SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શીલવત ઉપર શીલવતીની કથા ૮૭ ખેડુત નાશી ગયે. ગરીબોનું બળ રાજા છે. એમ જાણી તે રાજાની પાસે જવા નીકળ્યો. તે રાજા પાસે નંદનનગરમાં જતો હતે, તેવામાં કેઈએ રસ્તામાં તેને કહ્યું કે, “આ મારો ઘડો નાશી જાય છે, તેને લાકડી મારીને પાછો વાળ.” તે સાંભળી તે ખેડુતે તે ઘોડા ઉપર લાકડીનો ઘા કર્યો. મર્મસ્થળમાં ઘા લાગવાથી તે ઘડો તત્કાળ મરી ગયે, તરતજ તે ઘોડાના ધણીએ પણ તેને વિશેષપણે પકડયો. પરસ્પર કજીયો કરતાં તેમને ઘણી વેળા થઈ ગઈ. પછી તેઓ બધા એક વડના વૃક્ષ નીચે સુઈ ગયા. ત્યાં એક નટલેકેનું અદભુત પેડું આગળથી રહેતું હતું. તે નાટય કરી સુઈ ગયું હતું અને નિદ્રા લેતું હતું. જવા આવવાના શ્રમને લીધે બીજા સવને ગાઢ નિદ્રા આવી ગઈ, પરંતુ તે ખેડુતનું મન ક્ષુધા, તૃષાનાં દુઃખના ભારથી દબાઈ ગયેલું હોવાથી તેને નિદ્રા આવી નહીં, તેથી તેણે આ પ્રમાણે ચિંતવવા માંડ્યું, “આ જગતમાં નિર્ધન અને મરેલા માણસની વચ્ચે કાંઈ તફાવત નથી. નિર્ધન માણસ જે (કાય) ચેષ્ટા કરે છે તે પ્રાણવાયુનેજ લઈને તેથી મારા આયુષ્યને ક્ષય થવા જોઈએ. વળી ઘણી રીતે અન્યાય કરનાર એવા મને રાજા વિવિધ જાતના કેવા કેવા વધથી હેરાન કરીને મારશે, તે કાંઈ જાણવામાં આવતું નથી, માટે આ વડની શાખા ઉપર મારા શરીરને પાલવડે બાંધી કઈ ધણી શિવાય રક્ષણ વગરના મારા પ્રાણને હું ત્યાગ કરી દઉં.” આ પ્રમાણે ચિંતવી અવિચારી, બુદ્ધિવગરના તે ખેડુતે ગળે ફાંસે નાખ્યો. ત્યાં ભાર લાગવાથી ફાંસાનું વસ્ત્ર તુટી ગયું, તેથી નીચે સુતેલા કેઇ નટની ઉપર તે પડ્યો અને તેથી તે નટ દબાઈને મૃત્યુ પામ્યો. એટલે તત્કાળ તે બીજા ઉગ્રનટએ તે શરણુરહિત, નિંદનીય કામ કરનાર અને બંધુ વગરના ખેડુતને બાંધી લીધે. પ્રાતઃકાળ થયો એટલે પવન જેમ આકડાના રૂને લઈ જાય, તેમ તે વિનીત એવા પણ ખેડુતને બળાત્કારે તેઓ રાજાની સભામાં લઈ ગયા. તે વખતે બધાએ મળીને તિપિતાની પ્રખ્યાત બનેલી હકીકત જણાવી, ત્યારે તેમને વાદ દૂર કરવા માટે રાજાએ મંત્રી અજિતસેનની સામે જોયું. એટલે દુઃખી જનના આધારરૂપ, દયાળુ, પરની પીડાને છેદનારા, વિચારવાળા અને સદાચારી એવા અજિતસેને આ પ્રમાણે ચિંતવ્યું, “જેમ કાગડાઓ અંધ બનેલા એવા ઘુડપક્ષીને પજવે, તેમ અજ્ઞાનરૂપ અંધકારથી અંધ બનેલા આ બીચારા ગરીબ ખેડુતને આ ઘણું લોકે પજવે છે, એ નકકી છે. દીનવદનવાળા, પાપની શરમના સ્થાનરૂપ અને ક્ષુધાથી દુર્બળ પિટવાળા આ માણસની રક્ષા હું હમણાંજ મારી બુદ્ધિથી કરું.” આવું વિચારી તેણે પ્રથમ પિલા બળદના ધણીને પૂછયું. “તેં તારા તે બંને બળદો દૃષ્ટિથી જોયા હતા કે નહીં?” તેણે કહ્યું, “હા, મેં દૃષ્ટિથી જોયા હતા.” અજિતસેને કહ્યું, “ત્યારે તું તેને દષ્ટિ આપી તારા બંને બળદ લઈજા.” પેલા ઘોડાવાળાને પુછ્યું કે, “તે આ ખેડુતને “ઘોડાને માર્ય” એમ કહ્યું હતું કે નહીં?” તેણે હા કહી એટલે કહ્યું કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy