________________
૧૨૬
શ્રી વિમળનાથ ચરિત્ર, સાધનારૂં છે.” તે જાણવાને અતિ આતુર થયેલી માતાની આગળ વિચક્ષણા સીએ તે બધે વૃત્તાંત માંડ માંડ નિવેદન કર્યો. પછી રાણી વિચક્ષણાને લઈ રાજાની પાસે આવી અને તેણીએ તે રાત્રિનો બધો વૃત્તાંત વિધિપૂર્વક રાજને કહી સંભળાવ્યો. તે સાંભળી રાજા બે, “પહેલેથી મારે મરથ પણ એવો હતો કે, હું તે કુમારને રાજપુત્રી આપીશ. પરંતુ ઉત્કંઠાને વશ થઈને મારાથી એવો ઠરાવ થઈ ગયા છે કે, “જે પુરૂષ ગજેંદ્રને વશ કરે, તેને પુત્રી આપવી.” હવે અંગીકાર કરેલી તે પ્રતિજ્ઞા હું કેવી રીતે પૂરી કરીશ શકીશ? કારણ કે પુરૂષની વાણું ચિંતિત કાર્યથી પણ વધારે ગણેલી છે, આ પ્રમાણે રાજા ચિંતા કરતો હતો. તેવામાં શ્રેષ્ઠ પરાકમવાલો કુમાર રાજાના આંગણામાં આવ્યું. તે કુમારને જોઈને રાજા હૃદયમાં વિચાર કરવા લાગ્યો કે, “રૂપવાન વિનયી દક્ષ અને બહોતેર કલાઓને ધારણ કરનાર આ ઉત્તમ નર કેણ હશે?” તે વખતે યુકિતવાલા વચન બોલવામાં વિચક્ષણ એવી વિચક્ષણ બેલી. “ તેજ આ આપના જમાઈ પરાક્રમી શ્રી પુર્ણકલશકુમાર તે સાંભળી મંત્રીઓ બેલ્યા. “એ સત્ય છે, જુઓ આ કુમારના શરીર ઉપર વિવાહનું ચિન્હ દર્શનીય દેખાય છે.” તે સાંભળી રાજાએ કહ્યું કે, “આ બહુ સારું થયું, મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ અને મને ઇચ્છિત જમાઈ પણ પ્રાપ્ત થશે.” પછી રાજાએ કેટલાએક પગલાં સામે જઈ પ્રણામ કરીને પહેલા તે કુમારને ભેટી આસન ઉપર બેસાર્યો. પછી રાજાએ દેહ તથા ઘરની કુશળતા પછી કહ્યું કે, “અમારું ઘર હતું તે છતાં તમે અતુલ્ય એવા દેવાલયમાં કેમ સુઈ ગયા? હે પ્રાજ્ઞ, તમે જે તમારૂં આગમન જણાવ્યું નહિ, તે સર્વ કલાઓને જાણનારા મહાન પુરૂને સ્વભાવ છે. સૂર્ય જ્યારે ઉદય પામે છે ત્યારે તે શું બીજાઓને પિતાને ઊદય જણાવે છે ? પરંતુ તે પિતાના કિરણેથી બીજાઓના તેજને નાશ કરે છે, વરસાદ જ્યારે આવે છે, ત્યારે તે શું બીજાઓને કહે છે? પરંતુ પોતાના અમૃતજલવડે બીજાના સંતાપને નાશ કરે છે. સિંહ જ્યારે આવે છે ત્યારે તે શું બીજાઓને જણાવે છે ? પરંતુ તે પિતાના પરાક્રમથી મહીમત-પર્વત અને રાજાઓના ગજેને ત્રાસ આપે છે. ચંદ્ર
જ્યારે ઉદય પામે છે, ત્યારે તે શું બીજાઓને જાહેર કરે છે? પરંતુ તે પિતાના વિશ્વમાં દેખાતા કિરણેથી અંધકારના સમૂહને દૂર કરે છે.” કુમાર પૂર્ણકળશ છે, “ હે સ્વામી, આ વકગતિએ ચાલનાર નાગને મેં તંભિત કરી દીધો, તેનું કારણ સાક્ષાત્ નરેંદ્રજ છે. જે રજ સૂર્યના સાક્ષાત્ મંડલને “વસુરહિત કરી દે છે, તે મહાબળનોજ
૧ નાગ એટલે હાથી અને બીજે પક્ષે નાગ એટલે સર્પહાથી ઉન્મત્તપણે વક્રગતિ વાલે અને સર્પ સ્વભાવે વક્રગતિએ ચાલનારે છે. કુમાર રાજાને કહે છે કે, મે જે આ હાથીને વશ કર્યો, તેનું કારણ આપ નરેંદ્ર છે. સર્પ પક્ષે–નરેંદ્ર એટલે ગાડી. ૨ વસુ-તેજથી રહિત પક્ષે વસુધનથી રહિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org