________________
શ્રી વિમલનાથ ચરિત્ર, સારા નગરમાં મારે વાસ છે, ગુણોમાં મારે અભ્યાસ છે અને મેટો ઉદ્યોગ પણ છે, પરંતુ જેમ તેજ વિનાને રાજા, ઘી વિનાનું ભોજન નેત્ર વિનાનું મુખ, મંત્રી વિનાનું રાજ્ય. રાજા વિના રાજ્યના સાત અંગે, ધર્મ વિના મનુષ્ય, દાન વિના ધન અને શીલ ધિના સ્ત્રી શોભે નહીં, તેમ એક પુત્ર વિના મારું કુળ શોભતું નથી.” પ્રભાતકાળે એ રાત્રિની ચિંતાથી શ્યામ મુખવાળા પિતાના સ્વામીને જઇ પ્રિયા શ્રીદેવીએ પૂછ્યું,
સ્વામી, શું તમારે કઈ સુવર્ણ ભંડાર અંગારામય થઈ ગયું છે? શું તમારા હાથમાંથી અમૂલ્ય અથવા ઘણું મૂલ્યવાળું રત્ન પ ગયું છે? શું ચોપડામાં કોઈનું નામું લખતાં ભૂલી ગયા છે? શું તમારા હૃદયમાં કોઈ કન્યા વસી છે ? અથવા કઈ જાતના વ્યવસાયમાં પડ્યા છો? કે જેને લઈને સ્વજાતિમાં વિખ્યાત એવા તમે ચિંતાતુર બની ગયેલા લાગે છે.” પ્રિયાનાં આ વચનો સાંભળી રત્નાકર શેઠ બે, “ભ, મને ચિંતા થવાનું બીજું કાંઈ પણ કારણ નથી, પરંતુ મને હાલ પુત્રના વિષયની ચિંતા થઈ આવી છે. તે સાંભળી શ્રીદેવી બેલી, “સ્વામિન, એ ચિંતા તે આપણ બંનેને સરખી છે. તો તમે પુત્રની પ્રાપ્તિને માટે કે બીજી કન્યા પરણે.” તે સાંભળતાં જ કાને હાથ દઈને શેઠે કહ્યું, “હે પાપરહિત પ્રિયા, આ તેં શું કહ્યું? મારે પુત્ર થાઓ કે ન થાઓ, પણ હું એવું કદિ પણ કરવાને નથી.” પછી પતિની ચિંતા દૂર કરવા માટે શ્રીદેવી ગદ્ગદ્ સ્વરે બેલી, “હે નાથ, તમે અજિતસ્વામીની સેવિકારૂપ અજિતબલા નામની યક્ષિણીની આરાધના કરે. તે યક્ષિણી સંતુષ્ટ થઈ આપણને સુખદાયક અને કુળનાયક એ અભુત પુત્ર આપશે. કારણ કે, તે યક્ષિણ અપુત્રને પુત્ર આપનારી, દુઃખી જનેને સુખ આપનારી, આંધળાને આંખ આપનારી અને નિર્ધનને ધન આપનારી છે.” શ્રીદેવીના આ વચન સાંભળી રત્નાકર શેઠે પુર્વ દિશાની સન્મુખ રહી દાતણ કર્યું, પશ્ચિમ દિશા તરફ રહીને સ્નાન કર્યું અને જળમાં રહીને જ પવિત્ર છેતીયા પહેર્યા પછી પિતાના ઘરમાં જઈ ડાબી તરફના ભાગમાં રહેલા અને સાકપાંચ શાખા પ્રમાણે ઉંચા પુજેલા દેવમંદિરમાં તે પુર્વાભિમુખે બેઠે. પછી ઉત્તર દિશા તરફ ઘરમાં રહેલી પ્રતિમાઓને આદરથી વિધિપૂર્વક જળવડે તેણે સ્નાન કરાવ્યું. તે પ્રતિમાઓને હૃદય, કંઠ, ઉદર અને લલાટ વિગેરે નવ અંગે ચંદન તથા પુપિવડે તેણે અર્ચા કરી. તે પ્રતિમાના વામભાગે ધૂપ, દક્ષિણભાગે દીપ અને અગ્રભાગે અક્ષત વિગેરે અર્પણ કર્યા. ચિત્ત, વસ્ત્ર, વાણી, કાયા, પુજા, ભૂમિ અને સ્થિતિની શુદ્ધિ કરી ભવ્ય અલંકારો ધારણ કરી તે દેવગૃહ (ચૈત્ય) માં ગયા. ત્યાં ચૈત્ય ( પ્રવેશ) દ્વારમાં પ્રથમ નધિકી ક્રિયા કરી તેણે અંદર પ્રવેશ કર્યો. તે સમયે તેણે બીજા કર્મોની ચિંતા છે દઈ પ્રાસાદની ચિંતા કરવા માંડી. પછી ગર્ભદ્વાર-ગભારામાં જઈ પુનઃ નૈધિકી કરી વિધિપૂર્વક જિન પ્રતિમાની હર્ષવડે વિશેષ પૂજા કરી. ત્યાંથી પાછલે પગે ગર્ભગૃહના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org