SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મપ્રબોધ અવિરતિથી લઈને ઉપશાંતમૂહ ગુણઠાણું સુધી ઉપશમસમ્યકત્વ હોય છે તથા ચોથા ગુણસ્થાનથી અયોગી ગુણસ્થાનના અંગ સુધી અગિયાર ગુણઠાણે ક્ષાયિકસમ્યક્ત્વ હોય છે. ચેથા ગુણઠાણાથી લઈને અપ્રમત્ત ગુણઠાણાનાં અંત સુધી વેદકસમ્યકત્વ હોય છે તે જ ચોથા ગુણસ્થાનથી માંડીને અપ્રમત્ત ગુણસ્થાન સુધી એટલે ચાર ગુણસ્થાને ક્ષયપશમિકસમ્યકત્વ હોય છે, અર્થાત્ સાતમા ગુણઠાણું સુધી તે હોય છે. અને ક્ષપકશ્રેણિ માંડવાવાળાને વેદક થઈને ક્ષાયક થાય છે અને આઠમે ગુણઠાણેથી શ્રેણિ માંડે છે." સમ્યકત્વ કેટલીવાર મૂકાય અને કેટલીવાર ગ્રહણ થાય. પ્રથમ મૂકયું પછી ગ્રહણ કર્યું, એવું જે સભ્યત્વાદિ તે ગ્રહીતમુક્તને આકર્ષા કહેવાય છે. તે સમ્યકત્વ કેટલીવાર ગ્રહણ થાય અને કેટલીવાર મૂકાય, તે દર્શાવે છે. તે સાથે એક જીવને એક ભવમાં કેટલા સમ્યકત્વ થાય તે પણ જણાવે છે. ભાવશ્રુતસમ્યકત્વ અને દેશવિરતિ નામના ત્રણ સામાયિકવાળાને એક ભવમાં હજારે પૃથકત્વ હોય છે. સર્વવિરતિવાળાને એક ભવે સે પ્રથકૃત્વ આકર્ષા થાય છે. તે ઉત્કૃષ્ટથી જાણવા. અને જધન્યથી તો એકજ આકર્ષા થાય છે. સંસારને વિષે રહેલા જીવોને સર્વ ભવમાં કેટલા આકર્ષ એટલે જીવ વ્યવહાર રાશિમાં આવ્યા પછી મોક્ષે જાય ત્યાં સુધીમાં કેટલા આકર્ષા થાય તે વાત જણાવતાં કહે છે કે, અનેક ભવોમાં એક જીવને ત્રણ ભાવકૃતાદિકના અસંખ્યાતા હજાર પૃથકત્વઆકર્ષા થાય છે એટલે સવભવની અપેક્ષાએ ત્રણ ભાવશતાદિને ઉત્કૃષ્ટા અસંખ્યાત હજાર પૃથકત્વઆર્ષા થાય છે. તેમાં જે સર્વ વિરતિ છે, તેને હજાર પૃથકત્વઉત્કૃષ્ટ થાય છે, અને દ્રવ્યતવાળાને અનંતા આકર્ષા થાય છે, કારણ કે, તેમાં બેઈદ્રિય આદિ મિથ્યાવીઓની ગણના છે. સમ્યક્ત્વના દસ પ્રકાર પ્રથમ આંતરા રહિત કહેલા એવા ઉપશમાદિક પાંચ પ્રકારના સમ્યકત્વને નિસગ તથા અધિગમ સાથે ગણતાં તેના દસ પ્રકાર થાય છે અથવા પન્નવણા વગેરે આગમોને વિષે નિસગ રુચિ વગેરે ભેદથી દસ પ્રકારના સમ્યકત્વ કહેલા છે, તેના નામ આ પ્રમાણે છે. (૧) નિસચિ , (૨) ઉપદેશરુચિ, (૩) આજ્ઞારુચિ (૪) સૂચિ . (૫) બીજરુચિ, (૬) અભિગમ, (૭) વિસ્તારરુચિ, (૮) કિયારુચિ, (૯) સક્ષેપચે અને (૧૦) ધર્મચિ. ૧. બે થી લઈને નવ સુધી કહેવામાં પૃથફત્વ શબ્દ વપરાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy