SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૨૧ તે દસ પ્રકારના સમ્યકત્વનું વિવેચન ૧. નિસર્ગચિ – નિસર્ગ એટલે સ્વભાવે કરીને જિનેશ્વરના કહેલા તને વિષે રુચિ થાય, તે નિસગરુચિસમ્યકત્વ કહેવાય છે અર્થાત જિનેશ્વરે દર્શાવેલા તત્ત્વાદિકનું સ્વરૂપ એમ જ છે, તેથી અન્યથા છે જ નહીં. આમ જાણે; એટલે જે તીર્થકર ભગવાને કહેલા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવના ભેદે કરી તથા નામ, સ્થાપના દ્રવ્યભાવના ભેદે કરી ચાર પ્રકારના જીવાદિક પદાર્થોને જાતિસ્મરણજ્ઞાનની જેમ બીજાના ઉપદેશ વિના અથવા શ્રુતજ્ઞાનના બળે કરીને અત્યંત શ્રદ્ધા કરે તે નિસગરુચિસમ્યકત્વ કહેવાય છે. ૨. ઉપદેશરુચિ – ગુરુ, માતા, પિતા વગેરે વડિલોએ કહેલા વસ્તુતત્વમાં જે રુચિ ઉત્પન્ન થાય એટલે આંતરા રહિત કહેલા જીવાદિક પદાર્થોને વિષે તીર્થકર, ગણધર આદિ પુરૂષોના તેમજ છદ્મસ્થ પુરૂષોના ઉપદેશથી જે રુચિ - શ્રદ્ધા ઉત્પન્ન થાય તે ઉપદેશરુચિસમ્યકત્વ કહેવાય છે. ૩. આજ્ઞારુચિ-સર્વશની આજ્ઞા ઉપર જે ભવ્ય પુરૂષ ચિ કરે એટલે જે ભવ્ય રાગ, દ્વેષ, મેહ, તથા અજ્ઞાનથી દેશ થકી રહિત થઈ તીર્થકર તથા ગણધર વગેરેની આજ્ઞા વડે પ્રવચનના અર્થ થયેલા છે, એમ જાણી પોતે બુદ્ધિહીન હોય તે પણ તેને યથાર્થ રીતે માપતુષમુનિની પિઠ અંગીકાર કરે તે આજ્ઞારુચિસમ્યકૃત્વવાળો કહેવાય છે. આ સમ્યકૃત્વમાં કહેવાનું તાત્પર્ય એ છે કે, આગમને વિષે જે અર્થ જ્ઞાની મહારાજે કહેલ છે તે યથાર્થ જ છે મારે પ્રમાણ છે; કદિ તેમાંથી કોઈ ભાગ હું મંદબુદ્ધિ સમજી શકતો નથી તો આગળ ઉપર વિશેષ અભ્યાસથી તે મારા સમજવામાં આવશે. ઉદ્યમ કરવાથી શું પ્રાપ્ત થતું નથી ? તેમ કરતાં કદિ સમજવામાં ન આવે તો મારા કોઈ કમનો દોષ છે. આ પ્રમાણે માને છે. પણ જેમાં પિતાને સમજ પડે નહીં તેને અપ્રમાણ ગણે નહીં; અને એવી દૃષ્ટિથી પિતે પિતાની મંદબુદ્ધિ થવાને કારણે પ્રગટ કરે છે. સર્વ ભવ્ય જીવોએ સમ્યગદૃષ્ટિથી જિનેશ્વરના વચન ઉપર શ્રદ્ધાપૂર્વક એવી પ્રતીતિ કરવી જોઈએ. અને અભ્યાસમાં તત્પર રહેવું જોઈએ. એવી રીતે જિનેશ્વરે જે કહેલ તેને પ્રમાણભૂત માને તે આજ્ઞારુચિસમ્યકત્વ કહેવાય છે. આજ્ઞાચિસમ્યકત્વ ઉપર માપતુષ મુનિનું દૃષ્ટાંત કોઈ પુરૂષે કોઈ ઉત્તમ ગુરુ પાસે ધમ સાંભળી પ્રતિબોધ પામી દીક્ષા લીધી હતી. ગુરુએ તેને અભ્યાસ કરાવવા માંડ્યા, પરંતુ કોઈ જ્ઞાનાવરણીય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy