________________
શીલવત ઉપર શીલવતીની કથા. અજિતસેનની સ્ત્રીનું કાયાણકારી પ્રત્યક્ષ લક્ષણ એ છે કે, તેણના શીલના પ્રભાવથી સદા અજ્ઞાન રહેનારી પુષ્પમાળા તે મંત્રી અજિતસેનના સુંદર કંઠમાં ઉંચે પ્રકારે રહેલી દેખાય છે.” એક દ્રવ્ય તરફની અભિલાષાને લઈને અજિતસેન ઉપર શત્રુભાવ કરનારા તે ચારે મંત્રીઓ બેલી ઉઠયા કે, “ સ્ત્રી જાતિની વિષમતા કોણ જાણી શકે?” તે પછી તેમાંથી ચોરી અશોક મંત્રી છે કે “આ કુરિત બુદ્ધિવાળા ત્રણે મંત્રિઓ
અહિં રહે અને હું એકલો જવા-આવવાનું કષ્ટ સહન કરીશ. જે કે હું ૧ અશક છું. તે છતાં તે બંને રીતે સુમનને ગ્લાનિ પમાડી દઇશ. માટે તમે મને હર્ષ કરવામાં હિતકારી એવી આજ્ઞા આપો.” અશોકનાં આ વચનો સાંભળી રાજાએ તે કૌતુક જોવા માટે તેને આજ્ઞા અને દ્રવ્ય બંને આપ્યાં. પછી તે આત્માને વશ રાખનારી સ્ત્રીની તરફ આજ્ઞા અને દ્રવ્ય મેળવી અશોક મંત્રી ત્યાંથી ચાલે. કેટલેક દિવસે ભવ્યજોને આનંદ આપનારા નંદનનગરમાં આવી પહોંચ્યા. ત્યાં પરિવાર સહિત અને સંતાપથી મુકત થઈ દિવ્ય અલંકારો પહેરી અને ઉંચી જાતના વસ્ત્રોથી મંડેત થઈ શીલવતીના ઘરની નજીક એક શૂન્ય ઘરમાં તેણે વાસ કર્યો. ત્યાં રહી હમેશા ગોબ ઉપર બેસી અનુરાગવાળી દાણથી શીલવતીને જોતા જોતો ઉંચે સ્વરે મધુર ગાયન ગાવા લાગ્યો અને હાવભાવવાળી વિવિધ જાતની ચેષ્ટા કરવા લાગ્યો, તથાપિ વડુમણિની જેમ તે શીવવતીનું મન જરા પણ ભેદાયું નહિ. વિદુષી શીલવતી એ તે અશોક મંત્રોનું વિત્ત અને ચિત્ત તેની વિકારભરેલી ઘણી ચેષ્ટાઓથી જાણું લઈ પિતાના ચિત્તમાં આ પ્રમાણે વિચારવા લાગી,-“પુષ્પનો અંકુર અખંડિત હોય ત્યારે નિજ શીવ ધારણ કરે છે પણ જ્યારે તેને ખંડિત કરવામાં આવે ત્યારે તે પાછો સ્વાભાવિકપણે ઉત્પન્ન થઈ આવે છે તે અદ્દભુત વાર્તા છે. આ સંસારપણું વિકારથીજ ઉત્પન્ન થાય છે અને તે પુરૂષોમાં સ્વભાવિક રીત હોય છે. જે આ સંસાર અનંત કહેવાય છે તે સદવર્તનના અભાવથીજ છે.” આ પ્રમાણે ચિંતવી શીલવતીએ જેણે પોતાનું ચિત્ત તો
છાએ અર્પણ કરી દીધું છે એવા અશકનું વિત્ત હરવા માટે પોતાની દુર્લભ એવી દષ્ટિ એકવાર તેની ઉપર નાખી. તે અને જે શીલવતી સમ્યગૃષ્ટિ આપનારી થઈ. તેમાં આશ્ચર્ય નથી. કારણ કે, તે સતી કુદષ્ટિવાલાને સદાકાળ સમ્યગ દષ્ટિ આપનારીજ હતી. શીલવતીએ દષ્ટિદાન કર્યું, તે ઉપરથી તે અશોક મંત્રી પૂર્વ
૧ જે અશોક-શોક રહિત હોય તે કેાઈને ગ્લાનિ પમાડે નહી છતાં આ એક મંત્રી કહે છે કે, હું નામે અશક છું છતાં સુમન-માળાના પુષ્પને અને પક્ષે સારા માળાને ગ્લાનિ પમાડી દઈશ.
૨ શીલ એટલે સ્વભાવ અર્થ પણ થાય છે. ૩ શીલવતી કુદટવાલ-મિથ્યાત્વીને સભ્ય દષ્ટિ કરે તેવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org