________________
૧૩૦
શ્રી વિમળનાથ ચરિત્ર, બેથી તેની પૂજા કરી અને નમસ્કાર કરી તે અંજલિ જોડી આ પ્રમાણે બોલે, “હે રત્નને આપનારા દેવી, દારિદ્રય રૂ૫ સમુદ્રમાંથી મને તારી લો.” આ પ્રમાણે એકવીસ દિવસ સુધી સેવા કરતાં તે વિશર્માને દેવીએ પ્રત્યક્ષ થઈ ખેદ સાથે કહ્યું, “તેં પૂર્વે કાંઈપણ સુકૃત કર્યું નથી, તેથી તને ધન કયાંથી મળે? માટે તું મારા મંદિરમાંથી ચાલ્યા જા. નહીં તો હું તને સમુદ્રમાં ફેંકી દઈશ.” દેવીનાં આવાં વચન સાંભળી તે દાતુર થઈને બેચે, “જો સુકૃતધર્મ કરવાથી મને ધનની પ્રાપ્તિ થતી હોય, તો પછી તારી સેવા કરવાનું ફલ શું? જે રેગી પથ્ય પાળવાથી નીરોગી બનતો હોય, તો પછી તેમાં વૈદ્યની વિદ્યા શી કહેવાય? જ્ઞાનદષ્ટિવાળા પુરૂષને સૂર્યના પ્રકાશની શી જરૂર છે ? ચિંતામણિ વિગેરે અચેતન પદાર્થો પણ ચિંતિત અર્થ ને આપનારા છે તે કેવા સારા ગણાય ? તમે વિબુધ (દેવ અને જ્ઞાની) છે, છતાં પણ મારી ઈચ્છા પ્રમાણે કેમ આપતા નથી?” તે સાંભળીને દેવી બોલ્યા, “અરે! તે ચેતના વગરના ચિંતામણિ વિગેરે સત્પરૂને વાંછિત આપે છે પણ તે ચેતાવી શકતા નથી. તેમજ ઉત્તર પરિણામ જાણી શકતા નથી અને જે વિબુધ-વિદ્વાન દેવતાઓ છે, તેઓ પિતાનું અને પરનું હિત સારી રીતે જાણી શકે છે, તેથી હું તને કાંઈ પણ આપતી નથી.” તે બ્રાહ્મણે કહ્યું, “દેવી, મારૂં ઉત્તર પરિણામ કેવું છે? તે મને હમણાંજ કહી આપો.” દેવી બોલ્યાં, “હું તને જે આપીશ, તે તારી પાસે રહી શકશે નહીં.” બ્રાહ્મણે કહ્યું, “હે દેવી, તેમાં તમારે શા માટે ચિંતા રાખવી? મને ઈચ્છિત વસ્તુ આપે, જે પાછળથી તે બધું હું ગુમાવીશ, તો પછી તેમાં તમારે દેષ નથી.” પછી દેવીએ તેને ચિંતામણિ આપે. તે વિદ્વાન બ્રાહ્મણે તેથી હદયમાં સંતોષ પામીને પારણું કર્યું. તે પછી વિષ્ણુશર્મા વહાણમાં બેસી તે સુંદર મણિ સાથે લઈ પોતાના નગરમાં સત્વર જવાની ઇચ્છાથી જળમાર્ગે ચાલ્યું. એક વખતે પૂર્ણિમાની રાત્રે આકાશમાં ચંદ્રને જોઈ તેણે વિચાર કર્યો કે, “આમારે મણિ વધારે પ્રકાશ માન છે કે ચંદ્ર વધારે પ્રકાશમાન છે? તેથી હું તે મણિને ચંદ્રની સાથે સરખાવી જોઈ મારા મનને સંદેહ દ્વર કરૂં. અર્થ કાર્ય સુખે સધાય એમ હોય છતાં અહીં કયો માણસ પિતાના હૃદયમાં સંશયને ધારણ કરે?” એવું ચિંતવી સમુદ્રના જળમાં જ્યાં ચંદ્રનું પ્રતિબિંબ પડેલું છે, ત્યાં તે જડબુદ્ધિ બ્રાહ્મણે સહેજે (વગર મહેનતે) ચિન્તામણિરત્ન યુક્ત પિતાને હાથ કર્યો ત્યાં ચંદ્રના બિંબમાં કલંક અને પિતાને મણિ નિષ્કલંક જોઈ તે ખુશી થઈ ગયે, પરંતુ તેણે હૃદયમાં કાંઈ વિચાયું નહીં, તેવામાં પ્રમાદને લઈને તે મણિ તેના હાથમાંથી સમુદ્રની અંદર પડી ગયે. તેથી તત્કાળ પિતે અચેતન થઈને વહાણમાં મૂર્શિત થઈ પડશે. આ વખતે વહાણના સ્વામીએ તેને કહ્યું કે, “અરે! કહે, તને આ શું થયું?” પછી તેણે અંત:કરણને અત્યંત ભેદી નાખે તેવો સ્વવૃત્તાંત તેને જણાવ્યું. તે સાંભળી તે વહાણ પતિએ પિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org