SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમળનાથ ચરિત્ર રૂષાર્થ –ધર્મ) ને ક્ષય થાય છે. તેથી જે મને હમણાંજ ધર્મને કરનારી ગુરૂની પ્રાપ્તિ થઈ આવે, તો હું આ રાજ્યનો ભાર છોડી દઈ સમ્યક પ્રકારે સંયમને આશ્રય કરું.” આ પ્રમાણે રાજા સૂરસેન વિચાર કરતા હતા, તેવામાં ઉદ્યાનપાલે આવી પ્રસનચંદ્ર સૂરીશ્વરના આવવાના ખબર આપ્યા. તરતજ રાજા તે ઉદ્યાનપાલને અપરિમિત ગ્ય દાન આપી વાહન ઉપર બેસી અસહ્ય (ભારે) સેનાને સાથે લઈ તે ગુરૂને વંદના કરવા ચાલી નીક. તે સૂરીશ્વરને વિધિપૂર્વક વંદના કરી રાજા પિતાને ગ્ય એવા સ્થાને સાવધાન થઈ બેઠે એટલે ગુરૂએ આ પ્રમાણે દેશના આપવા માંડી. “હે રાજન, આ ભરતક્ષેત્રમાં બધા મલીને બત્રીશ હજાર દેશ છે, તેમાં સાડી પચીસ આર્ય દેશ છે. અંગ, બંગ (બંગાળ) કલિંગ, કોશળ, જાંગળ, કુરૂ, પંચાળ, (પંજાબ) મગધ, સિંધુ, કાશી, જંગી કુણાલક, દશાણ, લાટ, સંદર્ભ, વત્સ, અચ્છ, વયરાટક, સુરાટે, (સોરઠ,) મલય, ચેદી, સૂરસેન, વિદેહ, વર્તા, કુશાર્તા અને અર્ધા કેરલ-એમ સાડીપચીશ આર્યદેશ વિદ્વાનોએ જાણું લેવા. તે સાડીપચીશ દેશમાંજ ત્રિષષ્ટિશલાકા પુરૂષે જન્મે છે. તેવા દેશમાં રત્ના જેવું દુર્લભ માનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને જે પ્રમાદ કરે છે, તેઓ એક વિષ્ણુશર્મા બ્રાહ્મણની જેમ દુઃખી થાય છે. વિષ્ણુશર્મા બ્રાહ્મણની કથા. પ્રતિષ્ઠાનપુરમાં વિષ્ણુશર્મા નામે એક બ્રાહ્મણ હતો. તેને શીલનું લાલનપાલન કરવામાં ઇચ્છાવાલી શીલવતી નામે પત્ની હતી, તે વિષ્ણુશર્મા ચૌદ વિદ્યા જાણનાર હતું, તોપણ તે લક્ષ્મીથી રહિત હતા, પ્રાયે કરીને જ્યાં વિદ્યા હોય, ત્યાં લક્ષમી હોતી નથી. તેને માટે કહ્યું છે કે, “ લક્ષ્મી જલ જંતુઓના ભંડાર રૂપ એવા સમુદ્રનું એક મર્યો છે, એમ કહેવામાં કોઈ જાતને વિવાદ જ નથી, કારણ કે, જેમ મત્સ્ય ધીવર ઢીમરેથી વહીવે છે અને જડ-જલમાં ડુબી જાય છે તેમ લક્ષમી પણ ધીવરવિદ્વાનોથી હીવે છે અને જડ પુરૂમાં ડુબી જાય છે–મગ્ન રહે છે. વળી કહ્યું છે કે, “હે રાજન, જેમ મૃગલી ગુણ--પાશધરનારા માણસને દેખી પિતાને બંધન થવાની શંકાથી દૂર દૂર નાશી જાય છે, તેમ લક્ષ્મી ગુણી માણસને દેખી પિતાને બંધન થવાની શંકાથી દૂર દૂર નાશી જાય છે. બ્રાહ્મણ વિષ્ણુશર્મા અને શીલવતી તે બંનેને દારિદ્રય તો એક હતું, પણ તેમાં વળી તેમને ઘણી દીકરીઓ થઈ તે દાઝેલા ઉપર ફોલો થવાના જેવું બન્યું હતું. એક વખતે ઘણું કન્યાઓથી અને દ્રવ્યના અભાવથી દુઃખી થયેલી પ્રિયા શીલવતીએ. મધુર વચનેથી પોતાના પતિને આ પ્રમાણે કહ્યું, “ગૃહસ્થ ધનવાનું અને મુનિ નિધન હોય તે એ બંને પૂજવા લાયક છે, પણ જે તેથી ઉલટું હોય એટલે ગૃહસ્થ નિર્ધન અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy