________________
૧૧૨
શ્રી વિમળનાથ ચરિત્ર, હોય તો હું આજથી હિંસા છોડી દઊં અને તમારે શ્રાવક થઈ જઉં.” બ્રાહ્મણના આ વચન સાંભળી મુનિએ તે બકરાને ઉદેશીને કહ્યું, “હે પશુ, તું તે દ્રવ્યને ભંડાર બતાવ અને આ સંસાર સાગરમાંથી તારા પુત્રની રક્ષા કર.” આ સાંભળી તે બકરે ત્યાંથી ચાલીને તે દ્રવ્યના નિધિની ભૂમિ બતાવી, તેમાંથી નીકલેલા નિધાનને જે તે બ્રાહણ દયાળુ શ્રાવક બની ગયું. હવે તે બકરો પછી અનશન વ્રત લઈ મૃત્યુ પામીને દેવ થયો. પછી તે અમરસિંહ કુમારનું સતત હિત કરવાને તેના સાંનિધ્યમાં આવવા લાગે. - એક વખતે તે દેવતાએ રાત્રે આવી કુમાર અમરસિંહને કહ્યું કે, “તાર બંધુ સમરસિંહ તને મારી નાખવાના ઉપાયો ચિંતવે છે. તેથી તું આ નગરને છોડી બીજે સ્થળે ચાલ્યો જા. સમય આવ્યે તને રાજ્ય મલશે, પણ અત્યારે તારે રહેવું ઘટિત નથી. હું તારા તે બંધુને નિહ કરી તને રાજ્ય ઉપર બેસારીશ, પરંતુ વિદેશ જવામાં તને લાભ અને પ્રતિષ્ઠા મલશે.” તે દેવતાના આવા વચન સાંભળી કુમાર અમરસિંહ તેજ વખતે વિમવી નામના એક મંત્રીના પુત્રને સાથે લઈ કંડિન નગરમાં ચાલે ગયો. તે સમયે ત્યાં કુંડિનપુરમાં અશિવરૂપ રોગચાળાની ઊત્પત્તિ થયેલી, તેની શાંતિ કરવાને ભાનુ નામનો ત્યાંનો રાજા દેવતાની આગળ બકરાં અને પાડાની હિંસા કરાવતો હતો તે જઈ અમરસિંહ તે હિંસકોની આગળ આવી આ પ્રમાણે કહ્યું કે, “ અરે ! તમે જીવને મારે નહીં.” તે હિંસકે બોલ્યા, “અમો તારા વચનથી બંધ રહેવાના નથી, કારણ કે, અમને એવી રાજાની આજ્ઞા છે.” આ પ્રમાણે કહી તેઓ હિંસા કરવાને પ્રવત થયા, તેવામાં પેલા બકરારૂપ દેવતાઓ તત્કાળ તે બધાને ખંભિત કરી દીધા, પછી તે વૃત્તાંત તે નગરના રાજા ભાનુની આગળ નિવેદન કરવામાં આવ્યું, એટલે રાજા ભાનુ પિતે આશ્ચર્ય પામીને તે દેવાલયમાં આવ્યું, ત્યાં દેવકુમારના જેવા અમરસિંહ કુમારને જોઈ તે વિરમય પામી ગયો. કુમારે રાજાને પ્રણામ કરીને કહ્યું, “આ પશુઓ શા માટે મારવામાં આવે છે?” રાજાએ ઉત્તર આપ્યો કે, “રોગની શાંતિ માટે ' કુમાર બોલ્યો, “જીવહિંસા કરવાથી શાંતિ શી રીતે થાય? શાંતિ માટે તો તમે જીવ દયા કરે.” રાજાએ કહ્યું “જે આ દેવતા તે મને તેવી પ્રરૂપણ કરે તો હું તમારા કહેવા પ્રમાણે આ હિંસા છોડીને જીવદયા કરૂં.” રાજાના આવા વચન સાંભળી અમરસિંહ કુમારે કહ્યું, “કઈ એક કુમારીકાને સત્વર અહિં લાવો, હું તેણીની પાસે તે પ્રમાણે લાવું.તત્કાળ રાજાએ એક કુમારીકા બોલાવી મંગાવી. પછી કુમારે તેણીને મંડળમાં સ્થાપિત કરી મંત્રના પ્રભાવથી તે કુમારીકા આ પ્રમાણે બોલી –“જેના માનસમાં કલહંસીની જેમ જીવરક્ષા રહેલી હોય તેના ચરણના પ્રક્ષાલન જલથી અહિં શાંતિ થઈ જશે.” તે સાંભળી રાજા બોલ્યો, “તે ઉચ્ચ પુરૂષ કેવી રીતે જાણ?”
૧ માન-મન પક્ષે માનસ સરોવર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org