SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શીલવત ઉપર શીલવતીની કથા અને તેમનામાંથી કામદેવ ઉત્પન્ન થાય છે. ત્રિશૂલને ધારણ કરનાર શંકરે પોતાના જટાજૂ માં ગંગાને કબજામાં રાખી છે, પણ તે વિષ્ણુના ચરણમાં જાય છે તેનું કારણ તે સ્વભાવથી નિનગા-નીચી તરફ જનારી છે. બ્રહ્માએ લમીનું સ્થાન કમળ બનાવ્યું અને તે કમળ એક સ્તંભવાળા જળના કિલામાં રાખ્યું અને પિતાના (ચાર મુખવડે ) તેની રક્ષા કરી, તોપણ તે લક્ષ્મી રાત્રે કમળને છોડી બીજે ચાલી જાય છે. તેથી ડાહ્યા પુરૂષ પણ જે સ્ત્રી ચંચળ હોય તેની રક્ષા શી રીતે કરી શકે ?” શી લવતીનાં આ વચનો સાંભળી અજિતસેન બોલે “પ્રિયે, તે જે હિત કરનારી મહાસતીઓ કહી, તેઓની સાથે બીજી સ્ત્રીઓ સ્પધી કરે, તો તે માનની લાનિને જ પામે તે નક્કી સમજવું. સુખ પ્રાપ્ત થતાં ચડી પણ સુવર્ણ સાથે તુલનાને પામે છે, પરંતુ જે તે અગ્નિને સંતાપ પ્રાપ્ત કરે, તો તે ભસ્મ થઈ જાય.” શીલવતી બોલી, “હે સ્વામી, તમે જે કહ્યું, તે ઉપમાન છે, પણ જે તેને ઉપમેય સાથે તપાવીએ તો તે અમાન કહેવાય છે. એક તો મારા પિતાએ મને આપેલ છે અને બીજી તમે મને આપેલ છે. એ રીતે અમૂલ્ય રત્નનો ગ થવાથી મારામાં બે રીતે સુવર્ણતા રહેલી છે. જે વિષગર્ભા છે. જેનું મુખ કાળું છે, બીજે બધે જેનામાં રક્તતા છે અને જાયરક્ષાને માટે વા–નરોની સાથે જેની સંગતિ છે, તેવી ચઠી મારી સમાન હોઈ શકે નહીં. અથાત્ મને ચઠીની ઉપમા ઘટે નહીં. જેમ શેષનાગની ફણામાંથી રત્ન લેવાને સમર્થ કેણ છે? તેમ મારા અંગને સ્પર્શ કરવાને સમર્થ કોણ છે? લક્ષમીના લાભવાળા અને સુખ સમૃદ્ધિને અનુભવતા એવા તમારે એ વિષે શરીરને સદા પીડા આપનારી ફિકર કરવી નહીં. હે વિભુ પુરૂષ એવા તમને જે મારી વાણી ઉપર વિશ્વાસ આવતો ન હોય; તો આ એક વિશાળ પુષ્પમાળા ગ્રહણ કરે. જે સસૂત્ર અને સુમન ને આશ્રિત એવું મારું શીલ પ્લાનિ વગરનું—અખંડિત રહેશે, તે આ માળા પણ ગ્લાનિ ૧ અમાન-માન રહિત અથવા અપ્રમાણ. ૨ સુવર્ણ સારવર્ણ– રંગ અથવા ઊંચી જાત. કહેવાને અશય એ છે કે, હું પિતા તરફથી પણ સારા વર્ણ-ચા કુળવાળી છું અને તમારા તરફથી પણ સારા કુળવાળી છું. તે બંને રીતે મારામાં સુવર્ણતા છે. પક્ષે સુવર્ણ–સોના પણું છે. તે અમૂલ્ય રત્નની યુકિતથી એટલે અમુલ્ય રત્નરૂપ એવાં તમારી સાથે જોડાવાથી મારી સુવર્ણતા સાર્થક થઈ છે. રત્નની સાથે સુવર્ણ જડાય છે. ૩ ચણોઠી-વિષગર્ભા–અંદર ઝેરવાળી છે. તેનું મુખ કાળું છે અને બીજે બધે રાતી હોય છે, વાનર-વાંદરાએ જાય રક્ષા-ટાઢમાંથી પોતાનું રક્ષણ કરવાને તેને અગ્નિરૂપ ધારી તેની પાસે તાપવા આવે છે, પક્ષે જે સ્ત્રી અંદર હદયમાં વિષગર્ભા-ઝેરના જેવી, કાળું મોટું કરનારી અને બીજા નરની ઉપર રક્ત થઈ પિતાની જડતા રાખવાને સંગતિ કરનારી છે, તેવી સ્ત્રીના જેવી હું નથી. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy