SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ સદવિચારે રહેલા છે, તેની મને વૃત્તિથી મલિન વાસના સદા દૂર હોય છે. અને તેના જીવનને પ્રવાહ સત્યવૃત્તિ તરફ વહ્યા કરે છે, આવા ગૃહસ્થના ઉચ્ચ જીવનને માટે ગ્રંથકારે ઘણું વિવેચન કરેલું છે. ત્રીજા પ્રકાશનું નામ સર્વવિરતિ છે, આ સ્થળે વિદ્વરિછરોમણિ ગ્રંથકારે સંમયમાર્ગના શુદ્ધ સ્વરૂપની પ્રરૂપણ કરેલી છે, સંમયનું સ્વરૂપ, તેના અધિકારી અને યતિધર્મના દશ પ્રકાર વિષે કરેલું વિવેચન અભ્યાસી વાચકોને અતિ ઉપયોગી થઈ પડે તેવું છે, તપ સ્વાધ્યાય, ઈન્દ્રિય નિગ્રહ, દંભવિરતિ વગેરે વિષયો રસિક દાંતપૂર્વક પ્રતિપાદન કરેલા છે, સંયમ સાધકને હેય અને ઉપાદેય શું છે? તે દર્શાવી બાર ભાવનાનું સુબોધક સ્વરૂપે આપેલું છે, તે પ્રસંગે આપેલા પ્રાચીન ઐતિહાસીક દષ્ટાંત ઘણું અસરકારક છે. તે પછી બાર પ્રતિમાનું સ્વરૂપ આપી સાધુઓને અહોરાત્રનો કાર્યકમ ઉપસ્થિત કર્યો છે. આ પ્રસંગે પણ ગ્રંથકારે સિદ્ધાન્તમાં કહેલા સાધુગુણેના વર્ણન એવી સુંદરતાથી કરી બતાવ્યા છે, કે જેની અસર આસ્તિક વાચકેના હૃદય ઉપર સત્વર આરૂઢ થઈ શકે છે. આ પ્રકાશ ઉપરથી મહોપકારી મહાશય ગ્રંથકર્તાએ સિદ્ધ કરી બતાવ્યું છે કે, અધિકારી મનુષ્યને પોતાનું જીવન ઉચ્ચ સ્થિતિએ લઈ જવામાં બે માર્ગ સાધનીય છે, ગૃહધર્મમાર્ગ, અને યતિધર્મમાર્ગ, ગૃહધર્મમાર્ગ યથાર્થ રીતે સંપાદન કર્યો હોય તો તે દ્વારા યતિધર્મનો માર્ગ સુગમતાથી પ્રાપ્ત કરાય છે, સર્વવિરતિ સંયમમાર્ગ એ માનવજીવનની ઉન્નતિનું શિખર છે, તે પર આરૂઢ થયેલે આમા પરમ આનંદની સમીપ આવવાનો અધિકારી બને છે, સંસારનો ત્યાગ કરવાથી તેના અંગરૂપી બીજી ઉપાધિઓ દૂર રહે છે, એટલે તે નિરુપાધિક આનંદનો પૂર્ણ અનુભવ કરવાનો અધિકારી બને છે. આનદની શિતળ છાયામાં વિશ્રાંત થયેલા સંયમીને જોઈ ચિતનીય અને ધ્યેય સુખ સાધ્ય થાય છે, તે સર્વદા પોતાના હૃદયને સંબોધીને કહે છે કે “મારુ જીવન સંયમને જે આનંદ અનુભવે છે તે આનંદ જ મારું લક્ષ છે, મારું જીવન છે, મારા હૃદયને રવિ છે, અને મારું સર્વસ્વ છે, અગ્નિનો સંબંધ થતાં જેમ પારો ઉડી જાય છે અને સૂર્યના પ્રકાશનો સંબંધ થતાં જેમ અંધકાર ઉડી જાય છે તેમ મને સંયમનો સંબંધ થતાં આ સંસારની વિવિધ ઉપાધીઓ ઉડી જાય છે જે હૃદયમાં પૂર્વે ક્ષણે-ક્ષણે, દુઃખ, કલેશ, ભય, ચિંતા અને શોક વગેરે આવીને ઉભા રહેતા હતા તે અત્યારે સિંહના નાદથી જેમ મૃગવૃંદ નાસી જાય છે, તેમ નાસી ગયા છે, સંયમરૂપી સિંહ મારા હૃદયરૂપ ગૂફામાં બેઠો છે. તેનામાં સહમ રૂપ મહાનાદ થયા કરે છે જે મહાનાદનો પ્રતિધ્વનિ ગગનને ભેદી લોકાકાશના સર્વ પ્રદેશોમાં વ્યાપી જાય છે. આ ગ્રંથના ચોથા પ્રકાશનું નામ પરમાત્મસ્વરૂપ છે, પરમાત્મા કેણુ? પરમાત્માપણુ કેવું હોય ? અને તેની પ્રાપ્તિ શી રીતે થાય? એ વિષય ગ્રંથકારે સુબોધક વાણીથી વર્ણવેલા છે. ભવસ્થ કેવળીનું સ્વરૂપ આપી જિન નિક્ષે પાનું યથાર્થ રહસ્ય દર્શાવેલું છે તે પછી સિદ્ધ સ્વરૂપ, સિદ્ધોની અવગાહના અને સમસ્ત વસ્તુ વિષયક કેવળજ્ઞાન અને કેવળદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy