SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમળનાથ ચરિત્ર. આસ્તિક મનુષ્યોએ સદા પાળવાયેગ્ય છે. પિશુન-ચાડી મનુષ્ય પણ જે (નારદની પેરે) સુશીલ હોય, તે પરમપદને પામે છે અને ખરાબ સ્વભાવની સ્ત્રી પણ જો મહાસતી હોય તે તે પરમપદને પામે છે, તેથી સદા શીલને આશ્રય કરે. શીલ પાળવાથી પુરૂષ અને સ્ત્રીઓ અકામ-કામરહિત હોય, તે પણ સત્કામ-સારી કામનાએ યુક્ત થાય છે, અપ્રિય હેય તે સપ્રિય થાય છે અને રેગી હોય તે નીરોગી થાય છે. જે શીલ વગરનો હોય તે શૂર હોય તે પણ મંદ તેજવાળો થઈ જાય છે, શંભુ હેય, તે પણ અંગના ભંગવાળા થાય છે “રાજા પણ કલંકિત થઈ જાય છે અને હરિ પણ કુદષ્ટિવાળો થાય છે. જેઓ શીલવતીની જેમ સદા હર્ષથી શીલ પાળે છે, તેઓને આલેકમાં કીર્તાિ અને પરલોકમાં સ્વર્ગ તથા મોક્ષ પ્રાપ્ત થાય છે. રાજા પાસેને પ્રશ્ન કર્યો, “ભગવન, તે શીલવતી કોણ હતી?” ત્યારે ગુરૂએ નીચે પ્રમાણે કહ્યું--- શીલવતીની કથા. દિપકની જેમ સુવૃત્તપાત્રરૂપ એવા શ્રી જંબુદ્વીપમાં ક્ષેત્રના જેવું ભરતક્ષેત્ર આ વેલું છે. ક્ષેત્ર જેમ સીરિ-હળવાળા ખેડુત તથા વૃષ-બળદેથી વિરાજિત હોય છે, તેમ ભરતક્ષેત્ર સીરિ–સૂર્ય જેવા વૃષ-ધર્મથી અથવા ઉત્તમ પુરૂષથી વિરાજિત છે. ક્ષેત્ર જેમ કૌટુંબિક-કણબી લકેથી યુક્ત હોય છે, તેમ ભરતક્ષેત્ર સારા કુટુંબવાળા લોકોથી યુક્ત છે અને ક્ષેત્ર જેમ કૃષિકર્મ કરનારાને ઉપગી હોય છે, તેમ ભરતક્ષેત્ર આઠ પ્રકારના કર્મો કરનારા પ્રાણુઓથી યુક્ત છે. તેવા ભરતક્ષેત્રમાં નંદનવનના જેવું નંદન નામે એક નગર છે. જેમ નંદનવન વિબુધ-દેવતાઓના આધારરૂપ છે, તેમ તે નગર વિબુધ-વિદ્વાનેને આધારરૂપ હતું. જેમ નંદનવન રંભા સહિત અપ્સરાઓનું સ્થાનરૂપ છે, તેમ તે નગર સરંભા-કદલી સહિત તથા સજળ સરોવરોના સ્થાનરૂપ હતું અને નંદનવન જેમ સારી છાયાવાળું છે, તેમ તે નગર સારી કાંતિથી યુક્ત હતું. તે નગરમાં પુન્નાગ-ઉત્તમ પુરૂષ ગજેંદ્રના જેવા ભદ્ર જાતિના હતા. જેમ ગજેકો દાનશાલી–મદથી ભવનારા હોય છે, તેમ તે પુરૂષે દાનકમ કરવાથી શોભતા હતા. પણ તેમાં એટલું આશ્ચર્ય હતું ૧ જેમના કામ-ઈચ્છાઓ પૂરી ન થાય તેવા અથવા નિષ્કામ. ૨ પુરૂવપક્ષે અપ્રિય-પ્રિયા રહિત અને સ્ત્રીપક્ષે પ્રિય રહિત. ૩ શર એટલે શુરવીરપક્ષે સૂર્ય. ૪ શંભુ-શંકર. ૫ ચંદ્રપક્ષે રાજા. ૬ હરિ–વિષ્ણુ અથવા ઇદ્ર. ૭ દીપકપણે સુવૃત્તપાત્રરૂપ એટલે સારા ગોળાકાર પાત્રરૂપજંબદીપ પક્ષે સુવૃત્ત-સારા આચરણવાળાં પુરૂષોના પાત્રરૂપ-સ્થાનરૂપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy