________________
શીલવત ઉપર શીલવતીની કથા. કર્યા. “જે ગામમાં આપણ બંનેને ભેજન વિગેરેની બધી સામગ્રી મળી, તે ગામને ઉજડ કેમ કહી શકાય? જે ઘાયલ થયેલા પુરૂષને તમે શેર કહ્યા હતા, તે પુરૂષ કુટાએલે હતો. કારણકે જે પુરૂષ ભયથી પલાયન કરે છે, તેવા સત્વહીન પુરૂષના પૃષ્ટ ઉપર પ્રહારે લાગે છે. તેથી તે પુરૂષ કુહિત-કટાએલો કહેવાય છે. જે નગરને મેં ઉજડ કહ્યું હતું, તેનું કારણ તે નગરમાં રવજને ન હોવાનું હતું. જ્યાં કઈ રવજન ન હોય,
ત્યાં વાસ કરે ન જોઈએ. તમે વૃક્ષ નીચે રહ્યા હતા, પણ ડાહ્યા પુરૂષે રાત્રે વૃક્ષ નીચે રહેવું ન જોઈએ. કારણકે, ત્યાં રહેનારા માણસોને પ્રાયે સર્પ અને ચાર વિગેરેનો ભય ઉત્પન્ન થાય છે. પેલા ખેડુતના સંબંધમાં એવું હતું કે, જે ખેડુત વધારો આપવાના ઠરાવથી ધાન્ય લઈને ખેતરમાં વાવે, તો તેનું ખેતર ભક્ષિત થઈ ગયેલું સમજવું. તેમાંથી કાંઈ ધાન્ય ઉત્પન્ન થયેલું માનવું નહિ. પિલી નદીમાં મેં મારી પાદુકા પગમાંઉતારી ન હતી, તેનું કારણ એ હતું કે, નદીમાં પગને પીડે તેના કાંટા તથા કાંકરા રહેલા હોય છે.” વધૂ શીલવતીના આ ખુલાસા સાંભળી વિદ્વાન રત્નાકર શેઠે આ પ્રમાણે ચિંતવ્યું કે, “વધૂ સામાન્ય નથી, પણ માન આપવાને યોગ્ય છે. અને જાણે કોઈ જુદીજ (વિલક્ષણ ગુણવાળી) થઈ ગઈ હોય તેમ મને ખાત્રી પૂર્વક લાગે છે.” પછી તે ગેડ ઘરે આવ્યા ત્યાં શીલવતીએ તેને પિલા અલંકાર બતાવ્યા. તે અંલકારો સોનાના જોઈ રનાકર શેઠ મધુર અક્ષરે બોલે, “વત્સ, ચકવતીને ગંગાનદીની જેમ તું મને સ્વચ્છતાથી પવિત્ર કરનારી અને નવનિધિને આપનારી થઈ છું, પણ તે ગંગાનદી જડ (લ) વાળી છે અને તું જડ રહિત છે, એટલું તારામાં વિશેષ છે. “સુમનસુથી ભીતી એવી તું મારા ઘરમાં કલ્પવઠ્ઠીની જેમ સદા સત્વર ફળ આપનારી થઈ. હવે તું સારા સ્થાનમાં સ્થિર થઈને રહે. હે નિર્દોષ વધૂ, અવિચારી કામ કરનારા મેં ઉસુકતાને વશ થઈ જે કાંઈ તારી વિરૂદ્ધ કર્યું છે. તે ક્ષમા કરજે.” પછી રત્નાકર શેઠે પિતાની સ્ત્રી અને અજિતસેન પુત્રની આગળ રસ્તામાં જે વૃત્તાંત બનેલો તે કહી સંભળાવ્યું, તે સાંભળી તેઓ બંને પોતાના હૃદયમાં પરમ આનંદ પામ્યા, વધૂના ગુણથી મનમાં રાજી થયેલા તે સાસૂ સસરાએ દ્રવ્યના ભંડારને આપનારી શાલવતીને ઘરની મુખ્ય નાયિકા કરી. તે દ્રાક્ષાની જેમ કમળ, રસવાળો, તાપને વારનારી, રવચ્છ અને લઘુ છતાં પણ લેકેને સદા રવરતા આપનારી થઈ પડી. તે પછી કેટલેક દિવસે રત્નાકર શેઠ પિતાનું આયુષ્ય પૂર્ણ કરી વિધિથી અનશન લઈ, ક્ષામણ કરવામાં આદરવંત છત પંચનમસ્કાર પ્રીતિવાળો થઈ, દેવ તથા ગુરૂનું સ્મરણ કરતો, અને ત્રચ્ચાર કરવામાં સાવધાન છતો પરમશાંત થઈ સ્વર્ગે ગો. પતિના વિયોગથી વિધુર થયેલી શ્રીદેવી વિશેષ શ્રેષ્ઠ આચાર
૧ સુમનસ-સારા મનનથી અને કલ્પલતા પક્ષેપુપોથી. ૨ વાલા લઘુ-નાની અને શીલવતી પણ ઘરમાં સર્વથી નાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org