________________
શ્રી વિમલનાથ ચરિત્ર. - સમયે રિતિકેલિ–કીડાની કળાવડે ઉદ્ધત અને ઉત્સુક એ ત્રીજો રતિકેલિ મંત્રી
ગર્વથી રાજા પ્રત્યે બે “હે પ્રભુ અશોક એક વૃક્ષ છે તે ઊંચા ભૂથને આશ્રિત થઈ ઉચ્ચતાને પામેલ છે. પરંતુ તેને એક વશા ભાંગી નાખે છે. ખંડિત કરેલા સુમનની ૩ શ્રીથી વજિત થયેલે, શાખા હિત અને નિષ્ફળ થઈ ગયેલો તે અશકવૃક્ષ નાશ પામી જાય તો તે કોના જાણવામાં આવે ? હે પૃથ્વી પતિ, હવે મને મેકલે, હું સર્વ સમક્ષ તેણીને કામવશ કરી મારા તિકેલિ એવા નામને સાર્થક કરી બતાવું.” તે પછી પૃથ્વી આજ્ઞાને પ્રવર્તાવનાર રાજા-અરિદમને તેને ગ્ય દ્રવ્યની સાથે આજ્ઞા આપી, એટલે તે ચપળ મંત્રી ત્યાંથી સવાર ચાલે, તે પણ પ્રથમની જેમ નગરમાં જઈ ત્યાં રહી આદરથી એક લાખ દ્રવ્ય આપી પેલા ખાડામાં પડે. તે એક લક્ષ દ્રવ્ય આપી "વિલક્ષ થઈ ગયા અને શીલવતી ‘સલક્ષ થઈ, તેમાં કાંઈ આશ્ચર્ય પામવાનું નથી, પરંતુ તે બંને મંત્રીઓ પણ વિલક્ષ થઈ ગયા, એ અદભુત વાર્તા છે. મંત્રી અશોક અને રિતિકેલિ બંને ખાડામાં પડી ફાળને ચુકી ગયેલા બે ચત્તાની જેમ પરસ્પર પોત પોતાની વાર્તા કરવા લાગ્યા. મંત્રી રતિકલિની હકીકત જાણી અશોક મંત્રીને જરા સુખ થયું. કારણ કે તેણે જાણ્યું કે, રતિકેલિનું એક લાખ દ્રવ્ય ગયું છે અને પિતાનું તો અર્ધ લાખ દ્રવ્ય ગયું છે. વળી “મારી એક આંખ પુરી અને બીજી આંખ રહી છે.” એ ન્યાય પ્રમાણે મુખ અશોક મ ત્રી પોતાને જરા વિશ રહિત માનવા લાગ્યો. મંત્રી રતિકેલિનો યોગ થવાથી મંત્રી અશોકને જે સુખ થયું; તે ઘટિત છે, પરંતુ મંત્રી રતિકેલિ અશોકથી શકવાનું થયું, તે ઘટિત ન થયું. સતી શીલવતી તે રતિકલિને પણ પુર્વની રીતિ પ્રમાણે અન્નદાન આપવા લાગી. જેમાં જિનધર્મમાં તત્પર હોય તેમને સર્વ પ્રાણી ઉપર દયાજ હોય છે.
આ તરફ રાજા અરિદમને પુર્વની જેમ બાકીના બે મંત્રીઓને કહ્યું એટલે ત્રીજો લલિતાંગદ મંત્રી બે -“ હે જનાધિપ! તે રતિ લિ સ્વભાવથીજ સદા સ્ત્રીને વશ રહેનાર હતો. તે સ્ત્રીએ તેને અવશ્ય પિતાનો દાસ બનાવી દીધું હશે, તેથી તે આપણને ભૂલી ગયો છે. જેઓ સ્ત્રીવશ હોય તેમને માતાપિતાનું મરણ હોતું નથી. હવે હું ત્યાં જાઊં અને પાછો તમારી પાસે કાર્ય કરીને જલદી આવું, માટે મને આજ્ઞા આપે,” તે પછી રાજાએ મંત્રી લલિતાંગદને કેટલેક દ્રવ્યને સમૂહ આપીને મેક. શીલવતીએ પ્રથમની જેમ તેની પાસેથી દોઢ લાખ દ્રવ્ય લઈને તેને પણ તેજ ખાડામાં - ૧ ભૂભૂત એટલે પર્વત વિપક્ષે ભૂભૂત-રાજે ૨ વશા-ત્રી અને વૃક્ષપણે વશા-હાથિગી. ૩ સુમનસુ-પુષ્પો અને વિદ્વાને. ૪ રતિ-વિષયમાં કેલિ–કીડા કરનાર, ૫ વિલલ-લક્ષ-લાખ વેપરને પક્ષે વિલક્ષ-વિલો થઈ ગયો. ૬ શીલવતી સલક્ષ-લાખ દ્રવ્યવાળી પરે લક્ષ-યાનવાળી. ૭ વિલક્ષ લાખ વગરના અને વિલખા. ૮ અશોકને ભેટ થયા હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org