SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમલનાથ ચરિત્ર, એ નિષિદ્ધ કરેલું પણ તે પોતાનું કાર્ય સિદ્ધ થઈ ચૂકયું, એમ માનતે અંધની જેમ સત્વર હર્ષને પ્રાપ્ત થયે. પછી તેણે એક ખુશામત કરનારી દૂતીને શીખડાવી શીલવતીની પાસે મોકલી. દૂતીએ તે પાપ ભરેલી વાત શીલવતીને નિવેદન કરી. તે વાત સાંભળી સતી શીલવતીએ દૂતીને આ પ્રમાણે કહ્યું “ગૃહવાસીઓને સમ્યકત્વ મૂવ એવા બાર સ્થલતો કહેલાં છે. તે પ્રાણાતિપાત વિરતિ પ્રમુખ બધાં બારવ્રત મેં શ્રીગુરૂનાં મુખથી બુદ્ધિવડે ગ્રહણ કર્યા છે. તે વ્રતોમાં બાકીના બીજા વ્રતોને ભંગ થયો હોય તે તેને માટે પ્રતિકાર-ઉપાય છે, પણ જે શીલવતો છે, તેનો ભંગ થાય તો ભાંગેલાં કાચના ઘડાની જેમ તેનું સંધાન થઈ શકતું નથી. તેમાં ખાસ કરીને શેષનાગ જેમ પૃથ્વીને ધારણ કરે છે, તેમ સ્ત્રીઓએ તે શીલવત પિતાના અંગવડે સતત ધારણ કરવું જોઈએ. નહીં તો તેમના સર્વ વ્રતોનો નાશ થઈ જાય છે. વળી તે શીલવત માંગવાથી પાપ મે ટું લાગે છે અને તેમ કરવાથી તથા પ્રકારનો કોઈ અર્થ સરતો નથી. સ્વેચ્છકના પાડામાં પ્રવેશ કરીએ અને ત્યાં માંસવડે તૃપ્તિ ન થાય તો તે શા કામનું? તેથી હું કદ અનર્થદંડ કરીશ નહિજ કારણ કે, એવી રીતે બંને વતનો નાશ થતાં મારાં બંને ભવને પણ નાશ થઈ જાય. ” શીલવતીના આ વચન સાંભળી તે દૂતીએ વિચાર્યું કે, “જે આ સ્ત્રીને સ્વ દ્રવ્ય અપર્ણ કરવામાં આવે તો તે સ્વ–પિતાને એટલે–પિતાની કાયા અર્પણ કરે, ખરી રીતે ઘટે છે કે, “ર જે આપીએ, તેજ લઈએ, ” આ પ્રમાણે વિચારી દૂતીએ અશોક મંત્રીની પાસે આવીને તે સર્વ હકીકત જણાવી. માનના ભંડારરૂપ એ અશક તે સાંભળી પિતાના હૃદયમાં આ પ્રમાણે ચિંતવવા લાગ્યા. દ્રવ્યથી કામની સિદ્ધિ થતી હોય, તો તેમાં મારે શું નુકશાન છે? એથી કરીને કીત્તિની વૃદ્ધિ થશે અને રાજા વગેરેમાં મારી વિખ્યાતિ થશે. લેક પિતાના હાડકોડ પૂરા કરવા માટે ધનનો સંચય કરી રાખે છે. જે તેને માટે દ્રવ્યને ખર્ચ ન થાય, તો તે ધન સંચય ધારણ કરી રાખે તે દુઃખનું કારણ બને છે. લેકમાં ધર્મ, અર્થ અને કામનો અનુકમ છે અને તેમ કરતાં મારું પરાક્રમ કહેવાશે કે ધર્મ, અર્થ અને કામને માટે માણસ પિતાનું માથું પણ આપે છે.” આ પ્રમાણે વિચારી મંત્રી અશોકે દૂતીને કહ્યું, “તું તે શીલવતીને સર્વ રવ અર્પણ કર્યું અને આ ઉપસ્થિત થયેલું પછીનું કાર્ય જે મોટું અને કષ્ટસાધ્ય છે, તે બજાવ્ય.” અશોકની આવી આજ્ઞા થતાંજ દૂતી શીલવતી પાસે આવીને બોલી,” તમારે કેટલું દ્રવ્ય લેવાની ખુશી છે ?” શીલવતીએ ઉત્તર આપે, “મારે ૧ અંધને દષ્ટિદાન આપવાથી તે હર્ષ પામે છે. ૨ જે સ્વ-દ્રવ્ય આપવામાં આવે તો તે સ્વ-પિતાની કાયા અર્પણ કરે, જે સ્વ આપે તેને સ્વ એવું જ જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy