________________
શીલવ્રત ઉપર શીલવતીની કથા.
-
કે, “ હવે આ પૃથ્વી ઉપર પુત્રને ચેાગ્ય એવી કેાઇ ધન્ય કન્યા મળવી જોઇએ. જેણીનું - શીળ જાગ્રત હાય, સદાચારવડે અતુલ એવુ કુલ હાય ચાગ્યરૂપ હાય, ધર્માંકમ માં તત્પરતાં હોય, વય તથા વિદ્યાના ચાળ હોય, શરીરનું માન ગુણેાનુ સ્થાનરૂપ હોય, લજા અને વિનયથી નમ્રતા હોય અને વિષદ્વેષ વિગેરેના ત્યાગ હાય, તેવી કન્યા જો મળે તે તેણીની સાથે વિવાહ કરવા ઉત્તમ છે. નહીં તેા નિશ્ચે મારા પુત્રના અને ભવ બગડી જાય તેથી આ પુત્રને માટે મારે નીતિપૂર્વક તેવી સદ્ગુણી કન્યા કોઇ સ્થળેથી શોધી કાઢવી જોઈએ. v રત્નાકર શેઠ આ પ્રમાણે વિચાર કરતા હતા, તેવામાં એક વિણકના પુત્ર ત્યાં આવી ચડયા. તેણે આ પ્રમાણે કહ્યું. ‘ શેઠજી, આપની આજ્ઞાથી હું... કૃતાંગલા નામની નગરીમાં ગયા હતા ત્યાં હુ સ્થિર હૃદયે વેપાર કરતા રહ્યા હતા તેવામાં તે સ્થળે જિનદત્ત નામના એક વેપારીની સાથે મારે વેપાર કરવાના પ્રસંગ આવ્યે, તેથી કેઇવાર તેણે મને લેાજન કરવાનુ આમ ત્રણ કર્યું" હું તેના ઘેર ગયા. ત્યાં એક દિવ્યરૂપવાળી ઉત્તમ કન્યા મારા જોવામાં આવી. તેણીને જોઇ મેં તે શેઠને પૂછ્યું કે, “ આ કેાની પુત્રી છે અને તેણીનુ શુ નામ છે ? ” તે શેઠ મેલ્યા, “ આ કન્યા મારી પુત્રી છે. તે સવ લક્ષણેાથી યુકત છે. પીંગળ, વ્યાકરણ, સાહિત્ય, અને અલંકાર વિગેરેમાં તે ઘણી પ્રવીણ છે. ક્ષેત્રસમાસમાં કહેલાં ક્ષેત્ર. સંગ્રહિણીને સંગ્રહ, કર્મોની પ્રકૃતિના સ્વરૂપ અને બીજાં તેને લગતાં શાસ્ત્રાએ જાણે છે. તે ઊપરાંત નિમિત્તજ્ઞાન અને લેાકેાએ માનેલી લિખનથી માંડીને પક્ષીએના શબ્દો એલખવા સુધીની કલા એ જાણે છે. એ કુમારી સરસ્વતીની જેમ હાથમાં પુસ્તક ધરનારી સદા કમળહસ્તા અને વિચાર કરવામાં ચતુર હૃદયવાળી છે. એનુ નામ શીલવતી અને એ અથી પણ શીલવતી સતી છે, પરંતુ આ પૃથ્વી ઉપર એને ચેાગ્ય એવા કોઇ વર મારા જોવામાં આવતા નથી, તેથી મારા હૃદયમાં ચિંતારૂપી ચિતા હુંમેશાં અળ્યા કરે છે, તેના સંતાપથી તપ્ત થયેલા હું હૃદયમાં શાંતિ મેળવી શકતા નથી. ”
""
**
તે જિનદત્તના આવાં વચન સાંભળી મેં હૃદયમાં દયા લાવી આ પ્રમાણે કહ્યું, હે ચતુર શેઠજી, જો બાહુબંધ આભૂષણ હોય, તે પછી હાથના આભૂષણની શી ચિંતા હોય ? તે કહે. ૨ કૌમુદીની જેમ સિતાંશુકા એવી આ પુત્રી રત્નાકર શેઠના
૧ સરસ્વતી હસ્તકમળ-હાથમાં કમળ રાખનારી છે અને આ કુમારી કમળના જેવા કામળ હાથવાળી છે. ૨ કામુદી-ચંદ્રકાંતિ સિતાંશુકા-સિત-ઉજ્વળ-અશુ-કિરણાવાળો હાઇ મનુષ્યના તાપને પોતાની શીતળતાથી ટાળે છે. કન્યાપક્ષે સિત–ઉજવળ-અશુક-વસ્ત્રને ધરનારી અને ચિંતાના સ ંતાપને ટાળનારી થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org