SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ નાયક પ્રભુની આગળ રહી અષ્ટમ તપ આચરવાપૂર્વક તે મહામંત્રનો જપ કરવા લાગ્યા. જ્યારે એ તપના પારણાનો દિવસ આવ્યો એટલે તે દિવસે એક અખંડિત ઉત્તમ પુષ્પોની માલા શ્રી જિનેશ્વરના કંઠમાં સ્થાપી. એવામાં પ્રભુની સ્તુતિ કરવા પ્રવર્તે, તેવામાં નાગકુમાર દેવતાનો ઈન્દ્ર ધરણેન્દ્ર સંતુષ્ટ થઈ તે શેઠની આગળ પ્રગટ થયા. અને બેલ્યા, “ધનસાર શેઠ, તમારી ભક્તિથી હું સંતુષ્ટ થયે છે. જે ઇચ્છા હોય તે માગી લે. ધનસાર શેઠે પ્રભુની સ્તુતિ પૂર્ણ કરીને કહ્યું, “દેવ, જો તમે મારી ઉપર સંતુષ્ટ થયા હો તો, આ પ્રભુના કંઠમાં આરોપણ કરેલી પુષ્પમાલા વડે જે પુણ્ય પ્રાપ્ત થયું હોય, તેનું ફળ મને આપો. ધરણેન્ડે કહ્યું, “શેઠ, તે અર્પણ કરેલી પુષ્પ માલાના પુણ્યનું ફળ આપવાને હું સમર્થ નથી. ચોસઠ ઇંદ્રિો પણ તેનું ફળ આપવાને શક્તિમાન નથી, માટે બીજું કાંઈ માગો.” શેઠે કહ્યું “કદિ તમે બધી પુષ્પમાલાનું ફળ આપવાને અસમર્થ હો તો તે માલાને વિષે રહેલ એક જ પુષ્પનું ફળ આપો. ઇન્ડે કહ્યું, તે પણ આપવાને હું સમર્થ નથી.” ધનસાર શેઠે કહ્યું : “જ્યારે તમારામાં એટલું ફળ આપવાની પણ શક્તિ નથી તો તમે તમારે સ્થાને પાછા ચાલ્યા જાઓ. ધનસાર શેઠના એ વચન સાંભળી ધરણેન્દ્ર કહ્યું, “શેઠજી, દેવતાનું દશન નિષ્ફળ હોય નહીં, માટે તમારા ઘરમાં મેં રત્નથી ભરેલા સુવર્ણના કલશે સ્થાપ્યા છે. આટલું કહી ધરણેન્દ્ર અદૃશ્ય થઈ ગયા. તે પછી ધનસાર શેઠ જ્યાં ગુરુમહારાજ હતા, ત્યાં આવ્યા. અને તેમની સમક્ષ તે દેવેન્દ્ર સંબંધી વૃત્તાંત જણાવ્યો. પછી પિતાના ઘેર આવી પારણું કર્યું. પારણું કર્યા પછી ધનસારે જૈનધર્મની નિંદા કરવામાં તત્પર એવા પિતાના પુત્રોને બોલાવી પૂર્વનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યા અને રત્નભરિત સુવર્ણના કળશે બતાવ્યા. તે પછી શ્રી જિનેશ્વરની પુષ્પની પૂજાનો મહિમા વર્ણવી પિતાના સવ કુટુંબને જેનધર્મના માર્ગમાં સ્થિર કરીને ધનસાર શેઠ જાવજીવ સુધી સુખી, ભેગી. દાની અને જિતેન્દ્રિય થયા હતા. આ પ્રમાણે પુષ્પપૂજા ઉપર ધનસાર શેઠની કથા છે. આભરણ પૂજા. વિવેકી પુરૂષોએ સુવર્ણના અને રત્નોને ચક્ષુ, શ્રીવત્સ, હાર, કંડલ, બીજોરું, છત્ર, મુગટ અને તિલક આદિ અનેક પ્રકારના આભરણ કે જે પોતે તથા અન્ય પુરૂષોએ અણભોગવેલા હોય તે જિનબિંબને ઘટમાન સ્થાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy