________________
૮૨
શ્રાવિમળનાથ ચરિત્ર, કરતે, ગૃહસ્થના બાર વ્રતોને અને બીજા ઉગ્ર નિયમોને પાળતો (તે રત્નાકરશેઠ ) ખરેખર ઉત્તમ શ્રાવક બની ગયે.
એક વખતે રાત્રે કુટુંબ બધું પિતપતના કામમાં અતિશય લાગેલું, તે વખતે શીલવતી મધ્યરાત્રે એક ઘડે લઈ કોઈ ઠેકાણે ચાલી ગઈ. ઘણું વેળા સુધી બહેર રહી તે પાછી પિતાને ઘેર આવી. તે કાળે જાગ્રત થયેલા અને બાહેર દષ્ટિ કરનારા રત્નાકર શેઠના તે જોવામાં આવી. તેને જોતાં જ તેણે વિચાર્યું કે, “આ વધૂ કુશીલા–દુરાચારી લાગે છે, માટે તેણીને હવેથી ઘરમાં રાખવી એગ્ય નથી. કારણકે, કહ્યું છે કે, “કુળને માટે એકને ત્યાગ કરે, ગામને અર્થે કુળને ત્યાગ કરે, દેશની ખાતર ગામનો ત્યાગ કરે અને પિતાની ખાતર પૃથ્વીને ત્યાગ કરે.” તેમ વળી આવી હલકી વાત બીજાની આગળ પણ કહિ શકાય નહીં. તેને માટે પ્રાચીન કવિઓએ કહ્યું છે કે, “દ્રવ્યની નુકશાની, હૃદયને પરિતાપ, ઘરમાં બનેલાં નઠારાં આચરણ, વંચના-છેતરાણ અને અપમાન, એટલાં વાનાં બુદ્ધિમાન પુરૂષે પ્રગટ કરવાં નહીં. ” હવે આ વૃત્તાંત પુત્રને જણાવી હું તેણીને ઘરમાંથી બાહેર કઢાવું.” આ પ્રમાણે વિચારી રત્નાકર શેઠે રાત્રિને બધે વૃત્તાંત પુત્રને જણાવ્યું. તે સાંભળી શ્રેષ્ઠિપુત્રે આ પ્રમાણે વિચાર્યું, “જે આ પૃથ્વી ઉપર ચંદ્રની કળામાંથી અંગારાની વૃદ્ધિ થાય, અમૃતમાંથી ઉગ્ર ઝેર ઊત્પન્ન થાય. પશ્ચિમ દિશામાં સૂર્યનો ઉદય થાય, સમુદ્ર મર્યાદા મૂકે અને કુલપર્વની શ્રેણિ ચલિત થાય તે આ શીલવતી કુશીલ બને. પરંતુ ગુરૂની જેમ આ પિતાનું વચન અમેય (અકળ-ન કળી શકાય એવું) અને ઉલ્લંઘન કરી ન શકાય એવું છે, તેથી હાલ મારે મન રાખીને રહેવું યુક્ત છે. જે હું આ સ્ત્રીને પક્ષપાત કરીશ, તે મારા પિતા લજજાને ધારણ કરનારા એવા મને સ્ત્રીના મુખને જેના અર્થાત્ તેણીને વશ થઈ ગયેલે (બાચલો) જાણશે. જેમ શીલસેવનથી સુમનસૂ-પુને લાનિ થાય છે, પરંતુ સુમનસ–દેવતાઓને ગ્લાનિ થતી નથી. તેવી રીતે સુમનસ-સારા મનવાળા મનુષ્યોને પણ શીલથી કયાં ગ્લાનિ થતી નથી જ. સુવણને જેમ તપાવે તાપ આપે, તો પણ તે પિતાના વાનને સત્વર આશ્રય કરે છે, તેમ સુવર્ણ-સારા વર્ણ—કુળમાં ઉત્પન્ન થયેલે મનુષ્ય સંસારમાં કષ્ટ-તાપ પામ્યું છતે પિતાના ક્ષમારૂપી સ્વરૂપને પ્રાપ્ત થાય છે. ” આવું વિચારીને કુમાર અજિતસેન માન ધરીને રહ્યા. પછી રત્નાકર શેઠ બાહેર ગયે, અને ઘણીવારે બાહેરથી આવી તેણે પિતાની સ્ત્રીને આ પ્રમાણે કહ્યું,-“પ્રિયે, આજે કૃતાંગલા નગરીથી એક માણસ આવ્યા છે, તેણે મને એક દુઃશ્રવ સંદેશે કહ્યા” સ્ત્રીએ કહ્યું, “એ કે સંદેશ છે?” ત્યારે રત્નાકર શેઠે કહ્યું કે, “જિનદત્ત શેઠને શરીરે મંદવાડ છે અને તેણે પિતાની પુત્રી શીવતીને બોલાવી છે. ” સ્ત્રીએ કહ્યું, “ભલે ત્યારે તેમ કરો.” તે ઉપરથી રત્નાકર શેઠ પુત્રવધૂ શીલવતીને લઈ રાત્રે ચાલ્યા. શીલવતી તે કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org