SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શ્રી આમપ્રબોધ આ પ્રમાણે તીથ સેવાનું મહાફળ જાણીને ભવ્ય જીવોએ શ્રી શત્રુંજયાદિ મહાતીર્થની યાત્રાને વિષે આદર સહિત થવું. અને તેમાં પોતાનું દ્રવ્ય સફળ કરવું. વળી તીર્થની યાત્રા કરવાને ઇચ્છતા એવા બીજા યાત્રાળુઓને શબળ (ભાનુ) આપવા વગેરેની સહાય કરવી, તીર્થયાત્રા કરનાર ધનશેઠની જેમ પોતાની શાક્ત પ્રમાણે તીર્થની ઉન્નતિ કરવી, લધુતા કરવી નહીં. તે વિષે ધનશેઠની કથા. હસ્તિનાગપુર નગરને વિષે અનેક કેટી દ્રવ્યને સ્વામી ધનશેઠ નામે એક પરમ શ્રાવક હતો. એક દિવસે રાત્રે ધર્મ જાગરણ કરતાં તેણે પિતાના મનમાં આ પ્રમાણે ચિતવ્યું. “હું નિશ્ચ પૂર્વજન્મના પુણ્યને લીધે આ મનુષ્યજન્મ પામ્યો છું. તે સાથે આ ક્ષેત્ર, ઉત્તમકુળ, રૂપ અને લક્ષ્મીના સમૂહને પ્રાપ્ત થયો છું. તેમ વળી જેમ મોટા પુણ્યના ઉદયથી રંક પુરૂષ નિધાનને પ્રાપ્ત કરે તેમ હું શ્રી જિનેશ્વરે કહેલા ધમને પામ્યો છે. પણ જ્યાં સુધી શ્રી વિમલાચલ અને રેવતાચલ આદિ તીર્થમાં રહેલા શ્રી આદીશ્વર પ્રભુ તથા નેમિનાથ પ્રભુ વગેરે તીર્થકરોના બિબના દશન, વંદન, અને પૂજનાદિ સત્કૃત્યો મેં કર્યા નથી, ત્યાં સુધી આ સર્વ સમૃદ્ધિ પ્રાપ્ત થવાથી શું ? તેમજ આ વૈભવથી પરિપૂર્ણ એવા કુટુંબ, ગૃહ વગેરે પ્રાપ્ત થયા, તે તે શા કામના ?” આ પ્રમાણે ચિતવી પ્રભાતકાળે રાજાની આજ્ઞા લઈ તેણે હસ્તિનાગપુર નગરમાં ઉદઘોષણા કરી મોટો સંઘ એકઠો કર્યો. પછી શુભ દિવસે તે મોટા સંઘની સાથે હસ્તિનાપુર બહાર નીકળ્યો. અને તેણે શાસનના અધિપતિ શ્રી વીરપ્રભુના ચૈત્યને સાથે લીધું. માગમાં ઠેકાણે ઠેકાણે મટી સમૃદ્ધિથી ચૈત્યોને પૂજતો, જીણું ચૈત્યોનો ઉદ્ધાર કરતો, મુનિરાજના ચરણકમળને વંદન કરતા, સ્વામિવાત્સલ્ય કરતો અને કરુણાથી દીનજનોને નિરંતર વાંછિત દાન આપતો તે ધનશેઠ અનુક્રમે શત્રુંજય પર્વત પાસે આવી પહોંચ્યા. તે ગિરિ પર આરૂઢ થયો અને ત્યાં આદીશ્વર પ્રભુને મોટી સમૃદ્ધિથી નમન પૂજન કરી અઠ્ઠાઈ ઉત્સવ આદર્યો. તે સિદ્ધક્ષેત્રને સ્પર્શી, વંદન, પૂજન અને ભેટ વગેરે કરી તેણે પિતાના જન્મને સફળ કર્યો. તે પછી તે ધનશેઠ ગિરનાર પર્વત ઉપર આવ્યા. ત્યાં મુખ્ય ચેત્યને વિષે યાદવકુળના મંડનરૂપ અને સર્વ બ્રહ્મચારીઓના સમુહમાં મુગટ સમાન એવા શ્રી નેમિનાથ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કાર કર્યો. તે પછી સુગંધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy