________________
૧૧૮
શ્રી વિમળનાથ ચરિત્ર, સગર્ભા કમળાદેવીને પુત્ર થશે, એવી બુદ્ધિથી તેણીને રાજ્યને ભાર છે. તથાપિ પુત્ર થયે નહીં, પરંતુ પુત્રી થઈ, આથી તે રાણી અતિ દુઃખ પામી. મંત્રીએ તેણીને ધીરજ આપી કહ્યું કે, “હે રાજપ્રિયા, તમે ખેદ કરશે નહિ, એમ કરવાથી આ પ્રખ્યાત અને હિતકારી રાજ્ય ચાલ્યું જશે. માટે તમે આ પુત્રીને પુત્રનો વેષ પહેરાવી પાલન કરે.” પછી મંત્રીએ આખા શહેરમાં પુત્રજન્મને ઉત્સવ કર્યો. તે પુત્રનું નામ કમસેન પાડયું અને અનુકમે વધવા લાગ્યો. તે દમિતારિ રાજાના જીવરૂપે હું યક્ષ થયો છું અને મેં અવધિજ્ઞાનથી બધું જોયું છે. હવે તે રાજકન્યા હમણાં - પાવી શકાય નહિ તેવા ઉત્કૃષ્ટ યૌવનવયને પ્રાપ્ત થઈ છે. હે મહાશય, તું હમણાં ત્યાં જ અને તે રાજકન્યાનું પાણિગ્રહણ કર, અને ત્યાંનું મહારાજ્ય ભેગવ.” કુમારે તેમ કરવાને કબુલ કર્યું એટલે તે યક્ષ આદરથી પોતાના હાથમાં અંકુશ લઈ તે ગજેંદ્રને આકાશમા ચલાવ્યું. કુંઢિનપુરની પાસેના ઉદ્યાનમાં આવીને સાધક સહિત કુમારને સત્વર હાથી ઉપરથી ઊતાર્યા પછી તે યક્ષે રૂપને ફેરવે તેવી વિદ્યા આપી પ્રમાણે કહ્યું, “હે કુમાર, સ્ત્રીનું રૂપ લઈ તે કુંવારી કન્યાને અવશ્ય પર લે.” પછી કુમારે વિઘાના પ્રભાવથી કન્યાનું રૂપ ધારણ કર્યુંઅને યક્ષે હાથી, ઘડા વિગેરેનું વૈકિય સૈન્ય ઉભું કર્યું. પછી યક્ષે સાધકને બરાબર શીખવી જ્ઞાનગર્ભ મંત્રીની પાસે મોકલ્યો. તેણે આવી મંત્રીને આ પ્રમાણે કહ્યું, “હે મંગિન,સિંહલદ્વીપના રાજાએ પોતાની પૂર્ણકલશી નામની રવયંવર કયા કામસેન કુમારને માટે મેકલી છે, તે તે બંનેના જેવી રીતે
ન્યાય સહિત વિવાહ થાય, તેવી સર્વ પ્રકારની ઊત્તમ સામગ્રી સત્વર તૈયાર કરે.” મંત્રીએ તેનું સર્વ વચન તેની આગળ સ્વીકાર્યું, પછી તેને વિદાય કરી પોતે રાણુની પાસે આવ્યું, અને સ્વયંવરા થઈ આવેલી કન્યાને સર્વ વૃત્તાંત રાણુને નિવેદન કર્યો. તે સાંભળી રાણુ દણીજ ખેદાતુર બની ગઈ. તત્કાળ મંત્રીએ કહ્યું, “હે નૃપવલ્લભે, તમે હાલ ખેદ કરશે નહિ, હમણાં આ વખત પસાર કરી દે. કારણથી આવી પડેલું આ પાણિગ્રહણનું કામ કરાવી લેવું, પછી હું મારી બુદ્ધિના બળથી સમયને ઊચિત એવી બધી ક્રિયા કરીશ. આપણે હમણું આ રાજકુમારીની હકીકત પ્રગટ કરીએ તે આપણું શત્રુઓ આપણને ઉપદ્રવ કરવા તૈયાર થાય અને તે અન્યાયી લોકે આપણે ગ્રાસ કરી જાય.” આ પ્રમાણે કહી તેણે કામસેનાને એકાંતે બોલાવીને સૂચવ્યું કે, “વત્સ, તારે પુરૂષને વેષ પહેરીને રાજકન્યાને પરણવી.” મંત્રીનું આ પરિણામે સુંદર એવું વચન સાંભળી કામસેનાએ તે નિર્ભયપણે રવીકાર્યું. પછી મંત્રીએ વિવાહરુવ કરવા માંડે. તે સાધકે આ સર્વ વૃત્તાંત યક્ષની આગળ નિવેદન કર્યો, એટલે યક્ષે વિવાહની સર્વ ઉત્તમ સામગ્રી તૈયાર કરી દીધી. તે કૃતજ્ઞ-મંત્રીએ નગરમાં છાયાને માટે વિધિપૂર્વક ઉંચી જાતના મંડપ વિગેરે રચાવ્યા. જ્યારે હસ્તમેળાપને સમય આવ્યે ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org