SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ २४ શ્રી આત્મપ્રબોધ અને અધિગમ એ બે ભેદમાં જ કોઈ કોઈ સ્થળે તે બધાનો અંતર્ભાવ થઈ જાય છે. વળી અહીં સમ્યકત્વને જીવથી અભિન્નપણે જે કહેલું છે, તે ગુણ અને ગુણીનો અભેદ જણાવવા માટે કહેલ છે, તે ઉપરથી સમજવાનું કે, જે દસ પ્રકારનું સમ્યકત્વ તે જ આત્મા છે, કારણ કે સમ્યકત્વ એ આત્માને ગુણ છે, એટલે આત્મા તે જ સમ્યકત્વ અને સમ્યક્ત્વ તે જ આત્મા, એ તત્ત્વથી જાણવું. આત્મા અને આત્માના ગુણમાં અભેદ છે. તત્ત્વથી ગુણ અને ગુણું જુદાં નથી–એ પરમાર્થ છે. સર્વધર્મકૃત્યમાં સમ્યકત્વની પ્રધાનતા. "समत्तमेव मूलं निद्दिदं जिणवरेहिं धम्मस्स । एगपि धम्मकिच्चं न तं विणा सोहए नियमा" ॥१॥ જિનવરેએ ધર્મનું મૂળ સમ્યકત્વને જ કહેલું છે, તે સમ્યકત્વ વિના ધર્મનું એક કાર્ય પણ નિશ્ચ શેભતું નથી.” ૧ આ અપાર સંસારમાં બહુ પ્રકારે ભ્રમણ કરી ખેદ પામી ગયેલા ભવ્ય જીવોએ જેનું સ્વરૂપ પ્રથમ કહેલું છે એવા શુદ્ધ સમ્યકત્વ વડે પિતાના આત્માને યુક્ત કરવો. કારણ કે, પિતાની આત્મારૂપી ભૂમિને નિર્મળ કરવાથી તે આધારે કરેલા સર્વધર્મના કૃત્યે પ્રભાસ ચિત્રકારે રચેલી ભૂમિ ઉપરના ચિત્રોની જેમ અસાધારણ રીતે શોભી ઉઠે છે. કારણ કે, આત્મશુદ્ધિ કર્યા વિના એક પણ ધર્મકૃત્ય શોભતું નથી; તેથી ભવ્ય જીવોએ પ્રથમ આત્મશુદ્ધિને વિષે પ્રયત્ન કરવો. પ્રભાસ ચિત્રકારનું દૃષ્ટાંત - આ જંબુદ્વીપને વિષે ભરતક્ષેત્રના મધ્યભાગે સાકેતપુર નામે નગર છે. તે મનોહર અને ઉજવળ એવા ઘરથી તથા સુંદર જિનમંદિરની શ્રેણિથી સશેભિત છે. નાગ, પુનાંગ વિગેરે વિવિધ જાતના વૃક્ષોથી યુક્ત એવા અનેક ઉદ્યાનેએ કરી તે વિરાજિત છે. તેમાં સર્વ શરૂપી વૃક્ષોને ઉખેડવામાં ગજેન્દ્ર સમાન મહાબેલ નામે એક રાજા હતો. એક વખતે તે રાજા સભા મંડપમાં બેઠો છે, તેવામાં અનેક પ્રકારના દેશમાં ફરનારા પોતાના એક દૂતને આ પ્રમાણે પૂછયું, હે દૂત! મારા રાજ્યને વિષે રાજલીલાને યોગ્ય એવી કોઈ વસ્તુ નથી એમ છે?” દતે કહ્યું. રાજેન્દ્ર! તમારા રાજ્યમાં બીજી વસ્તુઓ છે, પણ નેત્રાને આનંદ આપનારી અને અનેક પ્રકારના ચિત્રોથી અલંકૃત એવી રાજકીડા યોગ્ય ચિત્રસભા નથી.” દૂતના આ વચન સાંભળી રાજાનું મન તેવી સભાના કુતૂહલથી પૂરિત થઈ ગયું. તત્કાળ તેણે મંત્રીને બેલાવીને હુકમ કર્યો કે સત્વર એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy