SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ એક દેશમાં પડે છે, પણ તે પછી સમસ્ત જળને આક્રમણ કરે છે, તેવી રીતે તત્વના એક દેશમાં આત્માની રુચિ ઉત્પન્ન થઈ, તો તે આત્માની રુચિ તેવી રીતના ક્ષયપશમથી સમસ્ત તત્ત્વોને વિષે પ્રસરી જાય છે, આનું નામ બીજઅચિ કહેવાય છે. ૬. અભિગમચિ–અભિગમ એટલે વિશેષ પ્રકારનું જ્ઞાન, તેને વિષે જેને રુચિ થાય તે અભિગમરુચિસમ્યકત્વવાનું કહેવાય છે. એટલે કૃતજ્ઞાનના અર્થને આશ્રીને જેને વિજ્ઞાન-વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય તે અભિગમચિ કહેવાય છે. ૭. વિસ્તારચિ-સાતન વડે સંપૂર્ણ દ્વાદશાંગીની વિસ્તારપૂર્વક વિચારણા કરવામાં જેની રુચિ વૃદ્ધિ પામે છે, તે વિસ્તારચિ સમ્યક્ત્વવાળો કહેવાય છે. એ વિસ્તારચિસમ્યકત્વમાં નૈગમાદિક સર્વન વડે તથા પ્રત્યક્ષાદિક પ્રમાણે વડે પટ દ્રવ્યનું અને તેના પર્યાયનું યથાર્થ શાન થાય છે. ૮. ક્રિયારુચિ-સમ્યક પ્રકારે સંયમ–ચારિત્રના અનુષ્ઠાન એટલે ક્રિયા તેની પ્રવૃત્તિને વિષે જે રુચિ થવી તે ક્રિયારુચિસમ્યકત્વ કહેવાય છે. જે પુરૂષને ક્રિયા સમ્યકત્વ પ્રાપ્ત થયેલું હોય તેને ભાવથી જ્ઞાનાચાર, દશનાચાર અને ચારિત્રાચાર આાદ અનુષ્ઠાનને વિષે રુચિ ઉત્પન્ન થાય છે. ૯, સંક્ષેપરુચિ–જેનામાં વિશેષ પ્રકારે જાણવાની શક્તિ ન હોય, તેથી જે સંક્ષેપથી જાણવાની ચિ કરે, તે સંક્ષેપચિસમ્યકત્વવાળે કહેવાય છે. તે સમ્યકૃત્વમાં જિનવચનરૂપ આગમને વિષે અકુશલપણું છતાં તેમજ બૌદ્ધાદિક કુદર્શનને અભિલાષી ન છતાં ચિલાતીપુત્રની પેઠે ઉપશમ, વિવેક અને સંવર નામના ત્રણ પદે કરીને તત્ત્વની ચિ પ્રાપ્ત થાય છે. ૧૦. ધર્મરુચિ–ધમ એટલે અસ્તિકાયાદી ધર્મ તથા મૃતધમ અને ચારિત્રધર્મ, તેને વિષે જેને રુચિ હોય તે ધમરુચિસમ્યકત્વવાળે કહેવાય છે. એટલે જિનેશ્વરે કહેલા ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય વગેરેના ગતિ, સ્થિતિરૂપ ઉપષ્ટભકતા આદિ સ્વભાવને વિષે અસ્તિપણુ તેમજ અંગ-પ્રવિષ્ટ અર્થાત અંગઆગમના સ્વરૂપને વિષે તથા સામાયિકાદિ ચારિત્ર ધર્મને વિષ જે જવ શ્રદ્ધા કરે છે, તે ધર્મચિ સમજેવો. અહીં જે સમ્યક્ત્વનાં ઉપાધિભેદ વડે જુદા જુદા પ્રકાર કહ્યા છે, તે શિષ્યને વિશેષ બુદ્ધિ ઉપજાવવા માટે કહેલા છે. પરંતુ વસ્તુતાએ તો નિસર્ગ ૧. આચારાંગ આદિઅંગ, ઉવવાઈ આદિ ઉપાંગ અને ઉત્તરાધ્યયનાદિ પ્રકરણ તે શ્રુતજ્ઞાન કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy