SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ શ્રી જિનપૂજા ઉપર દેવપાલની કથા. તે રાજ્યના સીમાડાના રાજાઓ, સામંતો અને બીજાએ ગોવાલરૂપે અવજ્ઞા કરી, તે દેવપાળની આજ્ઞાને માનતા ન હતા, તેણે જિનદત્તશેઠને બોલાવ્યું, તે પણ ગર્વથી તેની પાસે આવ્યો નહીં, આથી રાજા દેવપાલે વિચાર કર્યો કે, “આજ્ઞા ચાલ્યા વિના રાજ્ય હંમેશાં નિષ્ફળ છે, તો પછી પૂર્વે જેવો ગોવાળ હતો, તે હમણા પણ ગોવાળ જ છું. આજ્ઞા ચલાવી એજ વિશેષ છે, તે પછી આવું રાજ્ય શા કામનું? માટે જેણે મને રાજ્ય આપ્યું છે, તેની આગળ જઈ હું તેને વિજ્ઞપ્તિ કરું કે આ રાજ્યની સંભાળ તે પિતેજ કરી લે.” આ પ્રમાણે વિચારી તે શ્રી આદિનાથ પ્રભુની પાસે જઈ તેમની પૂજા અને નમન કરી તેણે આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી. “હે પ્રભુ, તમે મને આજ્ઞા ચાલે તેવા ઐશ્વર્યનું વડાન આપે, નહીં તો તમે આપેલું આ પિતાનું વરદાન પાછું લઈ લ્યો. કારણ કે, આજ્ઞા સિવાય હાથી તથા ઘોડા વિગેરેનું આ રાજ્ય અને એક નાટકના રાજ્ય જેવું થયું છે. દેવપાલ ગોવાળનું આવું વચન સાંભળીને પેલા વ્યંતરે આકાશમાં રહીને કહ્યું કે, “હે ગોવાળ, તું ખેદ પામીશ નહીં, નિર્ભયપણે રાજ્ય કર્યું. એક માટીને શ્રેષ્ઠ હસ્તી કરાવી તેને આખા નગરમાં ફેરવી રાજ્યપાટિકામાં રાખજે, મારા પ્રસાદથી તે હસ્તી તારા જનની ઈચ્છા પ્રમાણે કરશે, અને તેને જોઈને તે સીમાડાના રાજા વિગેરે તારું કહ્યું કરશે.” અધિષ્ઠાયક દેવના આ વચન સાંભળી તે દેવપાળ સુખ પામતો પિતાને ઘેર ગયે, પછી કુંભારોને બોલાવી તે હસ્તી બનાવાને તેણે આજ્ઞા આપી. તે કુંભારોએ તે રાજાને માટે તે મિોટો હસ્તી કરવા માંડે તે સાંભળી પિલા મંડલિક વિગેરે રાજાઓ વિશેષ હાસ્ય કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, “આ ખરેખરે વાળ જ લાગે છે, જે પોતાના પૂર્વના આચારને લઇને એક માટીને હસ્તી બનાવી રાજપાટ કરવાની ઈચ્છા રાખે છે. ” કુંભારેએ માટીને હસ્તી કરી પકાવ્ય, પછી તેને ચિત્રકારની પાસે ચીતરાવ્યો અને પછી લોકો પાસે તે ઉપર ત્રિપદી વિગેરેનું કામ કરાવ્યું, તે સિવાય (રાજયના) બીજા હસ્તી. ઓ તૈયાર કરાવ્યા, ઘેડાઓ ઉપર પલાણ નંખાવ્યા, સર્વ સુભટોને સજજ કરાવ્યા. અને તે પણ તૈયાર કરાવ્યા. પછી પેલા જિનદત્ત શેઠને બોલાવી છલ તથા બળને વશ થઈ તેને વેશ સ્વયં પિતાના જેવો કરાવ્યું, પછી શુભ મુહૂર્ત રાજા દેવપાલે રાજપાટિકા કરી. તે અપૂર્વ કૌતુક જેવાને સર્વ બાજુએથી જનસમૂહ એકઠો થયો, અને તે જોઈને વિરમય પામી ગયે. જોકે એ રાજાને જોઈ ચિંતળ્યું કે “શું આ વિષ્ણુ પોતે આવ્યા છે ? અથવા દેવ કે કેઈ વિદ્યાધર આવ્યો છે?” એવી રીતે ચાલતા રાજાને ઠેકાણે ઠેકાણે સારું નાટક અને પગલે પગલે માંગલિક ઉપચારે તથા વાજિંત્રો વાગવા લાગ્યા, તે જોઈ સર્વ સામતે ચમત્કાર પામી ગયા અને કમને જાણનારા તે શ્રેષ્ઠ રાજાના બંને ચરણમાં નમી ૧ રાજપાટિકા-સ્વારી. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy