SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ આવાસમાં જ રહ્યા. તે પણ મુનિએ તે વખતે એ નિયમ રાખ્યો હતો કે, વેશ્યાને ત્યાં અવારનવાર કામી પુરુષોમાં દરરોજ દસ પુરુષોને ધર્મનો ઉપદેશ કરી પ્રતિબોધ પમાડવા. જ્યારે તેમાં એકપણ ન્યૂન રહે ત્યારે તેની જગ્યાએ પિતાને રહી પ્રતિબંધ પામવો. આ નિયમને લઈને મુનિ વેશ્યાના ગૃહદ્વાર આગળ ઊભા રહેતા અને જે કામી પુરુષો ત્યાં આવે તેમને અનેક પ્રકારની યુક્તિની રચના સાથે આપણી વગેરે ચાર પ્રકારની ધમ કથાઓ કહેતા હતા. અને ધર્મ કરાવતા હતા. તેમાંથી તેમણે કેટલાએકને તે શ્રી જિનેશ્વર સમીપે મહાવ્રત લેવરાવતા અને કેટલાએકને સમ્યકત્વ મૂળ બાર વ્રતો અંગીકાર કરાવતા હતા. આ પ્રમાણે ધમકથાથી ભવ્ય જીવોને પ્રતિબોધ આપતા અને પોતે શુદ્ધ શ્રાવક ધર્મને પાળતા બાર વર્ષ વીતી ગયા હતા. હવે તેમના ભાગ્યમ જીર્ણ થઇ ગયા, આથી એક દિવસે નવ કામી પુરુષોને પ્રતિબંધ આપ્યો. દસમા પુરુષને શેધતાં એક સેની મળી આવ્યો. તેને અનેક પ્રકારની યુક્તિથી પ્રતિબોધ આપવા માંડ્યો. પણ તે ધીઠ પુરુષ પ્રતિબંધ પામ્યો નહિ. જ્યારે તેને ઘણું સમજાવ્યો ત્યારે તેણે મુનિને કહ્યું : “અરે ભાઈ! વિષયરૂપ કાદવમાં ડૂબેલા તારા આત્માને તારવાને તું પોતે સમર્થ નથી તે પછી બીજાને શે ઉપદેશ આપે છે? ” આ અરસામાં વેશ્યાએ તે નંદીષણને ભજન કરવાને બોલાવ્યા, પણ દસ પુરુષોને પ્રતિબોધ કરવાની પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ નથી, ત્યાં સુધી તેઓ ભેજનને ઈચ્છતા નથી. રાંધેલી રસવતી બે ત્રણ વાર શીતળ થઈ ગઈ જ્યારે નંદીષેણ આવ્યા નહિ. એટલે વેશ્યા તેમની પાસે આવી અને હસતી હસતી બેલીઃ “સ્વામી! જે કોઈ દસમો પુરુષ મળતો ન હોય તે તમે પતે જ દસમા થાઓ. અને તમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી આવીને જમી લ્યો.” વેશ્યાના આ વચન સાંભળી મુનિ નંદીષેણ કે જેમના ભેગ્યકર્મ પૂર્ણ થઈ ગયા છે, એવા તેઓ ફરીવાર મુનિ વેષ લઈ શ્રી વીરપ્રભુની પાસે આવ્યા અને તેમણે તેમની પાસે મહાવ્રત અંગીકાર કર્યા. પછી શુક્ર-નિર્મળ ચારિત્ર પાળી અંતે સમાધિથી કાળ કરી દેવલોકને પ્રાપ્ત થયા. ત્યાંથી વીને તેઓ મહાવિદેહ ક્ષેત્રને વિષે જઈ મોક્ષપદને પ્રાપ્ત થશે. આ વૃત્તાંત શ્રી વીરચરિત્ર ઉપરથી લેવામાં આવ્યો છે, મહાનિશીથ સૂત્રમાં તો નંદીષેણને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયેલી. એમ લખેલું છે. તેમાં તત્ત્વ શું છે? તે કેવલિગમ્ય છે. આ પ્રકારે આ ધર્મકથી નામના શાસનના બીજા પ્રભાવક જાણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy