SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ શ્રી આત્મબોધ પોતાની લક્ષ્મીવડે બાવન જિનાલયવાળું એક જિનમંદિર કરાવવાનો આરંભ કર્યો. આ કાર્યમાં પ્રતિદિન ઘણાં દ્રવ્યનો ખર્ચ થવાથી તેના પુત્ર પિતાના પિતા ધનસારને પૂછયું “પિતાજી સર્વદ્રવ્યને નાશ કરનારું આ વૃથા કામ કેમ આવ્યું છે ? આ કામ મને બીલકુલ રુચતું નથી. આ દ્રવ્યથી નવા ઘર, અને નવીન આભૂષણે કરાવ્યા હોત તે વધારે સારું. કારણકે, ઘર અને આભૂષણ વગેરે કોઈ કાળાંતરે કામ આવે છે. પુત્રનાં આ વચનો શેઠ ધનસારે જાણે સાંભળ્યા ન હોય તેમ કાઢી નાખ્યાં. તેણે તે ઉપર બીલકુલ યાન આપ્યું નહીં. ધનસાર શેઠે તે ઉલ્લાસ સહિત ચડતા પરિણામે કરી દ્રવ્યનો ભારે વ્યય કરી તે જિનાલયને પૂર્ણ કરાવ્યું. જ્યારે ચૈત્ય પૂર્ણ થયું, ત્યારે કોઈ પૂર્વના અંતરાય કર્મના ઉદયથી તેના ઘરમાં રહેલા સવ દ્રવ્યનો નાશ થઈ ગયો. આ વખતે તેને પુત્ર અને બીજા મિથ્યાત્વી લેકો બોલવા લાગ્યા કે “ધનસાર શેઠે જિનાલય કરાવ્યું, તેથી તેના સર્વ દ્રવ્યનો નાશ થઈ ગયો. તે લોકે આમ બેલતાં તો પણ જેનું ચિત્ત જૈનધર્મને વિષે દઢ છે એ ધનસાર શેઠ પોતાના દ્રવ્યના પ્રમાણમાં થોડું થોડું પુણ્ય કર્યા કરતે હતા. એક વખતે ધર્મગુરુ ભગવાન તે નગરમાં પધાર્યા. ધનસાર તેમને વંદન કરવાને ગયો. ગુરુએ એ ધમ શેઠને પૂછયું, “કેમ, તમારે સુખશાતા છે?” ત્યારે શેઠે કહ્યું, “ભગવન્! તમારી કૃપાથી સુખ જ છે, પણ ધર્મના નિદક લેકે બોલે છે કે,” જિનાલય કરાવવાથી આ ધનસાર શેઠનું સર્વ દ્રવ્ય નાશ પામી ગયું.” આવી ધર્મની નિંદા સાંભળી મારા મનને ચિંતા થાય છે. મારું દ્રવ્ય નષ્ટ થયું, તેની ચિંતા મને બીલકુલ નથી પણ ધર્મની નિંદા થવાથી મને ભારે ખેદ થાય છે. દ્રવ્યને માટે હું સમજુ છું કે, શુભકામના ઉદયથી દ્રવ્ય બહુવાર આવે છે અને અંતરાયકર્મના ઉદયથી નાશ પામે છે. હે સ્વામી ! આપ જ્ઞાનના બળથી જુઓ અને મને કહે કે “આ ભવને વિષે મારું અંતરાયકર્મ તુટશે કે નહિ ?” ધનસાર શેઠના આ વચન સાંભળી તે ગુરુ સંતુષ્ટ થઈ ગયા, અને તેમણે પોતાના જ્ઞાનના બળથી ધનસાર શેઠના અશુભ કર્મને નાશ અને શુભ કર્મનો ઉદય જાણી લીધો. પછી ધર્મની ઉન્નતિ કરવાને માટે ગુરુએ તે ધનસાર શેઠને સર્વ મંત્રોમાં શ્રેષ્ઠ અને મહામંગલરૂપ નવકાર મંત્ર સાધનાવિધિ સહિત આપે. ધનસાર શેઠ તે મંત્રને વિધેિ સહિત જાણી જિનાલયમાં જઈ મૂળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy