________________
શીલવત ઉપર શીલવતીની કથા. તે યુક્ત નથી. ” શેઠના કહેવા ઉપરથી તેણે જિનશેખરને બોલાવ્યો. એટલે તે ઘરમાં - આવ્યો અને યોગ્ય વિનય કરી સારે રથાને બેઠે. રત્નાકર શેઠે હૃદયમાં આનંદ પામી તેને આસન આપવા વિગેરેનું માન આપી જિનદત્ત શેઠના ઘરની કુશળતા પુછી. જિનશેખરે તે બધું કહ્યા પછી પિતાના પિતાએ કહેલી અને માનેલી વિવાહ સંબંધની વાત નિવેદન કરી. તે સાંભળી તરત રત્નાકર શેઠે પોતાના સ્વજનવર્ગને એકઠો કરી તેની સાથે તે વિવાહ સંબંધી વિચાર કર્યો. પછી સર્વની સંમતિ મેળવ્યા બાદ તેણે જોષીને બોલાવી અને જન્મપત્રી બતાવી તે બંને વરકન્યાના લગ્ન લીધા. સારા ચારિત્રવાળો શ્રેષ્ઠિપુત્ર જિનશેખર પછી પોતાના નગરમાં ગયા અને તે શ્રેષ્ઠ હૃદયવાળા પુત્રે તે બધો વૃત્તાંત પિતાના પિતાને કહી સંભળાવ્યું. તેનું કહેલું આદરથી સ્પષ્ટ રીતે સાંભળી જિનદત્તશેઠે
વ્યગ્ર મને (ઉતાવળે) વિવાહની સર્વ સામગ્રી તૈયાર કરી દીધી. જ્યારે લગ્નને દિવસ નજીક આવ્યો, એટલે રત્નાકર શેઠ જિનદત્ત શેઠના નગરમાં (જાન લઈને) આવ્યો. સ્વજનોની સાથે વિવાહના સર્વ કામ હર્ષપૂર્વક થયાં. લેકમાં વિવાહનો પ્રસંગ હંમેશાં આનંઢ સહિતજ વર્ણવાય છે. પછી રત્નાકર શેઠે, જિનદત્તશેઠે આપેલી અમૃતમાંથી થયેલી લક્ષ્મી (પહેરામણી) ગ્રહણ કરી, તથાપિ તે કળિથી રહિત થયો એ આશ્ચયની વાત છે. એવી રીતે પિતાના પુત્રને હર્ષ સહિત વિવાહ કરી રત્નાકરશેઠ પોતાના નગરમાં આવ્યું. અને શુભ દિવસે પુત્રને ગૃહપ્રવેશ કરાવ્યું. કુમાર અજિતસેન તે શીલવતી વધુની સાથે રહી પૃથ્વીમાં વિષ્ણુની જેમ શેષભેગીથી યુક્ત થઈ રત્નાકરના સ્થાનમાં ગ, તે તેને સર્વથા ઘટે છે.
પછી રત્નાકરશેઠ પિતાના પુત્ર અજિતસેન ઉપર ઘરના બધા વ્યાપારનો ભાર મૂકી પિતે નીતિને આશ્રય કરી મનમાં નિશ્ચય રાખી શ્રી જૈનધર્મ આચરવામાં તત્પર બની ગ. તે એકચિત્તે શ્રી જિનભગવાનનું ધ્યાન કરતો, બે વખત આવશ્યક (પ્રતિકમણ) ક્રિયા કરતો, ત્રિકાળ જિનપૂજા કરતે, ચતુર્વિધ ધર્મને આચરતે, પાંચ પ્રકારના શુદ્ધ આચ રને પાળતો, કાયજીની રક્ષા કરતો, સારા દ્રવ્યરૂપી જળના પુરથી સાત ક્ષેત્રને પુર, આઠ પ્રકારના મદનો સંસર્ગ છેડતે. નવ તત્વનો જ્ઞાતા થ, દશ પ્રકારના યતિધર્મ ઉપર શ્રદ્ધા રાખતે, ચિત્તને સમાધિમાં રાખ, શ્રાવકની અગીયાર પ્રતીમાને વહન - ૧ લક્ષ્મી અમૃતમાંથી ઉત્પન્ન થયેલી કહેવાય છે. પણ જ્યાં લમી હોય, ત્યાં કલિ-કલહ ઉત્પન્ન થાય છે. પણ અહિં રત્નાકરડે પહેરામણીની લમી લીધી, તો પણ તે કલહથી રહિત હતા.
૨ વિષ્ણુ-શેષ ભોગી-શેષનાગથી યુક્ત થઈ રત્નાકર-સમુદ્રના સ્થાનમાં રહેલા છે કુમાર અજિતસેન શેપભોગી-અવશેષ ભાગવાળા પુરથી અથવા પદાર્થોથી યુક્ત થઈ રત્નાકરશેડના ઘરમાં રહે છે. તે સર્વ રીતે ઘટે છે.
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org