SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્તમાં એવી સ્પષ્ટતાથી નિરૂપિત કરેલા છે કે, જે ઉપરથી ગ્રંથકારની દિવ્ય પ્રતિભાવાળી મહાશક્તિ જણાઈ આવે છે, શ્રી અહત ભાષિત જૈન આગમમાં જેને અનિર્વાશ્ય કહે છે. તેવા સિદ્ધ સુખનું દૃષ્ટાંત સહિત વર્ણન કરતા ગ્રંથકાર વિદ્વાન વાચકેના હૃદયને આકર્ષો લે છે તે પછી સિદ્ધભગવાનના અલૌકિક ગુણેનું વર્ણન કરી અને આત્મબંધની દુર્લભતા દર્શાવી શ્રી વિચ્છિરોમણિ ગ્રંથકાર આ આત્મિકજ્ઞાનના મહોદધિરૂપ ગ્રંથના સામા તટ ઉપર આવી પહોંચે છે–ગ્રંથ સમાપ્ત થાય છે. આ છેલ્લા ગહન વિષય ઉપર ગ્રંથકારને જે મહાન ઉદેશ છે તેને જે નવ પલ્લવિત કરવા ધારીએ તો આ પ્રસ્તાવના પણ એક ગ્રંથરૂપ થઈ પડે તેથી સંક્ષેપમાં એનવલું જ કહેવાનું કે, પરમાત્મભાવ એ લોકોત્તર દિવ્યભાવ છે, તે ભાવની સાથે સિદ્ધાવસ્થાને ઉત્કૃષ્ટ સંબંધ છે, સિદ્ધાવસ્થાનો આનંદ અવર્ણનીય છે, અવાચ્ય છે, તે આનંદના અનુભવીએ તેને જાણે છે, આપણે તો તેની ભાવના જ ભાવવાની છે. આ પ્રમાણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની સંખ્યાને જાણે સૂચવતા હોય, તેવા ચાર પ્રકાશથી આ આત્મપ્રબોધ પુસ્તકને તેના વિદ્વાન કર્તાએ પ્રકાશિત કરેલો છે, ઉદયમાન જૈનસમુદાયને ધર્મ અને તત્ત્વોની શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિને જૈનાગમ પ્રમાણે ઉત્તેજ તેને સ્વાશ્રયનિષ્ઠ તથા કર્તવ્યનિષ્ઠ કરવા આ પુસ્તક ઉદ્દેશ છે, એટલું જ નહીં પણ તેના મનનપૂર્વક અભ્યાસીને આત્મિક ઉન્નતિને આનંદમય દ્વાર સુધી ઉત્તમ સાધના શબ્દોથી તે દોરી જાય છે, એ નિઃસંદેહ છે. આ પુસ્તકના કર્તા શ્રી જિનલાભસૂરિ ખરતરગચ્છના એક પ્રખ્યાત આચાર્ય હતા, વિક્રમ સંવત ૧૭૮૪ ના વર્ષમાં તેમનો જન્મ બિકાનેરમાં થયો હતો, તેમનું સંસારી નામ લાલચંદ હતું. તેમણે વિક્રમ સંવત ૧૭૯૬માં બારવર્ષની વયમાં દીક્ષા લીધી હતી, તેમના ગુરુનું નામ જિનભક્તિસૂરિ હતું, જિનલાભસૂરિ બાલ્યવયમાંથી જ બુદ્ધિશાળી હતા. તેમણે દીક્ષા લીધા પછી ઉંચી જાતનો અભ્યાસ કર્યો હતો, તેમની વ્યાખ્યાન કરવાની શક્તિ ઉત્તમ હતી, આથી લો કે તેમને બહુમાન આપતા હતા, વિક્રમ સંવત ૧૮૦૪ ના વર્ષમાં તેમની વિશ વર્ષની વય થતાં તેમને સૂરિપદ આપવામાં આવ્યું હતું, એ સૂરિપદને મહોત્સવ કચ્છદેશમાં આવેલા માંડવીબંદરની અંદર થયે હતા, તે સ્થળે રહીને તેમણે આ આત્મપ્રબોધ પુસ્તકની રચના કરી હતી અને તેના સુબોધક વ્યાખ્યાને કરછની જેનપ્રજાને સંભળાવ્યા હતા, જેની પ્રશંસાના શબ્દો દેશ-વિદેશમાં પણ પ્રસરી ગયા હતા. જિનલાભસૂરિની વિદ્વતા અને વ્યાખ્યાન શક્તિથી ઘણાએ આ સંસાર તરફ વિરક્ત થઈ તેમની પાસે દીક્ષિત થયા હતા, વિક્રમ સંવત ૧૮૧૯ ના વર્ષમાં તેમના પરિવારમાં પિણે સાધુઓ વિદ્યમાન હતા, એવા શિષ્યોને મેટા પરિવાર સાથે તેમણે ગોડી પાર્શ્વનાથજીની તથા આબુની યાત્રા કરી હતી, વિક્રમ સંવત ૧૮૩૪ ના વર્ષમાં પચાસ વર્ષની વયે તે મહાનુભાવ કાળધર્મને પામ્યા હતા, તેમના સ્વર્ગવાસથી તે દેશની જેનપ્રજામાં કહેવાયું હતું કે ખરતરગચ્છરૂપી ગગનમાંથી એક તેજસ્વી તારો અસ્ત થઈ ગયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy