SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરૂતત્વ ઉપર શ્રેણીપુત્ર મુગ્ધની કથા. ૧૦૯ રોથી તેના સર્વ દ્રવ્યનો ક્ષય થઈ ગયો. પછી તે બીજાની પાસેથી નિષ્કપટપણે વ્યાજે દ્રવ્ય લઈ ગંગા નદીને કાંઠે ગયે અને તે કાંઠાને તેણે આદરથી તે લેકે પાસે બોદા. તેમાં પણ દ્રવ્યની નુકશાની થઈ તે કાંડામાંથી એક કાણું કેડી પણ નીકલી નહીં. આથી તે મુગ્ધ વિ લખે થઈને પિતાને ઘેર ચાલ્યો ગયે. ત્યારથી કે તેની આજ્ઞા માનતું નહી, તેમજ તેને ધન અને માન પણ આપતું નહીં. તેથી તે અત્યંત દુઃખી થઈ ગયે, પછી તે બેહાતુર થઈ પોતાના પિતાના સેમ નામના મિત્રના ઉત્તમ નગરમાં આવ્યું. સેમ તેને દુઃખી અને નડારી સ્થિતિમાં આવી પડેલો જોઈ આ પ્રમાણે કોમળતાથી બે, “હે તુચ્છ બુદ્ધિ વત્સ, તારા ચિત્તમાં શેની ચિંતા છે? અથવા તારા ધનનો ક્ષય થઈ ગયો છે કે જેથી તું વિખે દેખાય છે ? ” મુગ્ધ પછી પિતાનો વિષમ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી એમ બોલ્યા “અરે તું તારા પિતાની વાણીનું ખરું તત્ત્વ સમજ્યો નથી, જે તેણે તને મિષ્ટાન્ન જમવાનું કહેલું, તે દ્રવ્યની જે આવક હોય તે ખાવાની સમજવી. જે સુખે સુઈ રહેવાનું કહેલું, તે જે વૈરી વગર સુવાનું તે સુખે સુવાનું સમજવું. જે આપેલું ધન માગવું નહીં, તે જે દ્રવ્ય વધારે કીંમતનું ઘરાણું લઈને બીજાને ધીરવામાં આવે તેવું દ્રવ્ય આપીને માગવું નહીં એમ સમજવું. જે વધૂસહિત સ્ત્રીને મારવાનું કહેલું, તે જ્યારે સ્ત્રી વધૂ સાથે હોય ત્યારે તેને મારવી પણ વધૂને મારવી નહીં. ચર્મની વાડ કરવાનું કહેલું, તે સ્વજનેને પાસે રાખવા એમ સમજવું. જે ગામેગામ ઘર કરવાનું કહેલું, તે દરેક ગામે કેઈની સાથે મિત્રતા કરવી કે જેથી તે મિત્રતા પિતાના ઘરની જેમ સુખદાયક થઈ પડે. જ્યારે દ્રવ્ય ખૂટે ત્યારે ગંગાને તળીએ દવાનું જે કહેલું. તે તારે ઘેર જે ગંગાના જેવી ઉજવળ ઘોડી છે, તેની નીચે ધનનો ભંડાર છે તે સમજવું.” આ પ્રમાણે પિતાના પિતાના મિત્ર સોમનાં વચન સાંભળી તે મુગ્ધ ઘેર ગયે, અને તેણે તે ઠેકાણે પૃથ્વી બદી તેમાંથી લાખ સુવર્ણ નીકહ્યું, તે મેળવી મુગ્ધ ફરી પાછે ધનવાન થઈ ગયે. ગુરૂ કહે છે, હે જગદ્ધર, જે સોમના કહેવા પ્રમાણે બધું કરવાથી તે મુગ્ધ સદા સુખી થયો તે કથા કહેવામાં આવી. તે કથાનો ઊપનય આ પ્રમાણે છે તે સાંભળ-“જે સુગ્ધ કહેવામાં આવ્યું તે પુઈ જડતાવાલે જીવ સમજ. જે પદ્મશ્રેણી તે શાસ્ત્રાને સમૂહ જાણો અને જે સેમ હતો તે સુગુરૂ જાણવા. જે મિષ્ટાન્ન ભજન તે રૂચીથી સદ્વમનું સેવન સમજવું. જે આપેલું માગવું નહીં, તેને નિર્ણય સંભળ-યતિએ ઉપદેશ આપીને કાંઈપણ (દ્રવ્યાદિ) માગવું નહીં અને ગૃહસ્થ દાન આપીને બદલામાં કશું પાછું લેવું નહિં કે માગવું નહિં. જે મનુષ્યો અંતરના કામક્રોધાદિ શત્રઓનો જય કરી સમયે સુવે છે તે સુખશયન સમજવું અથવા સુનિની જે ગનિદ્રા તે સુખશયન સમજવું. જે વધૂસહિત સ્ત્રીને મારવી, તે આ ક્ષમાસહિત શરીરની મૂર્તિને તારૂપી અગ્નિથી તપાવવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy