SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મપ્રબોધ તમોને એ કાર્યમાં સાંનિધ્ય કરીશ. તમે સાધુઓને એકઠા કરો. પછી આચાર્ય કહ્યું કે, તમે મશી, તામ્રપત્ર વગેરેનો માટે જથ્થા એકત્ર કરાવો. કેટલાએક લહીઆને પણ એકઠા કરે. અને તે સાથે સાધારણ દ્રવ્ય પણ એકઠું કરો.” આ પ્રમાણે કહી તે ગણી ત્યાંથી વિહાર કરીને વલ્લભીપુરમાં આવ્યા હતા. ત્યાં પેલા યક્ષે પુસ્તક લખવાની સર્વ સામગ્રી એકઠી કરી હતી. પછી વૃદ્ધ અને ગીતાર્થ દેવદ્ધિગણી જેમજેમ અંગઉપાંગના આલાવા કહેતા ગયા તેમ તેમ લહીઓએ પ્રથમ ખરડારૂપે લખી લીધા. તે પછી તે ગણું મહારાજાએ સંજના કરાવી મૂળ પત્રમાં લખાવ્યા હતા. અદ્યાપિ પણ તે કારણને લઈને અંગને વિષે ઉપાંગેની સાક્ષી આપવામાં આવે છે. વળી વચ્ચે વચ્ચે વિસંવાદની સંખ્યાને નિયમ ન હાવાથી માધુરી વાચના પણ દેખાઈ આવે છે. તેમ વળી પૂર્વે આરક્ષિતસૂરિ મહારાજાએ સિદ્ધાંતોને વિષે જુદા જુદા અનુયેગ ક્ય, સ્કંદિલાચાર્યે તેમની વાંચના કરી અને દેવદ્વિગણીએ તેમને પુસ્તકારૂઢ કર્યા હતા, તે કારણને લઈને સુધર્માસ્વામીના વચનો કોઈ કોઈ ઠેકાણે વિસંસ્થલ દેખાય છે. એટલે તેમાં પાઠાંતરે જોવામાં આવે છે તે પણ આ દુષમ કાળને જ પ્રભાવ છે. તથાપિ સમ્યગ દષ્ટિ જીવોએ આ જિન આગમને વિષે જરા પણ સંશય કરવો નહિ. તે સમયે દેવતાના સાંનિધ્યથી એક વર્ષની અંદર એક કોટિ પ્રમાણ જૈન પુસ્તકો લખવામાં આવ્યા હતા. શ્રી વિરપ્રભુના નિર્વાણ પછી નવસે એંશી વર્ષ અતિકાંત થયા પછી સવ સિદ્ધાંતોના લખનાર અને યુગપ્રધાન પદને ધારણ કરનાર શ્રી દેવદ્ધિગણુ ક્ષમાશ્રમણ શ્રી જિનશાસનની બહુ પ્રકારે પ્રભાવના કરી છેવટે સિદ્ધગિરિ ઉપર અનશન કરી દેવલેકે ગયા હતા. આવા પ્રકારના આચાર્યો શ્રી જિનશાસનના પ્રભાવક કહેવાય છે. બીજી ધર્મકથી નામે પ્રભાવક કહેવાય છે. જેમની ધર્મકથા પ્રશસ્ત હોય તે ધર્મકથી કહેવાય છે. તેઓ ક્ષીરાશ્રવ લબ્ધિ પ્રાપ્ત કરી જલસહિત મેઘની ગર્જના જેવી વાણી વડે આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની; અને નિવેદની એવી ચાર જાતની દેશના વડે લોકોના મનને પ્રમોદ ઉત્પન્ન કરે તેવી ધમકથાઓ કરે છે અને તેમનાથી ઘણું ભવ્ય જીવોને પ્રતિબંધ કરે છે. તેવા ધમકથી શ્રી નંદિણ વિગેરે હતા. તે ચાર પ્રકારની કથાઓના લક્ષણે (૧) જેમાં હેતુ દૃષ્ટાંત વડે સ્યાદ્વાદની પદ્ધતિથી પિતાને મત સ્થાપન કરવામાં આવે, તે આક્ષેપણું કથા કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy