________________
શીલવત ઉપર શીલવતીની કથા. અ લાખ દ્રવ્ય જોઈએ છીએ. ” હૃદયમાં ખુશી થઈને તે દૂતી તેણીની દ્રવ્યની આશા , પૂરી કરવાનું અને અશોકની કામપીડા હરવાને સત્વરે મંત્રીની પાસે આવી. અશકે અચિત્ત એવું તેટલું દ્રવ્ય ચિત્ત સહિત અર્પણ કર્યું. શીલવતીએ ખુશી થઈને પોતાને ઘેર આવેલું તે સર્વ દ્રવ્ય સ્વીકારી લીધું અને અશકને કહેરાવ્યું કે, “તારે આજથી પાંચમે દિવસે રાત્રિને પહેલે પહેરે મારે ઘેર આવવું.” તે સહૃદય અશોકે શીલવતીનું તે વચન વંચના રહિત માની ચાર દિવસે દુઃખથી નિર્ગમન કર્યા. તેટલા દિવસોમાં શી લવતીએ પોતાના એક સારા ઓરડામાં પુરૂષોની પાસે માનને ખંડન કરવા માટે એક કુવા જે ઉંડો ખાડો છુપી રીતે બેહાવ્યો. પછી તેણીએ મુખે તથા નીચે ચારે તરફ વિશાળ એવા તે અંધકૃપ જેવા બડા ઉપર સડેલી તળાઈવાળો એક પલંગ ગોઠ. ચાર દિવસની અંદર મંત્રી અશોકે પિતાનું હિત સાધવા માટે પોતાના પરિવારને કઈ કોઈ ઠેકાણે મોકલી દીધે અને પોતે એકલે રહ્યા. જ્યારે પાંચ દિવસ આ એટલે તે દિવસની રાત્રિને પ્રથમ પહોર જતાં અશોક શીલવતીને ઘેર આવ્યા. શીલવતીએ પેલા ઘરમાં રહેલી શય્યા તેને બતાવી. તે અશક ઓરડામાં પિસી જેવામાં તે શય્યા ઉપર બેઠો કે તુરત તે તળાઈની સાથે જ નીચે ખાડાની અંદર પડી ગમે ત્યાં ચેતના સહિત અશોકે પ્રથમ શૂન્યપણાનો અનુભવ કરી પછી પિતે સવ શુન્ય આશ્રિત થયેલો છે છતાં તે હૃદયમાં આ પ્રમાણે ચિંતવવા લાગ્યો. “આ સ્ત્રીએ મારું સર્વસ્વ લઈ લીધું અને મને મારી ઇચ્છા પ્રમાણે આપ્યું નહીં. આ બંને હાથ દાઝયા અને હવા ગયા, તેના જેવું બન્યું, એ કેવા ખેદની વાત! મૂર્ખ એવા મેં બળાત્યારે બે પ્રકારની લક્ષ્મીને નાશ કર્યો અને મારા પિતાને શત્રુ બની જનસમૂહમાં મારૂં અશક એવું નામ વ્યર્થ કરી દીધું. કેઈ પુર્વના કુકર્મના વિપાકથી આ લોકમાં તો મેં આ કુંભીપાક નરકના જેવું સ્થાન મેળવ્યું. હવે પરલોકમાં શું થશે? તે હું શું કહી શકું? આ શીલવતી જિનધર્મમાં તત્પર એવી પરમ મહાસતી છે, તે જે મારી ઉપર કો૫ કરશે તો તે મને ભસ્મ કરી નાખશે.” આ પ્રમાણે ચિંતવન કરતાં અશોકને તે સ્થાને વર્ષના જેવા લાંબા દિવસે પસાર થવા લાગ્યા. દયાળુ શીલવતી તે સ્થળે તેને ખાવાનું પહોંચાડતી હતી, પરંતુ તે ખાવાનું દેર સાથે બાંધેલા શરાવ ( રામપાત્ર) માં મૂકીને આપતી, પણ પિતાની પ્રસંશા નહીં કરનારા અર્થાત્ નિંદા કરનારા તેને તે અંધફપની બાહર કાઢતી ન હતી.
અશોકને ગમે ત્રણ માસ પુરા થયા, એટલે રાજાએ પિલા ત્રણે મંત્રિઓની આગળ જણાવ્યું કે “આટલા બધા દિવસ થયા તે પણ અશોક કેમ આવ્યું નહીં? ” તે
૧ શૂન્યપણાને તુ પણાને. ૨ દ્રવ્યરૂપ લક્ષ્મી અને શેલારૂપ લક્ષ્મી-એમ બે પ્રકારની. ૩ અશોક-શોક રહિત હતો, તે સશોક-શેક સહિત છે તેથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org