SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મપ્રબોધ આશ્રમમાં આવી તેણે પિતાની સુંઢ વડે તે દયાળુ તાપસના ચરણને સ્પર્શ કરવા લાગી અને તેને વારંવાર નમવા લાગી. દયાળુ તાપસીએ તે હાર્થિણને ગર્ભવતી જાણું “તારે ગભ કુશળ રહો” એમ આશિષ આપી પિતાના આશ્રય નીચે રાખી. હાથિણીએ એક દિવસે એક પુત્રને જન્મ આપ્યો. તાપસના પુત્રોએ તેની પરિપાલન કરવા માંડી અને તે ગજપુત્ર સુરક્ષિત થયે. હાથણું અર માં ચરવા જતી અને આશ્રમમાં પોતાના પુત્રને સ્તનપાન કરાવા આવતી હતી. હાથિણીનું તે બાળક ઉછરવા લાગ્યું અને તાપસેના બાળકોની સાથે કીડા કરવા લાગ્યું. તાપસેના કુટુંબોની સાથે હળીમળી ગયેલો તે ગજબાલક હંમેશાં પિતાની સુંઢમાં જલ લાવી આશ્રમના વૃક્ષને સિચન કરતો હતો. આ પ્રમાણે વૃક્ષોને સિચન કરતા ગજેન્દ્રના બાલકને જોઇને તે તાપસીએ તેનું નામ સેચનક પાડયું. તે સેચનક તે સ્થળે ઉછરી વૃદ્ધિ પામી ત્રીસ વર્ષને ગજેન્દ્ર થયો. એક વખતે તે મહાન હસ્તી વનમાં ફરતો પેલા મોટા ગજેન્દ્રના જોવામાં આવ્યો. તત્કાળ તે ગજેન્દ્ર તેના ઉપર ધસી આવતાં આ યુવાન હસ્તીએ પિતાના ઉગ્ર બળથી તે યૂથપતિ ગજરાજને મારી નાંખ્યા. અને પોતે યૂથપતિ બની ગયો. તેણે વિચાર્યું કે, “જેમ મારી માતાએ પેલા ચૂથપતિના ભયથી મને તાપસેના આશ્રમમાં જણું મટે કરાવ્યું, તેવી રીતે બીજી હાથણીઓ ન કરે.” આવું ધારી પિતાનું ચૂથ લઈ તાપસેના આશ્રમમાં ગયો અને ત્યાં તે તાપસના પડાને તેણે ભાંગી નાંખ્યું. તે જોઈ તાપસો તેની ઉપર રેષાવિષ્ટ થઈ ગયા અને તે પ્રદેશના રાજા શ્રેણિકની પાસે તેની ફરીયાદ કરી. રાજા શ્રેણિક તાપસનું તે કષ્ટ જોઈ કાંઈ પ્રયોગથી તે નવીન ચથપતિને બંધનમાં લાવ્યા. અને બંધનના સ્થાનમાં યંત્રવાળી સાંકળેથી તેને બંધાવ્યું. એક વખતે તે તાપસોએ તે બાંધેલા સેચનક હાથીને જોઈને કહ્યું કે, તે જેવું કામ કર્યું, તેવું તને ફળ મળ્યું છે.” આ વાક્ય સાંભળતા જ તે ગજેન્દ્ર ધાતુર થઈ ગયા અને તત્કાળ તે બંધનને તેડી તાપને મારવાને પાછળ દોડ્યો. તાપસ વ્યાકુળપણાના શબ્દો પકારતા નાસી ગયા. તાપસેના પિકાર સાંભળી શ્રેણિક રાજાને પુત્ર નંદીષેણ તે હસ્તીને વશ કરવા દોડી આવ્યા. નંદીષણને જોતાં જ તે ગજેન્દ્ર તત્કાળ ઉહાપોહ કરવા લાગ્યો. અને તેમ કરતાં તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ આવ્યું. તેને પિતાને પૂર્વભવને વૃત્તાંત યાદ આવી ગ, કુમાર નંદીષેણ પણ તે હાથીને જોઈ સ્નિગ્ધ હૃદયવાળ થઈ ગયો. પૂર્વભવના સ્નેહથી તેણે ગજેન્દ્રને કેટલાએક વચને કહી પ્રતિબંધ આપે. પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy