SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ શ્રીવિમળનાથ ચરિત્ર, હે માગને જાણનારા, તું તે ખેડુતને તારી જીભ આપીને ઘોડે માગી લે.” પછી પેલા નટ લોકેને કહ્યું કે, “તમારામાં કે ઈ સારે માણસ હોય તે ગળે મજબુત ફાંસ બાંધી આ ખેડુતને વડની નીચે સુવારી તેની ઉપર પડે, એટલે તમારું વેર લેવાશે અને તમારા સારે યશ કહેવાશે. ” આ વચન સાંભળી તે નટલોકો અને બીજાઓ મન મૂકીને પિતાને ગ્ય સ્થાને ચાલ્યા ગયા. આવી રીતે બીજા પણ ન્યાય ચૂકવતે મંત્રી અજિતસેન રાજ્યની ધુરાને ધારણ કરવા લાગ્યું. એક વખતે રાજા અરિદમનના રાજ્યની પડોશમાં રથી એવો એક સિંહરથ નામે શત્રુ રાજા હતા. તેની ઉપર રાજા અરિદમન મોટું કટક લઇને ચાલ્યું. તે વખતે મંત્રી અજિતસેન વિયેગના દુખથી ચિંતાતુર થઈ ગયું. તેને ચિંતાતુર જોઈ સતી શીલવતીએ પુછયું, “સ્વામી, તમારા હૃદયમાં શી ચિંતા છે?” અજિતસેને કહ્યું, “હે પ્રણવલ્લભે, આજે રાજા નગરમાંથી ચાલે છે, તે મારે તેની સાથે જવું પડશે. હે ભદ્ર, જે હું તને સાથે લઈને જાઉં, તે ઘર શૂન્ય થઈ જાય અને તેને ઘરમાં મૂકીને જાઉં, તો મને શાંતિ રહે નહીં. “તે એક તરફ નદી અને બીજી તરફ વાઘ ” એના જેવો ન્યાય બન્યો છે. તેથી જ હું ચિંતાતુર થયો છું. તે સિવાય બીજું કાંઈ પણ કારણ નથી.” પતિનાં આ વચને સાંભળી શીલવતી બોલી, “સ્વામિન, હું અહિં ઘરમાં રહું, તે ઈચ્છિતફળને આપનારી નિવૃત્તિ તમને કેમ ન રહે?” અજિતસેન બે, “હે પ્રિયા, મારા ઘરમાં બીજું કઈ વૃદ્ધ કે નાનું માણસ નથી, તે તારા જેવી નાની વયની સ્ત્રી કદિ વિનાશ પામી જાય. કહ્યું છે કે, “જે વૃક્ષે નદીને કાંઠે રહ્યા હોય, જે સ્ત્રી નિરાશ્રય-એકલી રહી હોય અને જે રાજાઓ મંત્રી વગરના હોય, તે લાંબું આયુષ્ય ભોગવી શકતા નથી. ” હે શુભે જેમ પાકી ગયેલા અન્નને બગડતાં વાર લાગતી નથી, તેમ સ્ત્રીને બગડતાં વખત લાગતી નથી. તેથી સ્ત્રીઓને આ લેક અને પલેકમાં હાનિ થાય છે અને પુરૂષને લાનિ થાય છે. એથી કરીને હમણાં મારા મનમાં ચિંતાનો સંતાપ થાય છે. આ સાંભળી શીલવતી બોલી, “સ્વામી, આ તમારી વાત તદ્દન વૃથા છે. સીતા રાક્ષસના ઘરમાં હતા, ત્યારે ત્યાં તેને રક્ષક કોણ હતો ? હે પ્રાણનાથ. રાજમતી, દમયંતી, મૃગાવતી, કળાવતી, નંદા, ભદ્રા, સુભદ્રા અને મલયસુંદરી એવી અનેક મહાસતીએ આ પૃથ્વી ઉપર થઈ ગઈ છે. તેમને રક્ષક કોણ હતો ? તેને તમે વિચાર કરો. જે સ્ત્રીઓનું મન શુદ્ધ અને વિશેષ પ્રબેધવાળું છે, તેવી સ્ત્રીઓ વિકટ એવા સંકટમાં પણ પિતાના શીલનું પાલન કરે છે અને જો તેઓનું મન અશુદ્ધ હોય છે, તો તેઓ પિતાના શીલનું ખંડન કરી નાખે છે. કારણકે, તે શીલ પાળવું અને ન પાળવું, તેનું મુખ્ય કારણ મન છે. ૧ સુખશાંતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy