SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ કેટલાક આચાય કહે છે કે, શ્રાવક સિવાયના બીજા પાસેથી વધારે ગ્રહણ કરી કાલાંતરે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી ઉચિત છે, કહ્યું છે કેचेदविणासे रिसिघाए पवयणस्सऊड्डा हे । संजयी चऊथ्थभंगे, मूलग्गि बोहिलाभस्स || १ ॥ 66 પ્રથમ પ્રકાશ ચૈત્યદ્રવ્યના વિનાશ કરવાથી, મુનિને ઘાત કરવાથી, શાસનની નિંદા કરવાથી અને સ’ચિંતનુ' ચેાથુ. ત્રત ભાંગવાથી બાધિલાભના મૂળમાંથી નાશ થાય છે.” (૧) ચૈત્યદ્રષ્યનુ કાઈ ભક્ષણ કરતા હાય તેની ઉપેક્ષા કરવી, એ ચૈત્યદ્રવ્યના વિનાશ સમજવા, ચૈત્યદ્રષ્યના ભક્ષણ તથા રક્ષણ કરવા ઉપર ઘણા દૃષ્ટાંતા છે, પણ આ સ્થળે સાગર શેઠનુ દૃષ્ટાંત કહેવામાં આવે છે. સાગર શેઠનું દૃષ્ટાંત. સાકેતપુરનગરમાં સાગર નામે એક શેઠ રહેતા હતા, તે પરમ શ્રાવક હતા. એક વખત તે નગરના શ્રાવકાએ આ સારે। શ્રાવક છે એમ ધારી તેને ચૈત્યનું દ્રવ્ય સોંપી દીધું. અને કહ્યું કે, “સાગર શેઠ ! આ નવીન ચૈત્ય અને છે. તેની અંદર સુતાર, કડીઆ વગેરે જે કામ કરનારા છે, તેમને તમારે દ્રવ્ય ચુકવવું.” સાગરશેઠે તે દ્રવ્ય ગ્રહણ કર્યું'. લાભને વશ થયેલા તે શેઠે તે મજુરોને રોકડું દ્રવ્ય ન આપતાં તે દ્રવ્યને બદલે દાણા, ગાળ, ઘી, તેલ, વસ્ત્ર વગેરે પદાર્થં આપવા માંડયા, અને તે વસ્તુએ ખરીદ કરી તેમાં જે નફા મળે તે પેાતે લેવા માંડ્યો. એમ કરતાં રૂપિયાના એ‘શીમા ભાગરૂપ જે કાંકણી થાય તેવી એક હજાર કાંકણીનેા તેને નફા થયા. આ કૃત્ય કરવાથી તે સાગરશેઠે અતિધાર દુષ્કર્મ ઉપાર્જન કર્યું. કેટલાક સમય પછી તે સાગરશેઠ તે ક આલાગ્યા વિના મૃત્યુ પામી સમુદ્રમાં જલે માનુષરૂપે ઉત્પન્ન થયા. જાતિવ’ત રત્નાના ગ્રહણ કરનારા પુરૂષાએ સમુદ્રના જલચર થવાના ઉપદ્રવને વારનાર અને જલની અંદર ઉઘાત કરનાર તેલ ગ્રહણ કરવાને માટે તે જલ મનુષ્યને પકડી વજ્રની ઘંટીમાં નાંખ્યા, તેમાં તે મહાન પીડાથી છ માસ સુધી છૂંદાઈ મૃત્યુ પામી ત્રીજી નરકે નારકીરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળીને પાંચસા ધનુષ્યના પ્રમાણવાળા મેાટે મત્સ્ય થયા. ત્યાં મ્લેચ્છ લેાકાએ સવ અગના છેદવારૂપ મેાટી કદના કરી તેને મારી નાંખ્યા. ત્યાંથી મૃત્યુ પામી તે ચેાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy