SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ શ્રી વિમલનાથ ચરિત્ર. વાળી થઈ અને ધર્મ કરી થોડા જ દિવસે તેની પાછળ મૃત્યુ પામી. જ્યારે ભક્તા દીર્ઘનિદ્રાને પામે છે, ત્યારે નિત્યતાથી ભ્રષ્ટ થયેલી અર્થાત્ અનિત્ય થયેલી શ્ર પરલોકને જલદી પામે, એ સ્ત્રીઓને સ્વભાવજ છે. ત્યારથી કુમાર અજિતસેન પણ આ સંસારની અસારતા જાણી હંમેશાં જૈનધર્મમાં તત્પર રહી પરમ શ્રાવક બન્યું. આ સમયે રાજા અરિદમનના મનમાં વિચાર આવ્યું કે, આ નગરમાં જે પુરૂષ બુદ્ધિમાન હોય, “તેને હું મારો મુખ્ય મંત્રી બનાવું.” આવું વિચારી તેણે તેવા પુરૂષની પરીક્ષા કરવા ચૌટાની વચ્ચે એકમટે ગાઁદ્ર બાંધી આખા શહેરમાં આ પ્રમાણે આઘાષણ કરાવી. કે “જે કોઈ ઉત્તમ પુરૂષ આ ગજેંદ્રને તળી તેનું માપ સત્વર કરી દે, તે પુરૂષની ઉપર રાજા પિતાના રાજ્યની ચિંતા માનપુર્વક આરેપણ કરશે અર્થાત તેને પિતાને મહાન મંત્રી બનાવશે.” આવી ઊષણનો પટહ કેઈએ સ્પ નહીં, તેવામાં સ્પષ્ટ બુદ્ધિવાળા અજિતસેને આદરથી તે ગજેનું માપ કરવા કબુલ કર્યું અને પટને સ્પર્શ કર્યો. પછી તેણે તે હાથીને વહાણ ઉપર ચડાવી જલની બાહેર રેખા કરી. પછી ગજેંદ્રને વહાણ ઊપરથી ઉતારી લીધો અને તે વહાણમાં પાષાણો મૂકયા. પેલી જળમાં કરેલી રેખા પ્રમાણે વહાણ બુઢ્યું, એટલે તે પાષાણો લઈ લીધા અને તેઓનો તોલ કરી તે ઉપરથી ગજેનું માપ કાઢયું અને તે રાજાની આગળ જાહેર કર્યું. તેથી સંતોષ પામી રાજાએ તે અજિતસેનને પિતાને મુખ્ય મંત્રી બનાવ્યો. રાજાએ, સદ્ય ફલ આપવાથી દેવતાઓ કરતાં પણ અધિક લેખાય છે. કુમાર અજિતસેન મંત્રીશ્વરના બુદ્ધિબળથી રાજા અરિદમને ઘણા અહિ-શરુઓનું દમન કરી રાજાઓના સમૂહમાં પ્રતાપવડે પિતાનું અરિદમન એ નામ સાર્થક કર્યું. આ અરસામાં તે દેશની અંદર કઈગામમાં કોઈ એક દુર્બળ ખેડુત રહેતો હતો. તે શ્રીમંતોના આશ્રયથી પિતાની આજીવિકા ચલાવતો. એક વખતે તે ખેડુત કેઈની પાસેથી બે સારા બળદે લઈ લાબો વખત ખેતર ખેડીને સંધ્યાકાળે પોતાને ઘેર આવ્યો. તે બળદેએ ભભરવા માંડયું, એટલે તેમને પેલા તેમના ધનવાન ધણીને ઘેર તે લઈ ગયે. તે વખતે તે ધનવાન કેઈ કામમાં વ્યગ્ર થઈને લાગેલો જોવામાં આવ્યું, એટલે તે ખેડુતે તેને બંને બળદે સોંપ્યા નહીં. તે ખેડુતના પાપના સમુહથી તેજ રાત્રે ચેરેએ આવી તે બંને ધોળા બળદે હરી લીધા. પૂર્વના સત્કર્મથી રહિત એવા તે ખેડૂતને પિલા ધનવાન પુરૂષે આવી બળદેને માટે પકડ, તેમાં મોટો કજીયે થયે, એટલે તે ગરીબ ૧ શ્રી-લમી જ્યારે તેને ભોક્તા દીર્ધનિકા-અતિ પ્રમાદ-આળસને દશ થાય છે ત્યારે તે અનિત્ય-અરિથર હતી પરલોક-અન્યજનને પ્રાપ્ત થાય છે. શ્રીદેવીપક્ષે દીર્ઘનિદ્રા-મૃત્યુ પરલેકસ્વર્ગાદિ સ્ત્રી પણ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy