________________
ધર્મતત્વના સ્વરૂપ ઉપર પૂર્ણકળશની કથા. ૧૩ પિતાના નગરમાંથી નીકળી કુંઠિનપુર તરફ પ્રયાણ કરતે હતો. ગજેન્દ્ર ઊપર રહેલા પૂર્ણકલશને આકાશમાગે આવતો જોઈ રાજા નરસિંહ પોતાના મનમાં આશ્ચર્ય પામી વિચાર કરવા લાગે કે, “શું આ રાવત હાથી ઊપર ઇદ્ર પિતે આવે છે ? કે કઈ વિદ્યાધર આવે છે? મનુષ્યની શક્તિ આવી હેય નહિં.” આ પ્રમાણે તે રાજા ચિંતવતો હતો, ત્યાં તો કુમાર પ્રકલશ તેની સમીપે આવી પહોંચે. તેને જોતાં જ તે “નરસિંહ હતો, છતાં પણ તે કાળે તે કાર્યમૂઢ બની ગય કુમાર પૂર્ણકલશ બોલે, “ જે ભુજાના બળથી જ્ઞાનગર્ભ મંત્રીની પાસે દંડ માગે છે તે તારી ભુજાનું બળ મને હમણાંજ બતાવ્યું. જે મારો સેવક હોય, તેને હું સદા પૂર્ણક શરૂપ પૂર્ણ કલશ કુમાર છું, પરંતુ જે મારો શત્રુ છે, તેને તે હું કુમાર-નઠારી રીતે મારનારે છું. ” આવા વચન સાંભળી રાજા નરસિંહે પોતાના ઉગ્ર સુભટને કહ્યું કે, “અરે! આ નરાધમ પુરૂષને નિગ્રહ કરો, નિગ્રહ કરો.” રાજાનું આ વચન સાંભળી તે ઉગ્ર સુભટો હાથમાં હથીયાનો સમૂહ લઈ ‘મારે, મારે” એમ બોલતાં યુદ્ધ કરવા ઉભા થયા. તે વખતે પેલા યક્ષે જાણે ચિત્રમાં આળેખેલા હોય તેમ તેઓને તંભિત કરી દીધા. નિર્ભાગ્ય મનુષ્યની વાંછા કયાંથી પૂરી થાય? તે કાળે રાજા નરસિંહ છતાં પણ એ થઈ ગયે કે તે તંભને ભેદીને શત્રુને નાશ કરી શકે નહીં. તે સમયે કુમાર બોલ્યા અરે? તું શા માટે ચિંતા કરે છે ? આ બીજા સેવકેની શું જરૂર છે? આપણે બંને જ સામસામા યુદ્ધ કરીશું.” તે સાંભળી રાજાએ મનમાં ચિંતવ્યું કે, “ આ કુમારે મને યુદ્ધ કરવા બોલાવે, તે છતાં જે હું યુદ્ધ નહીં કરું, તો મારું નરસિંહ એ નામ મિથ્યા થશે. તેથી મારે યુદ્ધ કરવું જોઇએ.” આવું ચિંતવી નષ્ટબુદ્ધિ તે રાજાએ કુમારની સાથે લાંબે વખત અઘટિત સંગ્રામ કર્યો અને સાથે ગુણગ્રામ પણ અઘટિત કર્યો. પછી કુમારે તે રાજાને અતિ ખેદ પમાડી એક બાળકની જેમ બાંધી લીધે. તે કાલે પેલા યક્ષે સારા જલ સાથે પુષ્પોની વૃદ્ધિ કરી. પછી બધા સુભટને છુટા કર્યા એટલે તેઓ કુમાર પૂર્ણકલશને શરણે આવ્યા અને રાજા નરસિંહ પણ તેને શરણ થઈ ગયું. રાજાને તેણે બંધનમાંથી છોડ એટલે દિવસે ઘુડ પક્ષીની જેમ તે નીચું મુખ કરી ઉભું રહ્યું. તે જોઈ કુમાર પૂર્ણકલશ બોલ્યો, “નરસિંહ, તારે રણમાં પરાજય થયો, તેને માટે તું ખેદ કરીશ નહીં. સિંહિકાને પુત્ર ફકત મસ્તકરૂપે છે, છતાં તે શું લેકેથી પૂજાતે નથી ? તું રાજ્ય કર્ય, પ્રજાનું રક્ષણ કર્યું અને આદરથી તારા સ્થાનમાં ચાલ્યો જા.' આ પ્રમાણે કહી સત્કાર પામેલે રાજ નરસિંહ બેચે, “મને રણને ભંગ થયો તેને માટે શરમ લાગ
૧ નરસિંહ-પુરૂષમાં સિંહરૂપ હતા, છતાં પણ કોઈ પણ કામ ન સૂઝે, તેવો મૂઢ બની ગયો.
૨ વિષ્ણુના નરસિંહ અવતારે સ્તંભભેદીને હિરણ્યકશિપુ નામના દૈત્યને માર્યો હ. તેવી રીતે આ નરસિંહ રાજા સ્તંભ-અટકાયતને ભેદી શકે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org