SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન, ધર્મકથા, વાદવિવાદ, નિમિત્તજ્ઞાન, તપ, વિદ્યાસિદ્ધિ અને શાસનજ્ઞાન એ ઉચ્ચ સાધનથી પ્રભાવક થઈ શકાય છે અને પ્રભાવનાને માટે તે સાધને મેળવવાની આવશ્યકતા છે, એ વાત વિદ્વાન ગ્રંથકારે ઉચ્ચ આશયથી પ્રતિપાદન કરેલી છે, આ ભદધિમાંથી મુક્ત થવા ઈચ્છા રાખનારા ભવ્યાત્માએ ધારણ કરેલા સમ્યકત્વને સર્વદા વિભૂષિત રાખવું જોઈએ એ ઉદ્દેશને લઈને આહત આગમમાં દર્શાવેલા સમ્યક્ત્વના ભૂષણે વિષે ગ્રંથકારે રસિક વિવેચન કરેલું છે, ત્યારબાદ સમ્યક્ત્વને પાંચ લક્ષણ હેતુપૂર્વક ઉદાહરણે આપી સમજાવ્યા છે. પછી છ પ્રકારની યાતના, છ આગાર, છ ભાવના અને છ સ્થાનકને શુદ્ધ સ્વરૂપ દર્શાવી એ પ્રથમ પ્રકાશને પૂર્ણ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં બીજે દેશવિરતિ નામે પ્રકાશ છે, આ પ્રકાશમાં ગૃહસ્થ ધર્મનું ઉપયોગી વિવેચન આપેલું છે. ગૃહસ્થની સમાચારી કેવી હોવી જોઈએ? કેવા ગુણોથી ગૃહસ્થાવાસ અલંકૃત થાય છે ? અને ગૃહસ્થ કેવા વ્રત પાળવા જોઈએ એ વિષય ઉપર ગ્રંથકારે પોતાની વાણુને વૈભવ ઉચ્ચ પ્રકારે દર્શાવ્યા છે. તેમાંથી એ દવનિ નિકલે છે કે ભવ્ય મનુષ્ય નિશ્ચય બળ વધારવાના સાધન સંપાદન કરવા. દુર્લભ એવા મનુષ્ય જીવનને સૂર્ય જેવું તેજસ્વી, પ્રતાપી અને સર્વનું શ્રેયઃ સાધક બનાવવું, આળસ, પ્રમાદ, વ્યગ્રતા, કેધ, ચિંતા, મેહ અને અમર્યાદ આસક્તિ એટલાથી અત્યંત સાવધ રહેવું, એ દોષ વિપત્તિઓના મહાસાગરમાં ડૂબાડનારા છે, એમ માનવું, આ સાતે દુર્બસનો ઉદયની આશાને નિર્મૂળ કરી દુર્ગતિના દરવાજા તરફ લઈ જનારા છે, એમ નિશ્ચય કરો. બળ પ્રપંચની છાયામાં પણ ઉભા ન રહેવું, સત્યને પ્રાણ જતાં પણ ત્યાગ ન કર, અને નિશ્ચય બળ અને આત્મબળમાં વિશ્વાસવાળા રહેવું, એ દેશવિરતિ ધર્મના ઉપદેશનું રહસ્ય છે. અને ગૃહસ્થ ધર્મના શુદ્ધ સ્વરૂપને પ્રકાશ છે, તે ગૃહસ્થઘમને અંગે ચાર વ્રતોનું સ્વરૂપ અને સદાચાર ભરેલા સદ્વર્તન વિષે ગ્રંથકારે ઘણું રસિક દષ્ટાંતે આપેલા છે, તે પ્રસંગે દાનધર્મનું વિવેચન કરી ગૃહસ્થાવાસમાં કરવા યોગ્ય ઉદારતા ભરેલી સખાવતે વિષે અંગુલી નિર્દેશ કરવામાં આવેલ છે, તદનુસાર શ્રાવકની એકાદશ પ્રતિમા દષ્ટાંત સહિત પ્રતિપાદન કરી ગૃહસ્થ શ્રાવકના ઉચ્ચ જીવનને અપનારા કર્તવ્ય દર્શાવ્યા છે, જે મનનપૂર્વક વાંચવા યોગ્ય છે. આ પ્રકાશના લેખ ઉપરથી ગ્રંથકારે સિદ્ધ કર્યું છે કે, પ્રત્યેક ગૃહસ્થ કર્તવ્યનિષ્ઠ થવાનું છે, અને પોતાના જીવનને સદ્ભાવનામય બનાવી સર્વ પ્રતિ ઉચ્ચ પ્રેમની લાગણીથી જેવાનું છે, હૃદયમાં પ્રેમરૂપ અમૃતને મૃદુતા ભરેલી વાણી ઉચ્ચારવાની છે, જે વાણું સર્વ શ્રવણ કરનારને શીતળતા અને શાંતિ ઉપજાવે છે, પ્રત્યેક ગૃહસ્થ દેશવિરતિ છે, છતાં તેની ભાવનામાં સર્વ વિરતિપણાનું સ્વરૂપ પ્રકાશિત હોવું જોઈએ. તેનું વર્તન દયાળુતાથી રંગાએલું, વિશુદ્ધ અને સાત્વિક હોવું જોઈએ, જેથી શુદ્ધ દેવ, ગુરુ, અને ધર્મ-એ ત્રિપુટીની આરાધના કરવાની યેગ્યતા તેનામાં પૂર્ણ રીતે પ્રાપ્ત થાય છે. સદવર્તનની શુદ્ધિને સેવનારા ગૃહસ્થ શ્રાવક આત્માના અસાધારણ મહિમાને જાણી શકે છે, તે કઈપણ જાતના દુરાગ્રહને વશ થતો નથી, મિથ્યાત્વ ભરેલા વિચારો તેને રૂચિકર લાગતા નથી. તે નિરંતર પિતાની સમ્યગ્દષ્ટિ ઉચ્ચપદ તરફ રાખે છે, અને નીચપદની ઉપેક્ષા કરે છે. તેની ભાવનામાં શ્રેણિબંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy