________________
૧૦૬
શ્રીવિમળનાથ ચરિત્ર, પડ્યા, પછી રાજા મહેલના દ્વાર આગળ આવ્યા ત્યારે તેણે જિનદત્તશેઠને અંકુશ આપિીને કહ્યું કે, “આ હસ્તીને તેને સ્થાન લઈ જાઓ.” તે મૃત્તિકાના હાથીએ ડગલું ભર્યું નહિં, એટલે તેને પગવડે સંજ્ઞા કરી તો પણ તે ચાયો નહીં, એટલે તેની ઉપર અંકુશ ને ઘા કર્યો તે ઘાને લઈને તે હાથીના કુંભસ્થળના બે ભાગ થઈ ગયા, આથી શ્રેષ્ઠી ઉપહાસ્યનું સ્થાન થયું અને તેને અહંકાર ઉતરી ગયે. ત્યારથી માંડીને સર્વ રાજવર્ગ શંકરહિત થઈ તેની આજ્ઞાને દેવની શેષાની જેમ મસ્તક પર ઉઠાવવા લાગ્યું, અને રાજાઓએ દ્રવ્ય સાથે પિતપતાની ઘણી કન્યાઓ તેને આપી. રાજા દેવપાલે પછી શ્રી યુગાદિ ભગવાનને પ્રાસાદ કરાવ્યું, અને તેની અંદર નિત્યે જિનપૂજા કરવાને, પૂર્વનું પાપ હરવાને અને નવું પુણ્ય મેળવવાને માટે તે જનસમૂહની સાથે જવા લાગ્યા.
એક વખતે દેવપાળ જિનપૂજા કરી પિતાની પટરાણી સાથે ગેલેરીમાં પ્રશંસાપૂર્વક બેઠા હતા. તેવામાં તેની પટરાણી ક્ષણમાં મૂછ પામી. શીતળ ઉપચારથી તેણીનામાં ચિતન્ય આવ્યું, એટલે તે નીચે પ્રમાણે પદ્ય બેલી
" अड वि पती नइं, जलतोइ न वुढा हत्य।
जो उ एउक बाडी यह, अज्जवि साउ अवत्थ ॥१॥" “જેની સાથે મારે પૂર્વે પતિનો સંબંધ હતો તે આ મજુર (દરિદ્ર માણસ) છે અને તેની અદ્યાપિ એજ દરિદ્ર અવસ્થા વર્તે છે. એટલે જંગલમાં નદી પ્રાપ્ત થયા છતાં તેના નિર્મળ જળમાં હાથ પણ પલાન્યા નહિ.”
આ ગાથા સાંભળી રાજા બોલ્યો, “પ્રિયા, તેં એ શું કહ્યું?” તેણી બેલી “આજે આ પુરૂષને જોઈને મને જાતિસ્મરણ થઈ આવ્યું છે,” “પૂર્વભવે કઈ જાતિ હતી?” રાજાએ પૂછ્યું, ત્યારે તે બોલી, “હે રાજન, પૂર્વે આ નગરમાં હું અને બીજે જે આ પુરૂષ વૃક્ષની છાયા નીચે બેઠે છે, તે અમે બંને કાઇના ભારા ઉપાડનારા ગરીબ માણસે હતા અને બંને જણા આ નગરની નજીક રહેતા હતા. આ ઠેકાણે કાષ્ટનો ભાર છોડી દઈ વિશ્રાંતિને માટે ધરામાં સ્નાન કરી કમળ પ્રમુખ લઈ મેં શ્રી ભગવાનની પૂજા કરી અને મેં ઘણું કહ્યું તે પણ આ પુરૂષે પ્રમાદથી જિનપૂજા કરી નહીં. પછી આયુષ્યને ક્ષય થતાં મૃત્યુ પામીને હું રાજકુળમાં પુત્રીરૂપે અવતરી અને આ તમારી પત્ની થઈ છું. અને તે આ પુરૂષ હજુ પણ તેવી જ સ્થિતિમાં રહ્યા છે. તેથી આ લેકમાં મનુષ્યને ધર્મ સિવાય દુ:ખને ક્ષય થતો નથી.” પછી શ્રેષ્ઠ વિચારવાલા રાજાએ તે પડેલા ગરીબ પુરૂષ ને બોલાવી પુછ્યું, એટલે તે પુરૂષે તે પ્રમાણે બધો પૂર્વ વૃત્તાંત કહી સંભળાવ્યા તે સાંભળી રાજા દેવપાલે વિચાર્યું કે “જેમ મને આ લોકમાં જિનપૂજાનું ફળ મળ્યું છે, તેમ આ રાણુને પૂર્વજન્મમાં કરેલી જિનપૂજાનું ફલ મહ્યું છે. અજ્ઞાની અને વિશેષે કરીને નિધન એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org