SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ શ્રી વિમળનાથ ચરિત્ર, ( ગાયને લઈને એક ઘાંટા વનમાં ગયે. તે વખતે નદીના પ્રવાહ વડે માટે વિકટ કાંઠે પડી ગયે. તેમાંથી યુગાદિદેવની પ્રભાવિક પ્રતિમા પ્રગટ થઈ. તે પ્રતિમાને ઈદેવપાળ હર્ષ પામ્ય અને તત્કાલ તે પ્રતિમાને જલવડે સ્નાન કરાવી તેણે મૃત્તિકાનું એક ઊંચું પીઠ કરી તેની ઊપર તેને સ્થાપિત કરી પછી સુગંધી પુષ્પ, પત્ર વિગેરેથી આદર સાથે તે પ્રતિમાની તેણે પૂજા કરી, તે વખતે તેણે ચિંતવ્યું કે, “હું કેવો ધન્ય કે જેને શ્રીઅરિહંત પ્રભુએ પિતાની મેલે દર્શન આપ્યું! જોકે મારી પાસે કંઈ દ્રવ્ય નથી પરંતુ હું ચિત્તને સ્થિર કરી મારી શકિત પ્રમાણે તેમની પૂજા કરૂં” ત્યારથી તે દેવપાળ પ્રતિમાની ઉત્કંઠાથી પૂજન કરીને જ સદા ખાનપાન વિગેરે લેતા હતા, તે શિવાય કદિપણ લેતા નહિ. એક વખતે સાત દિવસ અને રાત્રિ સુધી સતત વૃષ્ટિ થઈ, તેને લઈને દેવયાળ ન દીને સામે કાંઠે જઈ શકે નહિ. તે પ્રભુની પૂજા કર્યા વિના કદિપણ ભેજન કરતો નહી તેથી તેના શેઠ જિનદત્તે તેને પુછયું કે, “ તું ભજન કેમ કરતે નથી? દેવપાલે કહ્યું “દેવપૂજા કર્યા વિના હું ભજન કરતો નથી, ” શેઠે કહ્યું, “ કહે, તે હારા દેવ કેવા છે ? ?” તેણે ઉત્તર આપે, “શેઠજી, જેવા તમારા દેવ છે તેવાજ તે મારા દેવ છે પણ તે નદીને સામે કાંઠે છે. ” “ તે દેવની પ્રાપ્તિ તને શી રીતે થઈ ? ” શેઠે પુછયું, એટલે તેણે તે દેવની ઉત્પત્તિની વાત કહી અને પિતાને નિશ્ચય પણ જણાવ્યું. શેઠ બોલ્યા,” જે તારે નિયમ હોય તો તું અહિં રહેલા દેવની પૂજા કર ! તેની પુજા કરવાથી તે દેવની પૂજા થયેલી નિશે ગણાશે.” દેવપાલ બે, “જે માણસ ભજન કરે તેજ નૃત્ય થાય, તેના ભેજનથી બીજે નૃત્ય થાય નહીં, તેથી તો તે દેવની પૂજા કર્યા શિવાય નિ જમવાને નથી. ” આ પ્રમાણે આઠમો દિવસ થયો એટલે નદીના જલનું પર ઉતરી ગયું ત્યારે દેવપાલ સામે કાંઠે ગયે અને તેણે પુપિથી તે જિન પ્રતિમા પ્રજા કરી તથા અત્યંત પ્રણામ કરી હર્ષથી તે પ્રભુના સ્તુતિ કરી. તે સમયે તે પ્રભુના ધિરાયક દેવે આકાશમાં રહીને કહ્યું કે, “તું ઈચ્છીત વર માગ્ય, દેવપાલે કહ્યું. “ મને રાજ્ય આપે,” અધિષ્ઠાયક દેવે કહ્યું, “તારી ઈચ્છા પ્રમાણે થશે.” તે પછી છેકેજ દિવસે સિંહરથ રાજા અપુત્રીઓ મરણ પામ્યું. તે રાજ્યના મંત્રીઓએ પાંચ દિવ્ય કર્યા, તે તે પાંચ દિવ્ય નગરની વચ્ચે ફરીને અનુક્રમે નગરની બાહેર આવ્યા, જ્યાં પેલે દેવપાવ ગોવાલ વડની છાયા નીચે સુખનિદ્રાથી સુતે હતો. ત્યાં તે પાંચ દિવ્ય ગયા ત્યાં હસ્તીએ શબ્દ કર્યો, અવે હેષારવ કર્યો, બે ચામર ચલાયમાન થયા અને છત્ર અધર ઉચુ થયું. પછી હાથીએ કલશથી દેવપાલને ન્હરાવી પિતાના સ્કંધ ઉપર બેસાર્યો એટલે મંત્ર એ આભૂષણોથી વિભૂષિત કર્યો પછી નીતિને જાણનારા વિવેકી એવા મંત્રીઓ તેને સેના સાથે નગરમાં લઈ ગયા અને વિધિથી તેને પટ્ટાભિષેક કર્યો. તે દેવપાલના મિત્ર એવા બીજા ગેવાલો તત્કાલ તેના દંડ તથા કાંબળ વિગેરે લઈ જિનદત્તને સોંપી દીધા હવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy