SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શ્રી આત્મપ્રબોધ કર્મના ઉદયથી તે શિષ્ય એક પદ પણ ધારણ કરવાને કે ઉચ્ચાર કરવાને શક્તિમાન થયે નહીં. આથી ગુરુ કંટાળી ગયા અને તેમણે માન્યું કે, હવે આ શિષ્યને શાસ્ત્રનું અધ્યયન કરાવાથી સયુ, છેવટે એક વખતે ગુરુએ તેને કહ્યું, કે, “શિષ્ય ! તને કાંઈપણ આવડે તેમ નથી, માટે તું કેવળ “મારુષ, માનુષ એમ જયા કર.” તે અલ્પમતિ શિષ્ય તે વાક્ય પણ પૂરી રીતે બેલી શકે નહીં. તેણે ઠેકાણે “માપતુષ” એમ બોલવા લાગ્યા. પોતે તે જાણતાં પોતાના આત્માને પછી નિદત હતા, પણ કેવળ ગુરુની આજ્ઞાનું પ્રમાણ કરી તે ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખતો હતો. તેથી તે ઉત્તમ ભાવનાએ કરી ચાર ઘનઘાતકર્મનો ક્ષય કરી તત્કાલ કેવળજ્ઞાનની લક્ષ્મીને પ્રાપ્ત થયો હતો. આ પુરુષ આશારુચિ કહેવાય છે. ૪. સૂત્રરુચિ-સૂત્ર એટલે અંગ-ઉપાંગ આદિ આચારાંગ પ્રમુખ જેની અંદર આચારનું લક્ષણ કહેવામાં આવે છે, તેને વિષે જેને રચિ છે એટલે ભણવા ભણાવવાની, ધારવાની અને તેના સ્વરૂપના ચિતવનની પ્રીતિ છે, તે સૂત્રરુચિ સમ્યકત્વવાનું કહેવાય છે. અર્થાત સૂત્ર, ભણતાં-ભણાવતાં તે સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે અને અતિશય સારા અધ્યવસાય ઉત્પન્ન થાય છે. તે સૂત્રરુચિ ઉપર ગોવિંદવાચકનું દૃષ્ટાંત આ પ્રમાણે છે. સૂવરચિસમ્યકત્વ ઉપર ગાવિંદવાચકની કથા ગોવિંદ નામે એક બૌદ્ધધમને ભક્ત હતા. તે જિનેશ્વરના આગમનું રહસ્ય તથા તત્ત્વ ગ્રહણ કરવા માટે કપટ કરી જૈન સાધુ બની આચાર્ય મહારાજની પાસે જેન સિદ્ધાંત ભણવા આવ્યો. જેન સિદ્ધાંત ભણતાં તેને સૂત્રના અથ વડે તેના પરિણામની નિર્મળતા પ્રગટ થઈ આવી અને તેથી સમ્યકત્વને પામી જૈન શુદ્ધ મુનિ થઈ આચાર્યપદને પામી ગોવિદવાચકના નામથી પ્રખ્યાત થયા હતા. આ ગોવિંદવાચક સૂત્રરુચિસખ્યત્વવાળા જાણવા. પ. બીજરુચિ–બીજની પેઠે જે એકવચન અનેક અર્થને બોધ કરનારું હોય તે બીજવચન કહેવાય છે, તેવા વચનને વિષે જેને રુચિ હોય તે બીજરુચિસમ્યકત્વવાનું કહેવાય છે. જેમ બીજ એક હોય છતાં અનેક બીજને ઉત્પન્ન કરે છે, તેમ આત્માને એક પદ ઉપર રુચિ હોય તે અનેક પદની રુચિને ઉત્પન્ન કરનારી થાય છે, એવી જે આત્માને વિષે એચિ તે બીજચિ કહેવાય છે. અથવા તે ઉપર જળને વિષે પડેલા તેલના બિદુનું દૃષ્ટાંત છે. જેમ તેલનું બિંદુ જળના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy