SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિમળનાથ ચરિત્ર, પુત્રનું પાણિગ્રહણ કરી, હર્ષિત થઈ તમારા સંતાપને દૂર કરશે.” “તે રત્નાકર શેઠ કેણ છે? અને તેને પ્રખ્યાત પુત્ર કે છે?” આ પ્રમાણે જિનદત્તના પુછવાથી મેં તેની આગળ બધે વૃત્તાંત યથાર્થ રીતે નિવેદન કર્યો. ૧ધિસ્યના મધ્યભાગે રહેલી, સદ્વિતીય અને સ્થિર એવી આ કન્યા તે રત્નાકરના પુત્રની સાથે મળીને તમને સિદ્ધિકેગ કેરે.” મારા આ વચન સાંભળી તત્વબુદ્ધિની સંપત્તિઓના ભંડારરૂપ એ તે જિનદત્ત શેઠ આદરથી પિતાના હૃદયમાં તે શુભ પરિણામને આ પ્રમાણે વિચાર કરવા લાગે, “ એ રત્નાકર શેઠને નિવાસ શહેરમાં છે, તેનું કુળ નિર્મળ છે, તેની પાસે દ્રવ્ય ઘણું છે, તેનું હદય ઉત્તમ વિચારે કરવામાં ચતુર છે પિતાની સ્ત્રી તરફ તેની ઉદારતા છે, તેનામાં સંતેષ, ઉત્કૃષ્ટ, દયા અને પરોપકારિપણું રહેલું છે અને તેને વ્યવહાર શુદ્ધ છે. વળી તેને કુમાર અજિતસેન યુવાન, સારી ઇદ્રિવાળે, અતિ ચતુર, વિવેકી, સ્વભાવે સુશીલ, માતાપિતાવાળ, શ્રીમાન, દેહના દૂષણેથી રહિત, વિદ્યા તથા વિનયથી સંપન્ન, નીતિજ્ઞ અને બે રીતે સકળ શાસ્ત્રમાં જે વરના ઉચ્ચ લક્ષણે કહ્યાં છે, તે વડે યુક્ત, શ્રેષ્ઠ અને તે કામદેવના જેવા રૂપવાળો છે, એમ સાંભળવામાં આવે છે. કારણ કે કહ્યું છે કે, જેને સારું શરીર શીલ, કુળ, દ્રવ્ય, વય અને વિદ્યા હોય અને જે રસનાથ હોય, તેને કન્યા આપવી, અને જે મૂખ, નિર્ધન, દર દેશમાં રહેનાર, (લ ), મેક્ષની ઈચ્છાવાળે, અને કન્યા કરતાં ત્રણ ગણું વધારે વર્ષની વય હાય, તેવા વરને કન્યા આપવી નહિં.” આ પ્રમાણે હૃદયમાં ચિંતવી જિનદત્ત શેઠે મને વિનયથી કહ્યું, “ભદ્ર, તેં મને દુસ્તાર એવા ચિંતાના સાગરમાંથી સત્વર પાર ઊતારી દીધો છે. હવે તું મારા પુત્ર જિનશેખરને તે વિવાહ સંબંધ જોડવા માટે સાથે લઈ અવિલંબે તારા નગરમાં જા.” પછી હું તે જિનશેખરને સાથે લઈ અહિં આવ્યો છું. હવે જે આજ્ઞા હોય તે કહે ” રત્નાકર શેઠ તેના આ વચન સાંભળી હર્ષિત થઈ આ પ્રમાણે બોલે, “આ પૃથ્વીમાં તારા જેવા વણિકપુત્રે સારે ભાગ્યેજ મળી આવે છે. તેને એક કાર્ય કરવા માટે મોકલ્યો હતો. તેમાં તું અનેક કાર્યો કરી આવ્યો. હવે તારી સાથે આવેલા તે જગતના મિત્ર જેવા શેઠના પુત્ર જિનશેખરને સત્વર અહિં લાવ. વિવાહના કામમાં વિલંબ કરો ૧ રોહિણી નક્ષત્ર ધિણ્ય-નક્ષત્રના મધ્યભાગે રહેલ છે અને તે સ્થિર સ્વભાવી છે તે સદ્વિતીય-દ્વિતીયા–બીજને દિવસે આવે તે સિદ્ધિયોગ થાય છે. કન્યાપક્ષે તે ધિષ્ય-ગૃહના મધ્યભાગે રહેલ છે અને સ્થિર એટલે દરેક પ્રકૃતિવાળી છે, તે અજિતસેનની સાથે મળ-વિવાહિત થાય છે તે સદ્વિતીય-જોડી બની છનદત્તશેડના કાર્યની સિદ્ધિ યોગ ઉત્પન્ન કરે. ૧ એક રીતે સકલ-કલા સહિત અને બીજી રીતે સકળ-સર્વ પ્રકારે પરિપૂર્ણ. ૨ સનાથમાથે ઘણીવાળે. અહિં માતાપિતાવાળો એમ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy