SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શ્રી વિમળનાથ ચરિત્ર, પરણશે, તે તેથી મારે અનર્થ ઉત્પન્ન થશે. કદિ તે નાની વયનો છે, તેને લઈને સમ- ' જૂતીથી મારું વચન નહીં માને, તો પછી હું વેગથી ભેદની યુક્તિથી તેને આ કાર્ય કરતો અટકાવું.” આવું વિચારી સાગરદત્તે તેને કેઈ કામનું બહાનું બતાવી ઘરની અંદર એક પછી તરત તે ઘરને તાળું દઈ દીધું અને તેના મનની ઈચ્છા તોડી પાડ, અહિં કામદેવના મંદિરમાં તે પ્રશંસનીય એવી સર્વ બાલાઓએ તે સમુદ્રદત્તને ઘણે વખત અવલે, પરંતુ પૂર્વના કારણને લઈને તે જોવામાં આવ્યું નહીં. સમુદ્રમાં મણિની ઈચ્છા રાખનારને જેમ ચિંતામણિ મલી આવે, તેમ સમુદ્રદત્તની શોધ કરતી તે બાળ ઓને પિલે ઇg vણકલશ કુમાર મળી આવ્યું. તેને જોઈ મદ” નશ્રી તરત બેલી કે, “શું આ કામદેવ છે?” ત્યારે કામલતા બોલી, “કામદેવ તે અનંગ છે અને આ સુંદર અંગવાલે છે” શશિકળા બેલી, “જરૂર આ પુરૂતમ-વિશુજ છે, પણ વિષ્ણુ તો જનાર્દન–લોક પીડક છે અને આ કેઈજનોને કે આનંદ આપનાર છે.” મધુશ્રી બોલી, “જરૂર આ શંકરજ છે, પરંતુ હે સખી, તે શંકર વિરૂપાક્ષ છે અને આ કમળલોચન છે.” મદનશ્રી બોલી, “ ત્યારે આને ઇંદ્ર જાણી લે. જેકે તે ઇદ્ર કામરૂપી છે, પણ હજાર નેત્રોથી દૂષિત છે. તે પછી બીજા સર્વેને માન્ય એવો આ અન્ય પુરૂષ છે, એમ મને કહે. પણ આ પુરૂષ આપણા શ્રેષ્ઠ આનંદની ઇચ્છા કરતો નથી.” તે બાલાઓના આવા વચને સાંભળી તેમની શંકાને દૂર કરવા પેલે સાધક બેચે, “આ કામદેવ વિગેરે માંહેલે કઈ નથી પરંતુ તે પ્રતિષ્ઠાનપુરના રાજા શ્રીમલયકેતુને પવિત્ર પુણ્યની ભૂમિરૂપ અને સ્ત્રીઓના કામ તથા અર્થને કરનાર પૂર્ણકલશ નામે પુત્ર છે.” આ સાંભળી તે સર્વ ઉત્તમ કન્યાઓ વિરમય પામી ગઈ અને પરસ્પર કહેવા લાગી કે, “સંતુષ્ટ થયેલા આ કામદેવે આપણને આવો સ્વામી આપે છે. પછી એ મલીને સાધકને કહ્યું કે, “આ વરને સત્વર જાગ્રત કરે, કારણકે, અત્યારે વરવાને ગ્ય એ સમય છે.” પછી સાધકે તે કુમારને ઉઠાડ. તે બાલાઓને જોઈ પૂર્ણકલશે સાધકને કહ્યું, અરે ભાઈ! શું આ પાતાલની નાગકન્યાઓ છે? અથવા વિદ્યાધરની સ્ત્રીઓ છે? કે સુરાંગનાઓ છે? તે કાંઈ બરાબર સમજાતું નથી.” કુમારના આ શબ્દો સાંભળી રાજપુત્રીની વિચક્ષણા નામે દાસી બોલી, “હે સુંદર એવા વિક૯૫ના ભાષણે કરવાથી બસ થયું. જે ખરી હકીકત છે, તે સાંભળે. આ પહેલી અનુપમ કન્યા છે, તે સૂરસેન રાજાની પુત્રી છે. બીજી સેનાપતિની પુત્રી છે, ત્રીજી મંત્રીની પુત્રી છે અને આ ચેથી નગરશેઠની પુત્રી છે. આ ચારે આપને વરવાને ૧ તેના પિતા સાગરદત્તે ઘરમાં તાળું વાસી પુર્યો છે. તે કારણને લઈને. ૨ વિરૂપાક્ષ-ત્રણ નેરોને લઈને શંકર વિરૂપ નેત્રવાળા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy