SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ શ્રી વિમલનાથ ચરિત્ર, ની ઉત્પત્તિના સ્થાનરૂપ સુર તથા અસુરએ તવેલા, સદા ઉપદ્રને નાશ કરનાર, સદા હસતે મુખે રહેનારા, ચંદ્ર જેવા મુખવાલા, ધર્મની દેશના આપવામાં સન્મુખ રહેનારા, કામદેવને દવંસ કરનારા, અરૂણોદય જેવા રકત નખવાલા, વાણી બેલવામાં દુર્મુખ એવા વાદીઓનો નિરોધ કરનારા, સ્યાદ્વાદીઓમાં પ્રમુખ, સર્વદા ઇંદ્રિયને જીતનારા, દેવતાઓ જેની પાસે અત્યંત નમ્રતા કરે છે, તથા કેશરીસિંહની પાસે ભે ચાટે છે એવા અને યમ તથા વિષમ સ્થિતિવાળા સુખીદુઃખી સહના મિત્રરૂપ એવા ' શ્રીજિનેંન્દ્ર ભગવાનને હું સુખે સેવું છું.” ( આ પ્રમાણે શ્રી જિનેશ્વરની સ્તુતિ કરી અને તેવી જ રીતે યક્ષિણી અજિતબલાની પણ સ્તુતિ કરી રત્નાકર શેઠ બે હાથ જો તે દેવીની આગળ આ પ્રમાણે હર્ષથી બે, “હે દેવિ, જે તમારા પ્રસાદથી મારે ઘેર પુત્રની ઊત્પત્તિ થશે તે હું મારા મુખથી તે પુત્રનું સુંદર નામ તમારે નામે પાડીશ. તેમ વળી હે કૃપાવતિ, તમારે એક નવીન પ્રાસાદ કરાવીશ અને તેની અંદર હંમેશાં પુષ્પ વગેરેથી તમારી વિવિધ પ્રકારની પૂજા કરીશ, તમારે પ્રાસાદ કરવાથી તમારી ગુરૂતા (માહાસ્ય) સર્વ સ્થળે વધશે. નહીં તો પ્રભાવવગરના અમારા બંનેની સાથે તમારે પ્રભાવ પણ-હીન ગણશે.” એમ કરતાં જિન પ્રજાના પ્રભાવથી અને તે દેવીના અનુભાવથી તે રત્નાકર શેઠને ઘેર થોડા જ સમયમાં શુભદિવસે પુત્રને જન્મ થયો. તે સુખશાળી શેઠે પુત્ર જન્મને ઉત્સવ કર્યો અને દાન તથા સન્માનપૂર્વક પિતાના કુલને આચાર પણ કર્યો. તે પછી જ્યારે તે પુત્રને હર્ષના સ્થાનરૂપ એ એક માસ થયે એટલે તે પુત્રને લઈ તેણે સરળ હૃદય- . થી દેવીનું સુંદર વર્ધાપન (વધામણું) કર્યું. ભગવાન જીનેશ્વર અને દેવીની પૂજા કરી તથા સ્વજનવગને સંતોષી શેઠે પોતાના પુત્રનું નામ અજિતસેન પાડયું. હર્ષને ઉત્કર્ષને ધારણ કરનારા તેણે પિતાના દ્રવ્યને ખર્ચ કરી એક પ્રાસાદ કરાવ્યું અને તેમાં તે શેઠ હંમેશાં વિધિથી પૂજા કરવા લાગ્યો. ધાવ્યમાતાઓથી પાલન કરાત અને સર્વ જનાથી લાલન કરાતે પુત્ર અજિતસેન મહાન ભાગ્યવાનું થઈ માતાપિતાના મનોરથની સાથે વધવા લાગ્યો. જેમ શુકલ પક્ષને ચંદ્ર નવીન કલા ગ્રહણ કરે, તેમને કાકપક્ષને ધારણ કરતા તે છતાં પણ દિવસે દિવસે ભવ્યકલાને ગ્રહણ કરવા લાગ્યું. અનુક્રમે તે સિભાગ્યના સમૂહથી પ્રકાશમાન એવા વનવયને પ્રાપ્ત થયે, તે વિનવયં પુણ્યવાનું અથવા કૃતાર્થ મનુષ્યનું સ્વાભાવિક દેહભૂષણ કહેવાય છે. પુત્રને તેવા વનવયવાલો જોઈ કેટી જનેમાં ચતુર ગણાતો રત્નાકર શેઠ વિચાર કરવા લાગે ૧ કાકપક્ષ-કેશની શોભા-કાનશીયા પક્ષે કાક-પક્ષ-કાગડાની પાંખ અર્થાત્ કૃષ્ણપક્ષ અહિં વિરોધાભાસ અલંકાર છે. શુકલપક્ષ અને કાપક્ષ-કૃષ્ણપક્ષનો વેગ સાથે ન હૈય, એ વિરોધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy