SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રી વિમળનાથ ચરિત્ર, તી નથી પરંતુ આવી તમારી આકાશગામિની અને સ્તંભન કરવાની શક્તિ જોતાં છતાં પણ હું સમજે નહિં, તેને માટે મને શરમ આવે છે. હવે તમે સર્વ વિષના રથાનરૂપ, સદ્ગુણી અને અંગની સાથે મળેલી મારી રાજ્યલક્ષ્મી અને પુત્રીને સત્વર અંગીકાર કરે.” તે સાંભળી કુમાર બોલ્યા, “રાજન, હું તમારી પુત્રીને ગ્રહણ કરીશ. કારણ કે, લેકમાં કહેવાય છે કે “પુત્રી છે તે પારકા ઘરને શોભાવનારી છે. ” પરંતુ સ્વ ભુજાથી મેળવેલી તમારી પિતાની રાજ્યલમી તે તમેજ ભેગ.” રાજા કુમાર, પૃથ્વી તે ખની જ છે તેથી હવે આ રાજ્યલક્ષ્મી તમારી જ છે.” આ પ્રમાણે કહી રાજા નરસિંહ તે કુમારને પોતાની પુત્રી તથા ઉત્તમ જયલક્ષ્મી આપી તત્કાળ સિંહની જેમ પોતે વનમાં ચાલ્યો ગયો. પછી કુમાર પૂર્ણકલશે રાગથી પ્રિયાની સાથે રાજ્ય કરવા માંડ્યું અને પ્રજાને સુખ તથા દેશમાં ચાલતી અવ્યવસ્થાનીનઠારી રિથતિને નાશ કરી દીધો. બે પ્રકારે વિષયના ભેગને ભોગવતા કુમાર પૂર્ણ કરશેને રાગશ્રી રાણીના ઉદરથી દેવસિંહ નામે એક બુદ્ધિવાલો પુત્ર ઉત્પન્ન થયે. આ અરસામાં કુમારના પિતાએ મોકલેલા કેટલાક પુરૂષે પ્રતિષ્ઠાન નગરમાંથી આવી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યા–“સેવક તરફ વાત્સલ્ય કરનારા આપ સાહેબ કહ્યા વગર સ્થાનમાંથી ચાલ્યા ગયા, તેથી મહારાજા શ્રી મલયકેતુ ઘણાં દુઃખી થઈ ગયા તેમાં દેવી વિલાસવતીના દુઃખની તો શી વાત કરવી ? કારણ કે, માતા, પિતાના કરતાં નેહમાં હજાર ગણ અધિક છે. હાલમાં મહારાજા પિતે રોગી થઈ ગયા છે, અને તમે તે રાજ્યના ધારક છે, તેથી તમને તેડી લાવવાને માટે અમને મોકલ્યા છે. આ સાંભળી કુમાર પૂર્ણકલશ ખેદાતુર થઈ ગયો અને તરત જ તેણે પિલા યક્ષનું મરણ કર્યું. યક્ષે તત્કાળ આવી કુમારને નગરમાં પહોંચાડી દીધો. ત્યાં કુમારને મોટા ઉત્સવ પૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યું. પછી પિતા મલયકેતુએ શુભ મુહર્તામાં તેને પિતાના રાજ્ય ઉપર બેસાર્યો. તે પછી રાજા મલયકેતુ પિતે પંચ નમસ્કાર મંત્રના સ્મરણથી પા૫ રહિત અને નિઃસ્પૃહ થઈ સુખે દેવલેકમાં ગયે. આ પ્રમાણે પૂર્ણકલશ અનુક્રમે ચાર રાજ્યને વામી થયા અને સાધક મિત્રસેન સેનાપતિને મોકલી બીજા ઘણાં રાજ્યો પણ તેણે સાથે કરાવ્યાં. પર્વે જે વિવાહિત સ્ત્રીઓ પુત્ર સહિત રહેલી હતી, તેઓને પિતા પોતાના સ્થાનમાંથી બોલાવી લીધી. પછી બીજી પણ ઘણું ગુણવતી પત્નીઓને તે પર અનુક્રમે તે બીજી રાણીઓને પણ નીતિમાન ભુવનમાં અજેય અને પિતાના બળથી રાજાઓને તાબે કરનારા પુત્ર થયા. ૧ રાજ્યલક્ષ્મી પક્ષે સર્વ વિષ એટલે સર્વ દેશથી યુક્ત. સારા ગુણ કરનારી અને રા જ્યના સાત અંગેથી બનેલી પુત્રી પક્ષેને અર્થ તે સ્કુટજ છે. ૨ બે પ્રકારે વિયના ભેગને એટલે વિષય-દેશ અને વિષય-વિલાસના બંને પ્રકારના ભાગને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy