________________
द्वितीय सर्ग.
છે
( શીલધર્માધિકાર. ) પ્રમાણે શ્રીધર્મરૂપી કલ્પવૃક્ષની દાનશાખા કહેવામાં આવી, હવે તેની શીલશાખા કહેવામાં આવે છે તે સાંભળે. જે મનુષ્ય આ શ્ચર્યપણે શીલનું પાલન કરે છે, તેમને સુંદર સુંદર થાય છે,
વિપત્તિઓ સંપત્તિ થઈ જાય છે, શત્રુપક્ષ સ્વજન થઇ રહે છે, કાનન-જંગલ જન-મનુષ્યનું સ્થાન થાય છે, દેવતાઓ દેવપણાને આપનારા થાય છે. અસુરે અસુ–પ્રાણ તથા રાજ્ય આપનારા થાય છે, શ્વાપદ-શિકારી પ્રાણુઓ સ્વ–પિતાની આપત્તિમાં આધારરૂપ થઈ પડે છે પ્રધન-યુદ્ધ મધન-ઉત્કૃષ્ટ ધનને આપનારું થાય છે, પિતૃગૃહ-રમશાન પિતૃગૃહ-પિતાના ઘરના જેવું થાય છે, વિભાવસુ-અગ્નિવિભાવસુ થાય છે અને રત્નગર્ભા-પૃથ્વી રત્નગર્ભા–રને આપનારી બને છે. જેમાં નિર્મળ સૂર્ય એકલેજ સર્વ અંધકારના સમૂહને નાશ કરે છે. જેમ શૂરવીર એકલે રણભૂમિમાં રહેલા શત્રુઓના સમૂહને જીતી લે છે અને જેમ એક સિંહ હાથીઓના ટેળાને પૂર્ણ રીતે હરાવી દે છે, તેમ નિર્મળ જળ એકલુંજ સર્વ કાર્યોને કરનારું થાય છે. તેને માટે કહ્યું છે કે, તેને પતિ સૂર્ય અને સુશીલ મનુષ્ય-એ બંનેનું તેજ સમાન છે. જે તેજથી બીજા તેજોનું અને અંધકારનું નિમીલન થઈ જાય છે.” પહેલાં અહિંસા વ્રતમાં સંઘ વગેરેના કાર્યમાં જેની હિંસા કરવામાં કઈ પ્રકારે સંમતિ આપી છે. બીજા મૃષાવાદ પરિત્યાગમાં જીવરક્ષા કરવા વિગેરેના કામમાં મૃષા બોલવાનું પણ કહ્યું છે. ત્રીજા અદત્તાદાનમાં રાજાઓ લઈ લે છે અને આપે છે તેમાં શત્રુઓના હૃદયમાં તેમને માટે મહત્ત્વ રહેલું છે. પાંચમા અપરિગ્રહવ્રતમાં ગૃહસ્થને પરિગ્રહ રાખવામાં એકાંતે નિષેધ કરેલ. નથી, તેમ દિશાગમન તથા ભેગે પગ પણ નિંદેલ નથી અને દાક્ષિણ્યતા રાખવામાં અનર્થદંડ પણ અંગીકાર કરેલો છે. પરંતુ ચેથા બ્રહ્મત્રતમાં તે પરસ્ત્રીને સંગ વિવિધ શાસ્ત્રોમાં સર્વ પ્રકારે નિષિદ્ધ કરે છે, એથી સર્વ તેમાં ઉત્તમ એવું શીલત્રત
૧ સુંદર એટલે કામ ૨ વિભાવ-શીતળ હાર અથવા વિશેષ કાંતિરૂપ દ્રવ્યને આપનાર થાય છે. ૩ આછાદન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org