SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ શ્રી વિમળનાથ ચરિત્ર. વચન માને કે ન માને તે પણ હું તો તેને શુદ્ધબુદ્ધિ આપે તેવું વચન કહેવાને જ.” આવું ચિંતવી વિશ્વહિત બે, “ભદ્ર, જે તારો આ મિત્ર છે, તે કેઈને પણ માન્ય કરવા ચોગ્ય નથી. તું તેની ઉપર જે રાગી છે, તે તે તારી ઉપર રાગી નથી. આ અંદર તદ્દન અશુદ્ધ છે અને બાહેર શુદ્ધ દેખાય છે, તે તેને સત્કાર કરેલો છે, પણ તેનો કદિ પણ વિશ્વાસ કરીશ નહીં. જે તું તેને ભેજન આપીશ નહીં અને તેને સ્નાન કરાવીશ નહીં, તો તે તારો નિર્મળ કાર્યભાર કરશે નહીં. હે વિદ્વાન આ તારા મિત્ર વિધુર છે. માટે તું તેને છોડી કે બીજા ઉત્તમ મિત્રને કર્ય, કે જે મિત્ર તને કચ્છમાં સહાય કરે. ” આ પ્રમાણે તે હિતકારી વિશ્વહિત પુરૂષનાં નહીં છેતરે તેવાં બધાં વચન સાંભળી તેને કાંઈક ભાન આવ્યું અને તત્કાલ તેણે વિચાર્યું કે, “આ વિશ્વહિતે જે કાંઈ કહ્યું, તે સારૂં જણાય છે. તેથી હવે હું કૃત નામ કઈ યોગ્ય મિત્ર કરૂં.” આવું ચિંતવી તેણે કૃતજ્ઞ નામને મિત્ર કર્યો. તે મિત્રને ધ્ર ભકિત બતાવી મંત્રી દરેક પર્વને દિવસે આવી અન્ન તથા તાંબૂલ વિગેરેથી સંતોષ આપવા લાગે, તે જોઈ બધા લેક તેને પર્વત્રિના નામથી ઓળખવા લાગ્યા. કારણ કે, લોકોને એ સ્વભાવ છે કે જેવું નજરે દેખે તેવું કહે. આ પ્રમાણે શુદ્ધ બુદ્ધિ નિત્યમિત્ર તથા પર્વ મિત્રની સાથે રહેલે હતો, તેને જોઈ લક્ષ્મીના સ્થાનરૂપ અને યથાર્થ નામવાલે વિવાહિત તેની પ્રત્યે બે, “હે મંત્રિ, આ તમારે જે પર્વ મિત્ર છે, તમારા દુઃખનો જરા ભાગીદાર બને છે, પરંતુ તેવા મિત્રને હું તમારે સારી રીતે હિકારી કહી શકતું નથી. જે મિત્ર સર્વ દુઃખ હરનાર, શિવ સુખને કરનાર અને નમસ્કાર, સ્તુતિ અને સંગતિથી સંતુષ્ટ રહેનાર હોય, તે મિત્ર ઉત્તમ બુદ્ધિવાલો અને હિતકારી છે, એમ માનું છું.” વિશ્વહિતનાં આવાં વચન સાંસળી મંત્રી શુદ્ધબુદ્ધિ આ પ્રમાણે બોલે “ત્યારે એ વિશ્વહિત મિત્ર આ સંસારમાં કયાં મળી શકશે?” વિશ્વહિત બે, “તે એક લેકનાથ નામનો મિત્ર કેઈ સારા સ્થનમાં રહે છે, તેનું જરા સ્વરૂપ કહું તે સાંભળે અને તમારા સંશને દૂર કરો જેનું મુખ સમ્યજ્ઞાનથી ઉજવળ છે, જેની દષ્ટિ સૌમ્ય છે, જેનું હૃદય સરલ છે, જે સદાચરણથી યુક્ત છે, જે નીચ કામ કરવામાં વિરક્ત છે, જે સદા વિશ્વજનના આધારરૂપ છે અને જે અંગ તથા ઉપાંગમાં પ્રતિષ્ઠિત છે, તે કોઈ સારા હૃદયવાળે મિત્ર તમારે કરે.” વિશ્વહિતનાં આવાં વચન સાંભળી શુદ્ધ બુદ્ધિ મંત્રી બે, “ એવા કે ઈ પુરૂઅને હું કેઇવાર જિનાલયમાં જોઉં છું, કેઈવાર ઉપાશ્રયમાં જોઉં છું અને કેઈવારે સપુરૂના ઘરમાં જેઉં છું. પરંતુ તેવા ઉત્તમ પુરૂષને જોઈ હું નાશી જાઉં છું. હવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy