્વામી ઉગ્રશાસનની આજ્ઞાથી અહિં આવ્યા છીએ. અને દૂષિત કાર્યને કરનારા એવા તને આજે અમે તત્કાળ કુવામાં નાખવાના છીએ.” તે દ્ધાઓના આવા વચન સાંભળી મંત્રી બે, “મારે એ કયે અપરાધ છે?” તેઓએ કહ્યું, “ત. માટે શો અપરાધ છે, એ વાત રાજા ઉગ્રશાસન જાણે. અમે કાંઈ પણ જાણતા નથી, અમારે તે તેમને કઠેર આદેશ કરવાનો છે.” તે સાંભળી મંત્રી શુદ્ધબુદ્ધિએ પિતાના પેલા નિત્યમિત્રને કહ્યું, હે ઈષ્ટ મિત્ર, મારી ઉપર રાજા ઉગ્રશાસન ધ પામેલા છે, તે તું ઉડ આપણે કયાંઈ એવે સ્થળે ચાલ્યા જઈએ, કે જ્યાં રહેવાથી મને તેને ભય લાગે નહીં. જેમ અંધકાર થવાથી લેકે સૂર્યનું અવલોકન કરવા ઈચ્છે છે, તેમ જ્યારે કષ્ટ આવી પડે છે, ત્યારે માણસ પાતાના મિત્રના મુખનું અવેલેકન કરે છે. દાતારની પરીક્ષા દુષ્કાળમાં થાય છે, પ્રિયાની પરીક્ષા નિધનપણામાં થાય છે, સુભટની પરીક્ષા રણસંગ્રામમાં થાય છે અને મિત્રની પરીક્ષા વિપત્તિમાં થાય છે. જલથી પરિપૂર્ણ એવા સરોવરની જેમ જ્યારે સમૃદ્ધિ હોય છે, ત્યારે સઘળું સરખું લાગે છે, પણ તે સરોવર જયારે સૂકાય છે, ત્યારે જેમ ઊંચું અને નીચું વર્તાઈ આવે છે. તેમ જ્યારે નિર્ધનતા આવે છે, ત્યારે પિતાનો અને પારકાને ભેદ દેખાઈ આવે છે. હે મિત્ર: પિતા, માતા, પુત્ર, ભાઈ અને સન્મિસ્થી પણ મેં તને વધારે રાખે છે–પાશે છે તો આ વખતે હે ડાહ્યા અને જગપ્રિય મિત્ર, દુર્વાર એવા રાજા ઉગ્રશાસનના ભયથી એકવાર તું મને બલાકરે બચાવી લે.” મંત્રીએ આ પ્રમાણે કહ્યું, તો પણ તે નિત્યમિત્રે તેનું વચન સાંભર્યું નહીં તેમ નથી તેની સામું જોયું નહિં. તે પડખે હતો તો પણ તેને એલખતો ન હોય તેમ રો. પછી સર્વ સરળ અને વિદ્વાન લેકેએ તેને માંડ માંડ સમજાબે, એટલે તે નિત્યમિત્રે મંદ થઈ ગયેલા મંત્રીને આ પ્રમાણે કહ્યું, “આપણ બંનેનો સંગ કેવી રીતે છે? તે સમજ, તું મંત્રી છે અને હું પ્રકૃતિ રૂ૫ છું. કમને કર્તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy