SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મપ્રબંધ જ્યારે કોઈપણ રીતે તેની કામવેદના શાંત થઈ નહિ એટલે તેમને પોતાના શુદ્ધ વતનો ભંગ થવાને મહાન ભય લાગી આવ્યો. તત્કાળ તેમણે ચિતવ્યું કે, વ્રતનો ભંગ થયા કરતાં મરણ પામવું સારું છે.” આથી તેઓએ મૃત્યુ પામવાને માટે ગળે પાશ નાંખે તે પણ તેઓ એટલેથી અટક્યા નહિ. તત્કાળ તેમણે વિષ ભક્ષણ કર્યું. દેવતાના પ્રભાવથી તે વિષ અમૃતરૂપ થઈ ગયું. પછી અગ્નિમાં પડી પ્રાણ કાઢવા તૈયાર થયા. દેવના પ્રભાવથી તે અગ્નિ પણ બુઝાઈ ગયો. એવી રીતે મરણને માટે કરેલા તેમના સર્વપ્રયોગે નિષ્ફળ થઈ ગયા હતા. એક વખતે તે નંદીષેણ મુનિ રાજગૃહનગરીમાં અઠમા પારણના માટે ભિક્ષા લેવા નીકળતાં એક વેશ્યાના ઘરમાં જઈ ચડ્યા. ત્યાં જઈ તેમણે કહ્યું, “હે ગૃહનાયિકા, જે તારી શ્રદ્ધા હોય તો મને ભિક્ષા આપ. તને ધર્મલાભ થશે.” વેશ્યાએ નંદીષેણ મુનિના આ વચન સાંભળી હસતા હસતા કહ્યું: “મહારાજ, તમે ધર્મલાભ આપે છે, પણ તે ધર્મલાભમાં સિદ્ધિ તેથી. અથલાભમાં છે.” વેશ્યાના આ વચન સાંભળી તે વખતે અભિમાનરૂપી પર્વત ઉપર આરૂઢ થયેલા એવા મુનિ નંદીષણ વેશ્યા પ્રત્યે બોલી ઉઠ્યા કે, ‘તમારે અથલાભ થાઓ.” આ વાક્ય મુખમાંથી નીકળતાં જ તેમના તપની લબ્ધિથી તે વેશ્યાનું ઘર સાડાબાર કોડ સેર્નયાથી પૂરાઈ ગયું હતું. તે વિષે નિશીથ સૂત્રના છઠા અધ્યયનમાં નીચે પ્રમાણે કહેલું છે પપ્પામે તો માફ, કથ્થામં વિકસિગો . तेणावि लद्धिजुत्तेण, एवं भवउत्ति भाणियं" ॥ १ ॥ “ધર્મલાભ લે છે, તેવામાં તે તેણુએ વેશ્યાએ) અથલાભ માગ્યા. તેણે પણ લબ્ધિયુક્ત થઈ “એમ જ થાઓ” એમ કહ્યું.” (૧) શ્રી ઋષિમંડલની ટીકા વગેરેમાં વળી બીજી રીતે કહ્યું છે, તેથી તત્ત્વની વાત તો કેવલી ભગવાન જાણે. વેશ્યા અત્યંત વિસ્મય પામી ગઈ અને ઉતાવળી ઉઠી મુનિના ચરણમાં આવીને નમી પડી. તેણીએ હાવભાવ કરી મુનિના ચિત્તમાં વિકાર ઉત્પન્ન કરવા આ પ્રમાણે બોલીઃ “સ્વામી ! તમેએ આ સેનૈયાથી મને વેચાતી લીધી છે, તેથી આ ધન સાથે મને તમે જ ભગવો. આ પ્રમાણે કહી મેહના ચાળા કરતી અને પ્રેમ વચનોને માધુય સાથે બેલતી વેશ્યાએ મુનિના હદયને ક્ષોભ પમાડી દીધું. મુનિ ભેગ્ય કમના ઉદયથી ક્ષેભ પામી વેશ્યાને વશ થઈ તેણુના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy