SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૫૭ પ્રયાણ કરવા ઇચ્છતા લોકોને સુખે કરીને આરહણ કરવાને માટે ઉત્તમ પગથીયારૂપ વિમલાચલતીર્થને હું કથારે નેત્રયુગલ વડે નીરખીશ તેમજ સ્વશરીર વડે ક્યારે હું તે તીર્થાધિરાજને પશવા ભાગ્યશાળી થઈશ. આ મારો જન્મ તીર્થના દર્શનાદિ વિના ફેકટ જાય છે એ રીતે ચિત્તમાં ભાવના ભાવે છે તેવા પ્રાણીઓ પોતાના સ્થાનકે રહેલા છતાં પણ તીર્થયાત્રાના મહાફળને પામે છે. જેઓ છતી સામગ્રીએ યાત્રા કરતા નથી તેઓ દીધ સંસારી જાણવા. શ્રી શત્રુંજયગિરિ ઉપર થોડું પણ કરેલું પુણ્ય મહાફળદાયક થાય છે, કહ્યું છે કે " नवि तं सुवन्नभूमिभूसण दाणेण अन्नतिथ्थेसु । जं पावइ पुण्णफलं पूयाप्हवऐए सत्तुंजे" ॥ १ ।। અન્ય તીર્થોમાં સુવર્ણ, ભૂમિ અને આભૂષણોના દાન કરવાથી જે પુણ્ય થતું નથી, તે પુણ્ય શત્રુંજયતીથ ઉપર પૂજા અને ન્હાવણ કરવાથી થાય છે.” (૧) વળી તીર્થયાત્રા કરનારા પ્રાણીઓએ યાત્રા વખતે ભૂમિ સંથાર, શીલત્રત અને એકાહાર પ્રમુખ છ વાનાં કરવાના છે. અને તેમ કરીને રહેવાથી ત્યાં તીર્થયાત્રાનો પ્રયાસ વિશેષ ઈષ્ટફળને આપનાર થાય છે. તે છવાનાં ને છરી કરીને કહે છે. છરીકાર નીચે પ્રમાણે દર્શાવ્યા છે. " एकाहारी भूमिसंस्तारकारी पद्भ्यां चारी शुद्धसम्यक्त्वधारी, यात्राकाले यः सचित्तापहारी, पुण्यात्मा स्याद् ब्रह्मचारी विवेकी" ॥ १ ।। યાત્રા વખતે જે વિવેકી પુરૂષ એકાહાર–એક વખત આહાર કરનાર, ભૂમિ સંસ્તારકારી-ભૂમિ ઉપર સંથારો કરનાર, પગ વડે ચારી-ચાલનાર, સચિરાપહારી-સચિત વસ્તુનો ત્યાગ કરનાર અને બ્રહ્મચારી-બ્રહ્મચર્ય પાળનાર રહે છે તે પુણ્યાત્મા કહેવાય છે.” (૧) વળી કહ્યું છે કે, "श्री तीर्थपाथरजसा विरजी भवंति, तीर्थेषु बंभ्रमणतो न भवे भ्रमंति, द्रव्यव्ययादिह नराः स्थिरसंपदः स्युः पूज्या भवंति जगदीशमथार्चयंतः ॥ १ ॥ ભવ્ય પ્રાણીઓ તીર્થના માર્ગના રજવડે વિરજ પાપ-રહિત થાય છે તીર્થોમાં ભ્રમણ કરનારાઓ આ સંસારમાં ભ્રમણ કરતા નથી. જેઓ તીર્થક્ષેત્રમાં દ્રવ્યને વ્યય કરે છે, તેઓ સ્થિર સંપત્તિવાળા થાય છે અને ત્યાં જગત્પતિને પૂજનારાઓ બીજાઓને પૂજવા યોગ્ય થાય છે. (૧)” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy